Narendra Modi: કૉંગ્રેસે બનાવેલી રિફાઇનરીનું PM મોદી આજે ઉદ્ઘાટન કરે તે પહેલાંજ તે સળગી ઉઠી! તપાસના આદેશ.

Narendra Modi: રાજસ્થાનમાં આજે તા.21મી એપ્રિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેનું ઉદ્ઘાટન કરવાના હતા તે બાડમેર નજીક બાલોત્રામાં આવેલી હિન્દુસ્તાન પેટ્રોલિયમ લિમિટેડ (HPCL) રિફાઇનરીમાં આગ લાગતા ભારે નાસભાગ મચી હતી હવે આ આગ લાગવાના કારણે આજે તા. 21 એપ્રિલ 2026 ના રોજ વડાપ્રધાન મોદીના હસ્તે થનારું રિફાઇનરીનું ઉદ્ઘાટન મોકૂફ રાખવામાં આવ્યું છે અને પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા નવી તારીખની જાહેરાત આગામી સમયમાં કરવામાં આવશે.

યુનિટમાંથી ધુમાડો નીકળતો જોઈ કર્મચારીઓએ ફાયર સેફ્ટી સિસ્ટમ સક્રિય કરી દેતા સમયસર તમામ બહાર નીકળી ગયા અને રિફાઇનરીની ઇમરજન્સી ટીમો તેમજ ફાયર બ્રિગેડની ટીમે બે થી ત્રણ કલાકમાં આગને કાબુમાં લીધી હતી આશરે ₹79,459 કરોડના ખર્ચે બનેલી આ રિફાઇનરી HPCL તથા રાજસ્થાન સરકારનો સંયુક્ત સાહસ પ્રોજેક્ટ છે જેનું મોદી ઉદ્ઘાટન કરે તે પહેલાજ તેમાં આગ લાગી ગઈ હતી.

આગ લાગતાની સાથે જ સમગ્ર વિસ્તાર ખાલી કરાવી લેવામાં આવ્યો હતો,સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી જોકે,પીએમ મોદીની સભા આગ લાગવાના સ્થળથી માત્ર 800 મીટર દૂર યોજાવાની છે ત્યારે સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરી દેવાઈ છે મુખ્યમંત્રી ભજન લાલ શર્માએ ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે.

પ્રાથમિક તપાસ મુજબ, હીટ એક્સચેન્જર સર્કિટમાં વાલ્વ અથવા ફ્લેંજમાંથી હાઇડ્રોકાર્બન લીક થવાને કારણે આગ લાગી હોવાનું મનાય છે. સત્તાવાળાઓએ આ મામલે સત્તાવાર તપાસના આદેશ આપ્યા છે આ ઘટના બાદ વિપક્ષના નેતા ટીકારામ જુલીનું નિવેદન સામે આવ્યું છે તેઓએ કહ્યું કે “આ એક અકસ્માત નહી,પણ સરકારની ગંભીર બેદરકારીનું પરિણામ છે. આ ઘટનાની સંપૂર્ણ તપાસ થવી જોઈએ.” બાલોત્રામાં પચપદ્રા રિફાઇનરીમાં લાગેલી આગ અત્યંત ગંભીર અને ચિંતાજનક છે.

કોંગ્રેસ પાર્ટી દ્વારા બનાવવામાં આવેલી આ રિફાઇનરીનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉદ્ઘાટન કરે તે પહેલાં બનેલી આ ઘટના સરકારની ઉતાવળભરી વ્યવસ્થાઓ સામે ગંભીર સવાલો ઉભા કરે છે તેમ તેઓએ જણાવ્યું હતું.

આ પણ વાંચો:

Japan: જાપાને હવામાંથી ‘એર પેટ્રોલ’ની શોધ કરી લીધી! છતાં આ ડ્રિમ પ્રોજેક્ટ કેમ પડતો મુકયો ? જાણો

Narendra Modi: “હાર કર ભી જીતને વાલે કો હી બાઝીગર કહેતે હૈ!” મહિલા અનામતનો મુદ્દો હવે દરેક ચુંટણીઓમાં ગુંજતો રહશે!

CIA: અમેરિકાના વૈજ્ઞાનિકોનું શુ થયું? ભારતના બે વૈજ્ઞાનિકોની થિયરી કઈક આવીજ હતી! CIAનો તેમાં હાથ હતો? જાણો

Set featured image

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Gujarat Politics: કેન્દ્રીય નેતાઓની ગેરહાજરીમાં સ્થાનિક નેતાઓએ ગુજરાતનો ગઢ સાચવવો પડશે! ખરો ટેસ્ટ શરૂ!
  • April 20, 2026

Gujarat Politics:  દેશમાં કેરળ, આસામ, પુડુચેરી, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં વિધાનસભાની ચૂંટણીઓ હોવાથી કેન્દ્રીય નેતાઓ ગુજરાત આવ્યા નથી અને એટલે જ વિધાનસભાની સેમિફાઇનલ સમાન ગણાતી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતવા સ્થાનિક…

Continue reading
Fake Toll Collection: રાજ્યમાં નકલી કોર્ટ, નકલી સરકારી કચેરી બાદ હવે નકલી ટોલનાકુ ઝડપાયું! લાખ્ખો રૂપિયા ઉઘરાવ્યા!
  • April 20, 2026

Fake Toll Collection: રાજ્યમાં નકલી કોર્ટ,નકલી ઉચ્ચ અધિકારીઓ,નકલી સરકારી કચેરીઓ,વગરે અગાઉ ઘણુંબધું સામે આવી ચૂક્યું છે ત્યારે હવે જાગૃત નાગરિકોની મદદથી નકલી ટોલનાકુ પકડાયું છે કામરેજના ચોર્યાસી ગામ સીમ હદમાં…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Social Media: રાજ્યમાં સોશ્યલ મીડિયામાં નેતાઓ છવાયા! છુપા ખર્ચ મામલે ઉઠ્યા સવાલ

  • April 21, 2026
  • 2 views
Social Media: રાજ્યમાં સોશ્યલ મીડિયામાં નેતાઓ છવાયા! છુપા ખર્ચ મામલે ઉઠ્યા સવાલ

PM Modi: “ડુંગળી ખાઈએ છીએ,બસ મગજ નથી ખાતા!” PM મોદીએ આવુ કેમ કહ્યું? જુઓ ખાસ વિશ્લેષણ

  • April 21, 2026
  • 2 views
PM Modi: “ડુંગળી ખાઈએ છીએ,બસ મગજ નથી ખાતા!” PM મોદીએ આવુ કેમ કહ્યું? જુઓ ખાસ વિશ્લેષણ

IRGC: શુ ઈરાનમાં બળવો થયો? મેજર વાહિદીના હાથમાં નેતૃત્વ છે? IRGC યુદ્ધ વિરામના પક્ષમાં કેમ નથી? શુ હવે ઈરાને આરપાર લડી લેશે? વાંચો

  • April 21, 2026
  • 3 views
IRGC: શુ ઈરાનમાં બળવો થયો? મેજર વાહિદીના હાથમાં નેતૃત્વ છે? IRGC યુદ્ધ વિરામના પક્ષમાં કેમ નથી? શુ હવે ઈરાને આરપાર લડી લેશે? વાંચો

Politics: પ્રજાનું ભલું થયું કે નહીં તે બે નંબરની વાત છે પણ નેતાઓ કરોડપતિ જરૂર થઈ ગયા! સોગંદનામાએ વટાણા વેરી નાખ્યા!

  • April 21, 2026
  • 7 views
Politics: પ્રજાનું ભલું થયું કે નહીં તે બે નંબરની વાત છે પણ નેતાઓ કરોડપતિ જરૂર થઈ ગયા! સોગંદનામાએ વટાણા વેરી નાખ્યા!

Narendra Modi: કૉંગ્રેસે બનાવેલી રિફાઇનરીનું PM મોદી આજે ઉદ્ઘાટન કરે તે પહેલાંજ તે સળગી ઉઠી! તપાસના આદેશ.

  • April 21, 2026
  • 5 views
Narendra Modi: કૉંગ્રેસે બનાવેલી રિફાઇનરીનું PM મોદી આજે ઉદ્ઘાટન કરે તે પહેલાંજ તે સળગી ઉઠી! તપાસના આદેશ.

Election: લોકશાહીના પર્વ સમાન ચુંટણીઓને નેતાઓએ મજાક બનાવી દીધી! કાળા નાણાંનો ધૂમ વપરાશ! જુઓ ચોંકાવનારો અહેવાલ

  • April 20, 2026
  • 7 views
Election: લોકશાહીના પર્વ સમાન ચુંટણીઓને નેતાઓએ મજાક બનાવી દીધી! કાળા નાણાંનો ધૂમ વપરાશ! જુઓ ચોંકાવનારો અહેવાલ