
RSS: ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ એક મોટું નિવેદન આપ્યું છે.85 વર્ષીય વાઘેલાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે જો તેઓ (અમે) ભાજપમાં હોત, તો કદાચ નરેન્દ્ર મોદી આગળ વદયા ન હોત. વાઘેલાએ કહેવાનો મતલબ એ છે કે કદાચ તેઓ મુખ્યમંત્રી અને પછી વડા પ્રધાન ન બન્યા હોત.
શંકરસિંહ વાઘેલાએ ૧૯૯૫માં ભાજપ સામે બળવો કર્યો હતો. તેમણે 47 ધારાસભ્યો સાથે અલગ જૂથ ઉભું કરી કોંગ્રેસના સમર્થનથી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા.વાઘેલા ગુજરાતના તે નેતાઓમાંના એક છે જેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સાથે જાહેર જીવનની શરૂઆત કરી હતી. આ પછી, તેમણે ગુજરાતમાં ભાજપને મજબૂત બનાવવામાં યોગદાન આપ્યું હતું.
શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે તેઓ સ્વાભિમાની છે તેથી સેલ્ફ રીસ્પેક્ટ સાથે બાંધછોડ કરતા નથી, તેઓ કહે છે કે તેઓ રાજકારણમાં આવવા માટે પોતાની સંપત્તિ ગીરવે મૂકવાવાળા નથી. વાઘેલા દાવો કરે છે કે તેમને કંઈ જોઈતું નથી. તેઓ કહી રહ્યા છે કે તેઓ જાહેર જીવનમાં પોતાના માટે પ્રવેશ્યા નથી. તેઓ ખરેખર સામાન્ય લોકો માટે જાહેર જીવનમાં પ્રવેશ્યા છે. બીજા પ્રશ્નનો ઉલ્લેખ કરતા, વાઘેલાએ આગળ કહ્યું, “અને તેઓ જે બન્યા, તમે સાચા છો. જો આપણે ભાજપમાં હોત, તો નરેન્દ્રભાઈનો માર્ગ આજે જે રીતે આગળ વધ્યો છે તે રીતે આગળ વધ્યો ન હોત.” શંકરસિંહ વાઘેલા કહે છે કે તેઓ રાજપૂત- ક્ષત્રિય છે,જેથી તેઓ ખોટી રીતે સમાધાન કરી શકતા નથી કારણકે અમારું ડીએનએ એમ કરતા રોકે છે.
વાઘેલા કહે છે કે તેઓ તે ઇચ્છતા નથી, ભલે તેમને પૃથ્વી પર સ્વર્ગ મળે.વાઘેલાએ પોતાના મુખ્યમંત્રી બનવા અને કોંગ્રેસના સમર્થન વિશે પણ વાત કરી. તેમણે કહ્યું કે સરકાર બનાવવાનો કોઈ ઉદ્દેશ્ય નહોતો, પણ કોઈ પણ ધારાસભ્ય પાંચ વર્ષ પહેલાં ઘરે પાછા ફરવા માંગતા ન હતા. તેથી, તેઓ મુખ્યમંત્રી બન્યા અને સરકાર બની. ધારાસભ્યોના દબાણને કારણે આ બન્યું. નોંધનીય છે કે શંકરસિંહ વાઘેલા એ વ્યક્તિ છે જેમણે ગુજરાતના રાજકારણમાં છેલ્લા બળવાનું નેતૃત્વ કર્યું હતું. છેલ્લા કેટલાક વર્ષોમાં, તેઓ પીએમ મોદી અને ગુજરાત મોડેલના ટીકાકાર તરીકે ઉભરી આવ્યા છે. વાઘેલાએ ગુજરાતમાં દારૂબંધીને પણ પોકળ ગણાવી છે. તેમનું કહેવું છે કે ગાંધી અને સરદારના નામે દારૂબંધીના કાયદા હવે લાગુ ન કરવા જોઈએ.
૨૧ જુલાઈ, ૧૯૪૦ ના રોજ જન્મેલા વાઘેલાએ રાજકારણમાં લાંબી ઇનિંગ્સ રમી છે. માનવામાં આવે છે કે તેમના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સારા અંગત સંબંધો છે. આનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે જ્યારે ડિસેમ્બર ૨૦૨૨ માં પીએમ મોદીના માતા હીરાબાનું અવસાન થયું ત્યારે શંકરસિંહ વાઘેલા પીએમ મોદી સાથે તેમના અંતિમ સંસ્કારમાં હાજર હતા. વાઘેલાને ગુજરાતના રાજકારણમાં બાપુ તરીકે ઓળખવામાં આવે છે. જનસંઘ પછી, વાઘેલાએ જનતા પાર્ટી અને પછી ભાજપમાં સેવા આપી. તેમણે કોંગ્રેસ પાર્ટીમાં રહીને પણ રાજકારણ રમ્યું. એટલું જ નહીં, તેમણે બે વાર પોતાની પાર્ટી પણ બનાવી. પીએમ મોદી મુખ્યમંત્રી બન્યા તે પહેલાં, વાઘેલાએ ૨૩ ઓક્ટોબર, ૧૯૯૬ થી ૨૭ ઓક્ટોબર, ૧૯૯૭ સુધી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી.
આ પણ વાંચો:
Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા







