
Ahmedabad: અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓ છે ત્યારે લોકોમાં ચૂંટણી માટે મત માંગવા આવતા નેતાઓ સામે નારાજગીનો માહોલ જોવા મળી રહ્યો છે.લોકોમાં પાયાની સુવિધાઓ અને સ્થાનિક પ્રશ્નોના નિરાકરણ ન આવવાને કારણે જનતામાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. પ્રચારમાં નીકળેલા ઉમેદવારોએ જનતાના સવાલોના સામનો કરવો પડી રહ્યો છે ત્યારે બીજાની ક્યાં વાત કરવી ખુદ અમદાવાદમાં સૌથી વધારે મતથી ચૂંટાયેલા ભાજપના પૂર્વ કાઉન્સલર ડો, ક્રિશ્ના ઠાકરના પતિ અને સામાજિક અગ્રણી પ્રફુલ્લ ઠાકરે ભાજપની પોલ ખોલી છે અને રસ્તા તોડી નાખી પબ્લિકને મુસીબતમાં મૂકી દીધી હોવાની વાત કરી હતી અને પોતાનો રોષ ઠાલવ્યો હતો.
ભાજપના પ્રદેશ પ્રમુખ અને નિકોલના ધારાસભ્ય જગદીશ વિશ્વકર્માના વિસ્તારમાં વિકાસ કાર્યોમાં 25 ટકા કમિશનની માગણીના આક્ષેપો અને તેને પગલે કોન્ટ્રાક્ટર દ્વારા કામ અટકાવી દેવાની ઘટના સામે આવી છે, જે ચૂંટણી ઢંઢેરાના દાવાઓની પોલ ખોલે છે.એક તરફ ભાજપ દ્વારા વિકાસ અને ગુણવત્તાયુક્ત રસ્તાઓના દાવા કરવામાં આવે છે, બીજી તરફ કમિશનખોરીના કારણે કામો અટકતા સ્થાનિકોને ભારે મુશ્કેલી પડી રહી છે અમદાવાદમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ભાજપના પ્રચાર અભિયાન દરમિયાન કેટલાક વિસ્તારોમાં જનતાનો આક્રોશ અને વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે સામાજિક અગ્રણી પ્રફુલ્લ ઠાકરે શુ કહ્યું તે જોવા જુઓ આ વિડીયો.
આ પણ વાંચો:
OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!








