Gujarat: રાજ્યમાં અંદાજપત્રનું અવનવું ; અઢી કરોડ શહેરજનો ઉપર દર મહિને ₹2000 બોજો આવશે!

  • Gujarat
  • February 14, 2026
  • 0 Comments

દિલીપ પટેલ

Gujarat: રાજ્યની 17 મહાનગરપાલિકાનું 2026-27નું એક વર્ષનું ખર્ચ રૂ. 60 હજાર કરોડ થવાનો છે.જૂની 8 મહાનગરપાલિકાનું અંદાજપત્ર રૂ.49 હજાર કરોડ અને નવી 9 મહાનગરપાલિકામાં રૂ. 10 હજાર કરોડનું અંદાજપત્ર રહેશે.17 મહાનગરોમાં અઢી કરોડ લોકો રહે છે. દરેક શહેરી લોકો પાસેથી વર્ષે રૂ.24થી 25 હજાર એટલે કે દરેક વ્યક્તિ પાસેથી મહિને રૂ.2 હજાર લેવામાં આવશે. 5 સભ્યોનું એક કુટુંબ ગણવામાં આવે તો વર્ષે રૂ. 1 લાખથી સવા લાખ શહેરની સરકારને વેરા, ફી, દર પેટે ચૂકવશે. આ ખર્ચ ગ્રામ્ય વિસ્તાર કરતાં અનેક ગણું વધારે છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2026-27 માટેનું બજેટ રૂ. 18,518 કરોડનું છે.સુરત મહાનગર પાલિકાનું બજેટ 10593 કરોડ છે,આગામી ગણતરીના મહિનામાં સુરત પાલિકાની ચૂંટણી છે તેની ઈફેક્ટ સીધી બજેટ પર જોવા મળી રહી છે, કર વધારો નથી થયો પણ અહીં ટુરિઝમ સીટી બનાવવા માટે શન ટુરીઝમ, ઈન્ડસ્ટ્રી ટુરિઝમ અને ટ્રેડ-એડવેન્ચર ટુરિઝમ બનાવાશે.

વડોદરા મનપાનું વર્ષ 2026-27નું બજેટ 7672.21 કરોડ છે જ્યારે રાજકોટ મહાનગરપાલિકાનું રુ. 3604.90 કરોડનું બજેટ છે. વધારાના કરબોજ નથી. મિલકત વેરા  અને પાણી વેરાના ચડત વ્યાજમાં રુ. 5,000 સુધીની માફી આપી છે.એજ રીતે ગાંધીનગર કોર્પોરેશનનું બજેટ 1918.35 કરોડ રૂપિયા છે. એઆઈ ટેકનોલોજી પર ભાર મૂકવામાં આવ્યો છે. આઈટી પ્રોજેક્ટ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.  થઈ ગયું છે. જેને હવે આગામી ગુરુવારે મળનારી સામાન્ય સભામાં મંજૂર કરવામાં આવશે.

જામનગર મહાનગરપાલિકાનું રૂ. 1860 કરોડના બજેટમાં 9 કરોડ રૂપિયાના કર વધારાનું સૂચન કરાયું છેજૂનાગઢ મહાનગર પાલિકાના કમિશનર તેજસ પરમાર (IAS) દ્વારા રૂ. 1,501 કરોડનું માતબર બજેટ રજૂ કર્યું આગામી વર્ષ 2026-27 નું બજેટ કમિશનર તરફથી સ્ટેન્ડિંગ કમિટીમાં આપવામાં આવ્યું છે.

ભાવનગર મહાનગર પાલિકાનું બજેટ રૂ. 2 હજાર કરોડની આસપાસ રહેશે.જૂનાગઢ મનપાનું 1491.73 કરોડનું બજેટ મંજૂર. રૂા.6 કરોડનો કરબોજ.જાન્યુઆરી 2025થી બીજી 9 મ્યુનિસિપલ કોર્પોરેશન મહેસાણા, ગાંધીધામ, વાપી, નવસારી, આણંદ, સુરેન્દ્રનગર, નડિયાદ, મોરબી અને પોરબંદરને દરજ્જો અપાયો છે.નવસારી મનપાનું રૂ. 1100 કરોડ નક્કી કરાશે.9 મહાનરગરના બજેટ જાહેર થયા નથી. દરેકના સરેરાશ રૂ. 1 હજાર કરોડ ગણવામાં આવે તો તે 10 હજાર કરોડ આસપાસ રહેશે.

■2021માં શહેરોની વસ્તીનો અંદાજ અને શહેરોનો ચો.કી. વિસ્તાર નીચે મુજબ છે.

■અમદાવાદ – 530 ચો.કી વિસ્તાર અને વસ્તી 82,53,000

■ સુરત – 461.6 ચો.કી વિસ્તાર અને 74,90,000 વસ્તી
■વડોદરા – 220.33 – 22,33,000
■રાજકોટ – 170 – 19,34,000
■ભાવનગર – 108.27 – 7,71,000
■જામનગર – 125.67 – 6,23,000
■જૂનાગઢ – 160 – 4,15,000
■ગાંધીનગર – 326 – 4,10,000
■આણંદ – 47.89 – 3,74,000
■નવસારી – 43.71 – 3,67,000
■સુરેન્દ્રનગર – 58.6 – 3,29,000
■મોરબી – 46.58 – 3,27,000
■ગાંધીધામ – 63.49 – 3,22,000
■નડિયાદ – 78.55 – 2,92,000
■ભરૂચ – 43.8 – 2,90,000
■પાટણ – 43.89 – 2,83,000
■પોરબંદર – 38.43 – 2,82,000
■મહેસાણા – 31.08 – 2,47,000
■ભુજ – 56 – 2,44,000
■વેરાવળ – 39.95 – 2,41,000
■વાપી – 22.44 – 2,23,000
■વલસાડ – 24.1 – 2,21,000
■ગોધરા – 20.16 – 2,11,000
■પાલનપુર – 39.5 – 1,82,000
■હિંમતનગર – 21.01 – 1,81,000
■કલોલ – 25.42 – 1,74,000
■બોટાદ – 10.36 – 1,69,000
■અમરેલી – 65 – 1,53,000
■ગોંડલ – 74.48 – 1,45,000
■જેતપુર – 23.27 – 1,53,000
■ડીસા – 20.08 – 1,11,160
કૂલ – 3,037 – 2,76,50,000.

ગુજરાતના મુખ્ય શહેરોની વસ્તીમાં 2011ની સરખામણીમાં મોટો વધારો થયો છે.આમ, અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા મહાનગરો વિસ્તરણ સાથે લાખોની વસ્તીનો અંદાજ છે.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

  • Related Posts

    Mehsana Congress Leaders Suspended: બીજા સામે લડવાના બદલે અંદરોઅંદર લડીને જ પતી જશે કોંગ્રેસ, ૩૩ દિગ્ગજ નેતાઓ સસ્પેન્ડ
    • May 30, 2026

    Mehsana Congress Leaders Suspended: ગુજરાતમાં સત્તા મેળવવાના ફાંફા મારતી કોંગ્રેસમાં આંતરિક જૂથબંધી અને પદ માટેની લડાઈ અટકવાનું નામ નથી લઈ રહી. મહેસાણા જિલ્લા કોંગ્રેસમાં ફાટી નીકળેલા તીવ્ર આંતરિક વિખવાદ બાદ…

    Continue reading
    Khushboo Gujarat Ki Campaign: પ્રજાના ખર્ચે પીએમ મોદીનું પર્સનલ માર્કેટિંગ! ‘ખુશબુ ગુજરાત કી’ ના ઓથા હેઠળ દિલ્હીની સત્તા મેળવવાનો અસલી ખેલ ખુલ્લો પડ્યો
    • May 30, 2026

    Khushboo Gujarat Ki Campaign: વર્ષ ૨૦૧૪માં દિલ્હીની સત્તા મેળવવા માટે નરેન્દ્ર મોદીએ વર્ષો પહેલાંથી જ ગુજરાતની તિજોરીના ભોગે પર્સનલ માર્કેટિંગનો આખો ખેલ ઘડી કાઢ્યો હતો. ૧૮ ઓગસ્ટ ૨૦૧૦ના રોજ ગાંધી…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Delhi Gymkhana Club: જિમખાના ક્લબ તો માત્ર બહાનું છે, અસલી મકસદ અબજોપતિ મિત્રો માટે દેશ લૂંટવાનો કાળો ધંધો છુપાવવાનો છે!

    • May 30, 2026
    • 4 views
    Delhi Gymkhana Club: જિમખાના ક્લબ તો માત્ર બહાનું છે, અસલી મકસદ અબજોપતિ મિત્રો માટે દેશ લૂંટવાનો કાળો ધંધો છુપાવવાનો છે!

    Kutch Border Security Failure: પાકિસ્તાન સાથેની સરહદ ખરેખર સુરક્ષીત છે?

    • May 30, 2026
    • 6 views
    Kutch Border Security Failure: પાકિસ્તાન સાથેની સરહદ ખરેખર સુરક્ષીત છે?

    Kuno Cheetah Tranquilization Report: ‘પ્રોજેક્ટ ચીતા’ ના નામે બે વર્ષમાં ૧૧૦ વાર અબોલ જીવોને કરાયા બેહોશ

    • May 30, 2026
    • 7 views
    Kuno Cheetah Tranquilization Report: ‘પ્રોજેક્ટ ચીતા’ ના નામે બે વર્ષમાં ૧૧૦ વાર અબોલ જીવોને કરાયા બેહોશ

    Telangana Mujahid Alam Khan Arrested: હૈદરાબાદમાં વક્ફ બોર્ડના વકીલની કરપીણ હત્યા, તેલંગાણા કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ મુજાહિદ આલમ ખાન અને તેમના પિતાની ધરપકડ

    • May 30, 2026
    • 9 views
    Telangana Mujahid Alam Khan Arrested: હૈદરાબાદમાં વક્ફ બોર્ડના વકીલની કરપીણ હત્યા, તેલંગાણા કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ મુજાહિદ આલમ ખાન અને તેમના પિતાની ધરપકડ

    India Pushback Policy: બંદૂકની અણીએ બંગાળી મુસ્લિમોને ‘બેવતન’ કરવાનો ખેલ! કાયદાના ઓથા હેઠળ ભારતમાં હિન્દુત્વ શાસકોનો ‘નૈતિક નરસંહાર’

    • May 30, 2026
    • 6 views
    India Pushback Policy: બંદૂકની અણીએ બંગાળી મુસ્લિમોને ‘બેવતન’ કરવાનો ખેલ! કાયદાના ઓથા હેઠળ ભારતમાં હિન્દુત્વ શાસકોનો ‘નૈતિક નરસંહાર’

    Fuel Price Hike: ગાડીઓમાં ફ્લેક્સ એન્જિન નથી, છતાં કેટલાકના પારિવારિક બિઝનેસ માટે દેશને ઇથેનોલના કૂવામાં ધકેલાયો!

    • May 30, 2026
    • 7 views
    Fuel Price Hike: ગાડીઓમાં ફ્લેક્સ એન્જિન નથી, છતાં કેટલાકના પારિવારિક બિઝનેસ માટે દેશને ઇથેનોલના કૂવામાં ધકેલાયો!