Modi: નરેન્દ્ર મોદી સાહેબે પાણીદાર ગુજરાતની મોટી મોટી વાતો કરી હતી પણ આ વાત કેટલી સાચી હતી? ત્યારબાદ કેન્દ્રીય જળ શક્તિ મંત્રીપદ પણ સીઆર પાટીલ શોભાવી રહયા છે છતાં ગુજરાતમાં પીવાના પાણીની સ્થિતિ સારી નથી.ગુજરાત રાજ્યમાં 203 જળાશય, 4 લાખ 30 હજાર 680 ચેકડેમ-ખેત તલાવડી અને 1 લાખથી વધુ તળાવ છે.જો આ બધાને ઊંડા કરી ખરેખર જળસંચય માટે કામ કરાયું હોય તો ગુજરાતની પ્રજા આજે શુદ્ધ પાણી માટે વલખાં મારતી ન હોય.આ બધા વચ્ચે ખુદ સરકારેજ કબૂલ્યું છે કે, રાજ્યના 8,250 ગામમાં પાણીની ગુણવત્તા નબળી છે.2,791 ગામના લોકોને ફલોરાઈડયુક્ત પાણી પીવું પડી રહ્યુ છે.
455 ગામના લોકો નાઈટ્રેટવાળું પાણી પીવા મજબૂર છે, જ્યારે 792 ગામના લોકોએ ખારું પાણી પીવું પડી રહ્યુ છે.આમ, ગુજરાતમાં કુલ 10,288 ગામમાં પીવાલાયક પાણી પણ મળતું નથી મતલબ કે, વિકસિત ગુજરાતના કુલ 18,715 ગામમાંથી 55 ટકા ગામોમાં પીવાનું શુદ્ધ પાણી પણ મળી રહ્યું નથી તે વાસ્તવિકતા છે.આ મુદ્દા ઉપર સિનિયર પત્રકાર દિલીપ પટેલે કરેલી વિસ્તુત છણાવટ સાથેનું વિશ્લેષણ આપ સૌ સુધી પહોંચાડી રહ્યા છીએ.
આ વિડીયો આપને કેવો લાગ્યો એ વિશેનો આપનો અભિપ્રાય કોમેન્ટ કરીને જરુરથી મોકલશો. ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને જોઈન કરીને આર્થિક સહયોગ જરૂર આપશો એવી આપ સૌને વિનંતી છે.પ્રસ્તુત છે વિડીયો.
આ પણ વાંચો:
Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા









