
BJP: આદિવાસી સમાજ માટે લડત ચલાવનાર પ્રફુલ વસાવા (Praful Vasava) હવે ભાજપમાં જોડાઈ ગયા છે ત્યારે શું હવે તેઓની ભીલિસ્તાન માંગણી ઉપર પૂર્ણ વિરામ મુકાઈ ગયું?
મહત્વનું છે કે પ્રફુલ વસાવા લાંબા સમયથી ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્ય પ્રદેશના આદિવાસી વિસ્તારોને જોડીને એક અલગ ‘ભિલિસ્તાન’ રાજ્ય બનાવવાની માંગણી કરતા રહ્યા છે,તેમની આ માંગણી પાછળના મુખ્ય મુદ્દાઓમાં તેઓના મતે આદિવાસીઓની સંસ્કૃતિ અને જળ, જમીન તથા જંગલના અધિકારોના રક્ષણ માટે અલગ રાજ્ય હોવું જરૂરી છે.
રાજકીય લડતની વાત કરવામાં આવેતો પ્રફુલ વસાવાએ આ મુદ્દે અનેક આંદોલનો કર્યા છે અને સોશિયલ મીડિયા તેમજ જાહેર સભાઓ દ્વારા આ માગણીને વેગ આપ્યો છે,અગાઉ તેઓ ભારતીય ટ્રાઈબલ પાર્ટી (BTP) સાથે જોડાયેલા હતા, જે પક્ષનો પણ મુખ્ય એજન્ડા ભિલિસ્તાન રહ્યો હતો. પાછળથી તેમણે પક્ષ છોડ્યો હતો પરંતુ વિચારધારા યથાવત રાખી છે.
વર્તમાન સમયમાં પણ જ્યારે જ્યારે આદિવાસી વિસ્તારોમાં કોઈ મોટા પ્રોજેક્ટ્સનું કામ થાય ત્યારે તેઓ વિરોધ કરે છે(જેમ કે સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રોજેક્ટ્સ અથવા ડેમ) સામે પણ વિરોધ થયો હતો ત્યારે પ્રફુલ વસાવા ભિલિસ્તાનનો મુદ્દો ઉઠાવતા રહે છે.
આવા સમયે પ્રફુલ વસાવા હવે જ્યારે ભાજપમાં જોડાયા છે ત્યારે તેઓ વર્ષો જુનું સપનું ભૂલી જશે કે પછી આગળની રણનીતિ શુ હશે તેતો સમયજ કહેશે.આ મુદ્દા ઉપર વરિષ્ઠ પત્રકાર દિલીપ પટેલે વધુ વિગતો સાથે વિશ્લેષણ કર્યું છે જે જોવાનું ચૂકશો નહી.
પ્રસ્તુત છે વિડીયો.








