Gujarat Politics: કેન્દ્રીય નેતાઓની ગેરહાજરીમાં સ્થાનિક નેતાઓએ ગુજરાતનો ગઢ સાચવવો પડશે! ખરો ટેસ્ટ શરૂ!

Gujarat Politics:  દેશમાં કેરળ, આસામ, પુડુચેરી, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં વિધાનસભાની ચૂંટણીઓ હોવાથી કેન્દ્રીય નેતાઓ ગુજરાત આવ્યા નથી અને એટલે જ વિધાનસભાની સેમિફાઇનલ સમાન ગણાતી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતવા સ્થાનિક મંત્રીઓ, ભાજપના પ્રદેશ નેતા અને કાર્યકરોને ગુજરાતમાં જ રહેવા સૂચના આપી ગુજરાતનો ગઢ સાચવી લેવાની તાકીદ કરી છે દેશના પાંચેય રાજ્યમાં પ્રચાર માટે ગુજરાતી નેતાઓને એટલેજ બોલાવ્યા નથી આ પાંચ રાજ્યોમાં હાલ ગુજ્જુ કેન્દ્રીય નેતાઓ નરેન્દ્ર મોદી અને અમીત શાહ બાજી સંભાળી રહયા છે.

ગુજરાતમાં 15 મહાનગરપાલિકા, 34 જિલ્લા પંચાયત, 84 નગરપાલિકા અને 260 તાલુકા પંચાયતની ચૂંટણીના આડે હવે માત્ર છ દિવસ બાકી રહ્યાં છે ત્યારે
ધારાસભ્યો, સાંસદોથી માંડીને પ્રદેશ નેતાઓને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતવા એડી ચોટીનું જોર લગાવી રહયા છે જોકે,એક એવી પણ વાત ચર્ચામાં આવી છે કે આ વખતે કસોટીમાં પાર ઉતરવા 700 બેઠકો ભાજપે ચૂંટણી પહેલા મેળવી લીધા બાદ હવે ગત ટર્મ કરતા પણ સારું પરિણામ આવે તેવા પ્રયાસો ચાલુ થયા છે જે કેન્દ્રીય નેતાઓની ગેરહાજરીમાં મોટી સરપ્રાઈઝ આપવાની અને જવાબદારીમાંથી પાર ઉતરવા આંટીઘૂંટી અને ચાણક્ય નીતિ શરૂ થઈ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મતદાન માટે ગુજરાત આવવાની વાત વચ્ચે ભાજપના નેતાઓ કઈક કરી બતાવવા શામ-દામ-દંડ-ભેદની નીતિ યથાવત રાખી છે,જોકે,ચૂંટણીઓનો માહોલ જામતો નથી અને મતદારોમાં કોઈ ઉત્સાહ જોવા મળતો નથી ક્યાંક કામો થતા જ નહીં હોવાની ફરિયાદો છે અને ચૂંટણીમાં ચીટિંગ અને ડરાવવા માટે પોલીસનો ઉપયોગ જેવા આક્ષેપો અને વાયરલ વીડિયોને લઈ ભાજપની છબી ખરડાઈ રહી છે, જેથી લોકોમાં ચુંટણીઓ માટે કોઈ રસ નહિ હોવાનું જણાય રહ્યું છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને ભાજપ વિકાસના કામોને લઈને લોકો પાસે મત માંગવા માટે જઈ રહ્યા છે. પરંતુ પ્રજા ભાજપના ઉમેદવારોને પાંચ વર્ષમાં પ્રાથમિક સુવિધાના કામો નથી થયા કહીને જાહેરમાં તેમનો ઉધડો લઈ રહ્યા હોવાના દ્રશ્યો પણ સર્જાયા છે,પરિણામે,આ વખતે ગત વખતની જેમ ઓછુ મતદાન થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

હાલતો,જગદીશ પંચાલ (જગદીશ વિશ્વકર્મા) ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકે ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જવાબદારી સંભાળી રહ્યા છે તેમની સાથે ભુપેન્દ્ર પટેલ-હર્ષ સંઘવી સહિત જુના જોગીઓ હાલતો પાર્ટીના સેવક બની જનતામાં વિશ્વાસ ઉભો કરવા રાજ્યના જુદા જુદા વિસ્તારમાં મુલાકાતો કરી રહયા છે ત્યારે આખરી ચિત્ર ઉપર સૌની નજર મંડાયેલી છે.

આ પણ વાંચો:

Japan: જાપાને હવામાંથી ‘એર પેટ્રોલ’ની શોધ કરી લીધી! છતાં આ ડ્રિમ પ્રોજેક્ટ કેમ પડતો મુકયો ? જાણો

Narendra Modi: “હાર કર ભી જીતને વાલે કો હી બાઝીગર કહેતે હૈ!” મહિલા અનામતનો મુદ્દો હવે દરેક ચુંટણીઓમાં ગુંજતો રહશે!

CIA: અમેરિકાના વૈજ્ઞાનિકોનું શુ થયું? ભારતના બે વૈજ્ઞાનિકોની થિયરી કઈક આવીજ હતી! CIAનો તેમાં હાથ હતો? જાણો

Related Posts

Gujarat Congress Protest: હિંમતનગરથી ધરમપુર સુધી કોંગ્રેસનો હલ્લાબોલ, ગેસ સિલિન્ડર-બળદગાડા સાથે સરકાર સામે રોષ વ્યક્ત
  • June 12, 2026

Gujarat Congress Protest: ગુજરાતભરમાં કોંગ્રેસ પક્ષે વધતી જતી મોંઘવારી, બેરોજગારી અને પેપર લીકની ઘટનાઓ સામે સરકારને ઘેરવા માટે ‘જન આક્રોશ’નો શંખ ફૂંક્યો છે. હિંમતનગર, ચીખલી અને ધરમપુર જેવા વિવિધ વિસ્તારોમાં…

Continue reading
Borsi Shrimp Ponds Demolition: પર્યાવરણ બચાવ કે ગરીબોની રોજી પર ઘા? બોરસીના ઝીંગા તળાવો તોડી પાડતા ભારે વિવાદ!
  • June 10, 2026

Borsi Shrimp Ponds Demolition: નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના બોરસી ગામમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા ગેરકાયદેસર ઝીંગા ઉદ્યોગ પર આખરે વહીવટી તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. સરકારી જમીન પર કોઈ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gujarat Farmers Protest: વીજલાઈન અને સરકારની દાદાગીરી સામે ખેડૂતો મેદાને!

  • June 12, 2026
  • 2 views
Gujarat Farmers Protest: વીજલાઈન અને સરકારની દાદાગીરી સામે ખેડૂતો મેદાને!

NewsClick FIR Quashed: ન્યૂઝક્લિક મામલે દિલ્હી હાઈકોર્ટના નિર્ણયને પિનારાઈ વિજયને ભાજપ માટે મોટો ઝટકો ગણાવ્યો, પ્રેસની આઝાદીની જીતનો દાવો

  • June 12, 2026
  • 4 views
NewsClick FIR Quashed: ન્યૂઝક્લિક મામલે દિલ્હી હાઈકોર્ટના નિર્ણયને પિનારાઈ વિજયને ભાજપ માટે મોટો ઝટકો ગણાવ્યો, પ્રેસની આઝાદીની જીતનો દાવો

Gauri Lankesh Murder Case: ગૌરી લંકેશ કેસ: નવ વર્ષ, સાત જજ અને સત્યની શોધમાં ભટકતી ન્યાય વ્યવસ્થા!

  • June 12, 2026
  • 7 views
Gauri Lankesh Murder Case: ગૌરી લંકેશ કેસ: નવ વર્ષ, સાત જજ અને સત્યની શોધમાં ભટકતી ન્યાય વ્યવસ્થા!

UP University Anti-Conversion Cell: યુપીની યુનિવર્સિટીઓમાં ધર્માંતરણ-વિરોધી સેલનો વિવાદ!

  • June 12, 2026
  • 5 views
UP University Anti-Conversion Cell: યુપીની યુનિવર્સિટીઓમાં ધર્માંતરણ-વિરોધી સેલનો વિવાદ!

Ayodhya Ram Mandir: રામ મંદિરના દાનમાં કરોડોનો ગોટાળો? સંતો અને ભાજપના નેતાઓના જ ટ્રસ્ટ પર ગંભીર સવાલો!

  • June 12, 2026
  • 16 views
Ayodhya Ram Mandir: રામ મંદિરના દાનમાં કરોડોનો ગોટાળો? સંતો અને ભાજપના નેતાઓના જ ટ્રસ્ટ પર ગંભીર સવાલો!

Exam System Reform: પેપર લીક, ગડબડીઓ અને રાજકારણ વચ્ચે વિદ્યાર્થીઓના ભવિષ્યને બચાવવાની કસોટી

  • June 12, 2026
  • 9 views
Exam System Reform: પેપર લીક, ગડબડીઓ અને રાજકારણ વચ્ચે વિદ્યાર્થીઓના ભવિષ્યને બચાવવાની કસોટી