
Rajasthan: દિલ્હીના લાલકિલ્લા પાસે થયેલા કાર બ્લાસ્ટમાં જે વિસ્ફોટક પદાર્થ વપરાયા હતા તેવા વિસ્ફોટકોનો મોટો જથ્થો રાજસ્થાનમાંથી મોટી માત્રામાં મળી આવતા દેશભરમાં ભારે સનસનાટી મચી ગઇ છે સાથેજ આટલી મોટી માત્રામાં વિસ્ફોટક પદાર્થની થઈ રહેલી હેરાફેરી છતાં ગુપ્તચર વિભાગના કેમ ધ્યાનમાં ન આવ્યું તે વાત પણ ખૂબજ ચિંતા જનક છે.
નાગૌર જિલ્લાના થાવલા પોલીસ હદ વિસ્તારમાં પોલીસની ડિસ્ટ્રિક્ટ સ્પેશિયલ ટીમ (DST) અને સ્થાનિક પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી હરસૌર ગામ ખાતેના સુલેમાન ખાન નામના ઇસમની માલિકીના ફાર્મ હાઉસ પર રેડ કરતા 10000 કિલોગ્રામ (9550 કિગ્રા) જેટલો ગેરકાયદે વિસ્ફોટક એમોનિયમ નાઈટ્રેટનો મોટો જથ્થો મળી આવતા ભારે સનસનાટી મચી ગઇ છે.
#WATCH | Nagaur, Rajasthan | SP Mridul Kachhawa says, “For quite some time, the Nagaur police had been receiving intelligence reports indicating that large quantities of explosive materials were being bought, sold, and stored in the district… Yesterday, the district police… pic.twitter.com/hzpG9Vpzil
— ANI (@ANI) January 25, 2026
મહત્વનું છે કે એમોનિયમ નાઈટ્રેટ એ અત્યંત ઘાતક વિસ્ફોટક માનવામાં આવે છે, જેનો ઉપયોગ અગાઉ પણ અનેક આતંકી હુમલાઓમાં થયો છે,નવેમ્બર 2025માં દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલા કાર ધમાકામાં પણ આજ પ્રકારના વિસ્ફોટકોનો ઉપયોગ થયો હતો. આ મામલાની ગંભીરતાને ધ્યાને લઈ રાજસ્થાન પોલીસે કેન્દ્રીય તપાસ એજન્સીઓને વિસ્ફોટક પદાર્થ મળ્યાની જાણ કરી છે. હવે એજન્સીઓ એ દિશામાં તપાસ કરશે કે આ જથ્થો ક્યાંથી લવાયો તેનો ખરેખર શું ઈરાદો હતો વગરે તપાસ હાથ ધરશે.
સુલેમાન ખાને પોતાના ફાર્મ હાઉસમાં આવેલા એક મકાનમાં આ વિસ્ફોટક જથ્થો ગુપ્ત રીતે છુપાવ્યો હતો. દરોડા દરમિયાન પોલીસને 187 કટ્ટા (કોથળા) માં ભરેલું એમોનિયમ નાઈટ્રેટ ઉપરાંત, વિસ્ફોટ કરવા માટે વપરાતા અન્ય સાધનો પણ મળી આવતા પોલીસ ચોંકી ઉઠી હતી.
પોલીસે કુલ 10000 કિલોગ્રામ જેટલો વિસ્ફોટક પદાર્થ સહિત 9 કાર્ટન ડેટોનેટર, 12 કાર્ટન અને 15 બંડલ વાદળી ફ્યુઝ વાયર, 12 કાર્ટન અને 5 બંડલ લાલ ફ્યુઝ વાયરનો જથ્થો જપ્ત કર્યો છે આરોપી સુલેમાન અગાઉ પણ આ પ્રકારના ગેરકાયદે વિસ્ફોટકો રાખવા બદલ પકડાઈ ચુક્યો છે તેનું કહેવું છે કે ખાણ કામ માટે તેની પાસે આવતા ગ્રાહકોને આ વિસ્ફોટક પદાર્થ વેચતો હતો.
જોકે,દેશમાં મોટા આતંકી હુમલાની મળી રહેલી ધમકીઓ વચ્ચે આટલી મોટી માત્રામાં પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ વિસ્ફોટક મળી આવવાની ઘટનાએ તંત્રમાં દોડધામ મચી ગઇ છે અને આટલી મોટી માત્રામાં હેરફેર છતાં સુરક્ષા એજન્સીઓને ભણક પણ આવતી નથી તે બાબત ચિંતાજનક છે કારણકે આજ વિસ્ફોટક પદાર્થો આતંકીઓ ઉપયોગમાં લઇ રહ્યા છે અને મોટી વારદાતને અંજામ આપી રહયા છે ત્યારે આ ઘટનાએ તંત્રની ઢીલી નીતિની પોલ ખોલી નાખી છે.
આ પણ વાંચો:
Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા








