
Gujarat Politics: ગુજરાતમાં 2026ની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો ધમધમાટ જોવા મળી રહ્યો છે અને ભાજપમાં ભ્રષ્ટાચાર વધતા હવે પાર્ટીની ઇમેજ બદલવા જાણે બધું ઉપરથી નીચે સુધી ચહેરા બદલવાનું શરૂ થયું હોય તેમ 50 ટકા કરતા વધુ નવા ફ્રેશ અને યંગ ચહેરાઓને પાર્ટીએ ટીકીટ આપતા હવે જૂના જાણીતા ચહેરાઓએ માત્ર પાર્ટીને સપોર્ટ કરી કાર્યકર તરીકે સેવા કરવાનો અવસર પ્રાપ્ત થવાનો છે ભારતીય જનતા પાર્ટીએ (BJP) તેની રણનીતિ બદલાવી પડી છે અને સેન્સ પ્રક્રિયા દરમ્યાન બધા પાસા વિચારીને ઉમેદવારોની પસંદગી કર્યા બાદ યાદી જાહેર કરી છે.
વિગતો મુજબ ભાજપે 15 મહાનગરપાલિકા,નગરપાલિકા અને પંચાયતોની ચૂંટણી માટે આશરે 9,500 ઉમેદવારો જાહેર કર્યા છે પાર્ટીએ આક્રમક રીતે ‘નો-રિપીટ’ પોલિસી લાગુ કરી છે, જેના કારણે લગભગ 80% વર્તમાન કોર્પોરેટરો અને દિગ્ગજોની ટિકિટ કપાઈ છે અમદાવાદના મેયર પ્રતિભા જૈન, ડેપ્યુટી મેયર જતિન પટેલ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જેવા મોટા ચહેરાઓને આ વખતે ટિકિટ આપવામાં આવી નથી.
ભાજપે આ વખતે રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં નવા અને યુવા ચહેરાઓને પ્રાધાન્ય આપ્યું છે, ઉદાહરણ તરીકે વડોદરામાં 76 માંથી 60 નવા ચહેરાઓને ટીકીટ આપવામાં આવી છે ભાજપે 60 વર્ષથી વધુ ઉંમરના, ત્રણ ટર્મ પૂરી કરનાર અથવા પરિવારવાદમાં આવતા નેતાઓને ટિકિટ ન આપવાના કડક નિયમોનું પણ આ વખતે પાલન કર્યું છે મહત્વનું છે કે આગામી તા.26 એપ્રિલ 2026 ના રોજ મતદાન યોજાશે અને 28 એપ્રિલ ના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે.
આમ,રાજ્યમાં આમ આદમી પાર્ટીનું કદ વધતું જતા અને ગોપાલ ભાઈ ઈટાલીયા રોજ સોશ્યલ મીડિયામાં ભાજપની કોઈને કોઈ પોલ ખોલતા હોય જ્યારે કોંગ્રેસના જીગ્નેશ મેવાણી પણ સટીક પોઈન્ટ પકડી પોલ ખોલી રહયા હોય ભાજપની છબી ખરડાઈ છે ત્યારે જનતામાં સારો મેસેજ આપવા ભાજપે રણનીતિ બદલી નાખી છે અને નવા ઉત્સાહી ચહેરાઓને સામેલ કરી ઇમેજ સુધારવાનો પ્રયાસ કર્યો છે.
આ પણ વાંચો:
OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!









