
Bhavnagar News: ઉત્તર પ્રદેશમાં યોગી સરકારે ગુનેગારોના મકાનો ઉપર બુલડોઝર ફેરવવાની કરેલી પહેલ બાદ હવે ગુજરાતમાં પણ ભુપેન્દ્ર પટેલની સરકારે રાજ્યમાં ગુનેગારોના ઘરો તોડવાનું અભિયાન ચલાવ્યું છે જેમાં અત્યારસુધીમાં અલગ અલગ શહેરોમાં આ પ્રકારની કાર્યવાહી અગાઉ થઈ ચૂકી છે ત્યારે હવે ભાવનગર શહેરમાં પણ ગુનેગારોના મકાનો ઉપર બુલડોઝર ફરી વળ્યાં છે.
ભાવનગર SP નિતેશ પાંડેએ ગુનેગારો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે અને આજે 23 માર્ચની સવારથી અસામાજિક ગુનેગારોના મકાનોનું મકાનો તોડવાનું શરૂ કરવામાં આવ્યું છે, ભાવનગરના આડોડીયા વિસ્તારમાં ગુનેગારોના રહેણાંક મકાનોને તોડવાના શરૂ કરવામાં આવ્યા છે. આ કામગીરી દરમિયાન સિટી DYSP, LCB, ઘોઘારોડ, બોરતળાવ અને ગંગાજળિયા પોલીસ સહિત 200થી વધુ પોલીસ જવાનોનો કાફલો ખડકી દેવાયો છે.
સ્થળ ઉપર ચાર બુલડોઝર દ્વારા ડિમોલિશન કામગીરી શરૂ કરવામાં આવી છે, જેમાં કોર્પોરેશન, પીજીવીસીએલ અને ફાયર વિભાગનો સ્ટાફ પણ જોડાયો છે, બીજી તરફ પોતાના મકાનો તૂટતા જોઈને મહિલાઓમાં રોકકળ મચી હતી, ગુનેગારોના મકાનો તોડવાની કામગીરી શરૂ થતાં અન્ય ગુનેગારોમાં પણ ફફડાટ જોવા મળ્યો હતો.
આ પણ વાંચો:
OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!







