
Plane Crash: મહારાષ્ટ્રના ડેપ્યુટી CM અજિત પવારનું વિમાન અકસ્માતમાં કરુણ નિધન થયા બાદ આ ઘટના પર્વ યોજિત કાવતરું હોવા અંગે સવાલો ઉઠાવતા રાજકારણમાં આ મામલો ભારે ચર્ચાસ્પદ બન્યો છે.
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સહિત ઓમર અબ્દુલ્લાહ,કોંગ્રેસ અધ્યક્ષ ખડગે,સહિતના નેતાઓએ વિમાન અકસ્માતની આ ઘટના પૂર્વયોજિત કાવતરુ હોવાની શંકા વ્યક્ત કરી તપાસની માંગ કરી છે ત્યારે અજિત પવારના કાકા શરદ પવારે આ ઘટનાને રાજકીય રંગ નહિ આપવા જણાવી આ એક માત્ર અકસ્માત હોવાની વાત કરી રાજકારણ નહિ કરવા વિન્નતી કરી છે.
શરદ પવારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, આ ઘટનાથી પવાર પરિવાર ખૂબ જ દુ:ખી છે, આ વિમાનનું ક્રેશ થવું એ સંપૂર્ણ રીતે દુર્ઘટના જ છે તેમાં કોઈ પણ પ્રકારનું રાજકારણ ન કરવું જોઈએ, મહારાષ્ટ્રએ આજે એક એવું નેતૃત્વ ગુમાવ્યું છે જેની કિંમત ક્યારે ચૂકવી શકાશે નહીં.
મહત્વનુ છે કે મમતા બેનર્જીએ દાવો કર્યો હતો કે અજિત પવાર ટૂંક સમયમાં તેમના કાકા શરદ પવારની પાર્ટીમાં પાછા ફરવાના છે તેઓ ભાજપ છોડવાની વાત કરતા હતા અને બરાબર આવા સમયે આ દુર્ઘટના બની છે માટે આ વિમાન દુર્ઘટનાની તપાસની માંગ કરી હતી તેઓએ કહ્યું હતું કે એજન્સીઓ ભ્રષ્ટ છે, તેથી સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ તપાસ થવી જોઈએ.
મમતા બેનર્જી સહિત ઓમર અબ્દુલ્લાહ,કોંગ્રેસ અધ્યક્ષ ખડગે સહિતના નેતાઓએ પણ વિમાન અકસ્માતને શંકાસ્પદ ગણાવી તપાસની માંગ કરી પણ શરદ પવારે આ મુદ્દાને રાજકીય રૂપ નહીં આપવા જણાવી ઠંડુ પાણી ફેરવી દીધું છે પરિણામે હાલ પૂરતી અટકળો ઉપર પૂર્ણ વિરામ મુકાઈ ગયું છે આ મુદ્દા ઉપર વિસ્તુત વિશ્લેષણ કરવામાં આવ્યું છે જે જોવાનું ચૂકશો નહિ પ્રસ્તુત છે વિડીયો.
આ પણ વાંચો:
Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા










