
BJP: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓ દરમ્યાન લોકશાહી મૂલ્યોનું હનન થયું તેની સામે ભારે વિરોધ વંટોળ ઉઠ્યો છે ત્યારે આ અંગે સિનિયર પત્રકાર દિલીપ પટેલ જણાવે છે કે ભાજપના વર્તમાન નેતાઓએ લોકશાહીનું હનન કરી નાખ્યું હોવાના દેશભરમાં આક્ષેપ લાગી રહયા છે અગાઉ અટલ બિહારી વાજપેયી,અડવાણી,મુરલી મનોહર જોશી અને ગુજરાતની વાત કરવામાં આવેતો કેશુભાઈ પટેલ,કાશીરામ રાણા,સુરેશ મહેતા, એ.કે પટેલ,રાજેન્દ્ર સિંહ રાણા,સૂર્યકાન્ત આચાર્ય જેવા પાયાના નેતાઓએ ભાજપમાં જીવ રેડી લોકોનો વિશ્વાસ જીત્યો હતો અને તેઓના નેતૃત્વમાં ભાજપે લોકોના દિલ જીત્યા હતા પણ જયારથી 2001 નરેન્દ્ર મોદીએ સુકાન સાંભળ્યું ત્યારથી ભાજપની આખી સિસ્ટમ બદલી નાખી નરેન્દ્ર મોદીએ 7 ઓક્ટોબર 2001 ના રોજ પહેલીવાર ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રાજ્યનું સુકાન સંભાળ્યું ત્યારબાદ એક પછી એક લોકશાહીના પાયા ખતમ કર્યાના આરોપ લાગ્યા છે આજે ચૂંટણી પદ્ધતિ જ બદલાઈ ગઈ છે.
વિપક્ષનો આરોપ છે કે ભાજપ સત્તા અને પોલીસનો ઉપયોગ કરીને તેમના ઉમેદવારોને ડરાવી-ધમકાવી રહી છે અથવા બળજબરીપૂર્વક ફોર્મ ખેંચાવી ચૂંટણી વગરજ ખુરશી કબ્જે કરી લીધી છે જેમાં જનતાના અધિકાર એવા મતદાનનો વિકલ્પ જ નહીં બચતા લોકશાહીનું હનન થયું હોવાનું સામે આવી રહ્યું છે.
આ મુદ્દા ઉપર વરિષ્ઠ પત્રકાર દિલીપ પટેલે વિસ્તૃત છણાવટ કરી છે,જુઓ વિડીયો.
આ પણ વાંચો:
OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!








