Modi: નરેન્દ્ર મોદીના ‘સદભાવના મિશન’ હેઠળ કરોડોનો ફાલતુ ખર્ચ કરવામાં આવ્યો હતો જનતાના નાણાંનો દુરુ પયોગ કરવાનો આ મામલો ભારે ચર્ચાસ્પદ બન્યો હતો જેમાં મોદીજીએ વિકાસના મોટા મોટા વચનો આપ્યા હતા પણ થયા ન હતા.ગુજરાત સરકાર દ્વારા ૨૦૧૨માં વિધાનસભામાં આપવામાં આવેલી માહિતી મુજબ, રાજ્યના ૩૩ સ્થળોએ યોજાયેલા સદભાવના ઉપવાસ પાછળ અંદાજે ₹૧૬૦ કરોડ (અથવા તેનાથી વધુ) નો ખર્ચ થયો હોવાના અહેવાલો હતા.
આ ખર્ચમાં સૌથી વધુ ખર્ચ અમદાવાદ અને સુરત જેવા મોટા શહેરોમાં થયેલા કાર્યક્રમોમાં નોંધાયો હતો. એક અહેવાલ મુજબ, અમદાવાદમાં ત્રણ દિવસના ઉપવાસ પાછળ જ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.આ રકમનો ઉપયોગ સ્ટેજ બનાવવા, સુરક્ષા વ્યવસ્થા, પ્રચાર-પ્રસાર, શામિયાણા અને અન્ય વહીવટી જરૂરિયાતો માટે કરવામાં આવ્યો હતો.
વિરોધ પક્ષોએ તે સમયે આટલા મોટા ખર્ચને ‘સરકારી નાણાંનો દુરુપયોગ’ ગણાવીને ટીકા કરી હતી, જ્યારે સરકારે તેને શાંતિ અને ભાઈચારો ફેલાવવાનું એક મિશન ગણાવ્યું હતું.આ મુદે સિનિયર પત્રકાર દિલીપ પટેલે જણાવ્યું હતું કે અહી સૌથી મોટી વાત નરેન્દ્ર મોદીનું રૂ.40 હજાર કરોડનું મહા જુઠાણું પકડાયું છે જે મોદીનું મોટું ગપ્પુ સાબિત થયું છે અને ઉપરથી કાર્યક્રમોના ખર્ચ પેટે રૂ.160 કરોડનો ખર્ચ કરી જનતાના નાણાંનો વેડફાટ કર્યો તે જુદો.આ મુદા ઉપર વરીષ્ઠ પત્રકાર દિલીપ પટેલે કરેલું વિશ્લેષણ જોવાનું ચૂકશો નહિ,જુઓ વિડીયો.
આ પણ વાંચો:
OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!







