
Narendra Modi: રાજસ્થાનમાં આજે તા.21મી એપ્રિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેનું ઉદ્ઘાટન કરવાના હતા તે બાડમેર નજીક બાલોત્રામાં આવેલી હિન્દુસ્તાન પેટ્રોલિયમ લિમિટેડ (HPCL) રિફાઇનરીમાં આગ લાગતા ભારે નાસભાગ મચી હતી હવે આ આગ લાગવાના કારણે આજે તા. 21 એપ્રિલ 2026 ના રોજ વડાપ્રધાન મોદીના હસ્તે થનારું રિફાઇનરીનું ઉદ્ઘાટન મોકૂફ રાખવામાં આવ્યું છે અને પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા નવી તારીખની જાહેરાત આગામી સમયમાં કરવામાં આવશે.
યુનિટમાંથી ધુમાડો નીકળતો જોઈ કર્મચારીઓએ ફાયર સેફ્ટી સિસ્ટમ સક્રિય કરી દેતા સમયસર તમામ બહાર નીકળી ગયા અને રિફાઇનરીની ઇમરજન્સી ટીમો તેમજ ફાયર બ્રિગેડની ટીમે બે થી ત્રણ કલાકમાં આગને કાબુમાં લીધી હતી આશરે ₹79,459 કરોડના ખર્ચે બનેલી આ રિફાઇનરી HPCL તથા રાજસ્થાન સરકારનો સંયુક્ત સાહસ પ્રોજેક્ટ છે જેનું મોદી ઉદ્ઘાટન કરે તે પહેલાજ તેમાં આગ લાગી ગઈ હતી.
આગ લાગતાની સાથે જ સમગ્ર વિસ્તાર ખાલી કરાવી લેવામાં આવ્યો હતો,સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી જોકે,પીએમ મોદીની સભા આગ લાગવાના સ્થળથી માત્ર 800 મીટર દૂર યોજાવાની છે ત્યારે સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરી દેવાઈ છે મુખ્યમંત્રી ભજન લાલ શર્માએ ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે.
પ્રાથમિક તપાસ મુજબ, હીટ એક્સચેન્જર સર્કિટમાં વાલ્વ અથવા ફ્લેંજમાંથી હાઇડ્રોકાર્બન લીક થવાને કારણે આગ લાગી હોવાનું મનાય છે. સત્તાવાળાઓએ આ મામલે સત્તાવાર તપાસના આદેશ આપ્યા છે આ ઘટના બાદ વિપક્ષના નેતા ટીકારામ જુલીનું નિવેદન સામે આવ્યું છે તેઓએ કહ્યું કે “આ એક અકસ્માત નહી,પણ સરકારની ગંભીર બેદરકારીનું પરિણામ છે. આ ઘટનાની સંપૂર્ણ તપાસ થવી જોઈએ.” બાલોત્રામાં પચપદ્રા રિફાઇનરીમાં લાગેલી આગ અત્યંત ગંભીર અને ચિંતાજનક છે.
કોંગ્રેસ પાર્ટી દ્વારા બનાવવામાં આવેલી આ રિફાઇનરીનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉદ્ઘાટન કરે તે પહેલાં બનેલી આ ઘટના સરકારની ઉતાવળભરી વ્યવસ્થાઓ સામે ગંભીર સવાલો ઉભા કરે છે તેમ તેઓએ જણાવ્યું હતું.
આ પણ વાંચો:
Japan: જાપાને હવામાંથી ‘એર પેટ્રોલ’ની શોધ કરી લીધી! છતાં આ ડ્રિમ પ્રોજેક્ટ કેમ પડતો મુકયો ? જાણો









