
PM Modi: આજે તા. 22 એપ્રિલ, 2026 ના રોજ, જમ્મુ-કાશ્મીરના પહેલગામ આતંકી હુમલાની પ્રથમ વરસી છે 22 એપ્રિલ, 2025 ના રોજ પહેલગામની પ્રસિદ્ધ બૈસરન ઘાટી માં ફરવા આવેલા પ્રવાસીઓ પર આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો ઘટનામાં 28 જેટલા નિર્દોષ લોકોના જીવ ગયા હતા. જેમાં ગુજરાતના ભાવનગરથી પરિવાર સાથે ફરવા ગયેલા યતીશ પરમાર અને તેના પુત્ર સ્મિત પરમારનું આતંકી હુમલામાં મોત થયું હતું.
હુમલાની પ્રથમ વરસી આવતા જ ભાવનગરના કાળીયાબીડ વિસ્તારમાં રહેતા પરિવારના જખમો તાજા થયા છે.ઘટનાના એક વર્ષ બાદ પણ પરિવારના સભ્યો માનસિક આઘાતમાંથી હજુપણ બહાર આવ્યા નથી ઘટના બાદ સરકારે આર્થિક સહાય કરી હતી પરંતુ, પરિવારના સભ્યને સરકારી નોકરી આપવાનું જે વચન આપ્યું હતું તે હજી અધૂરું હોવાનું તેઓનું કહેવું છે આ સિવાય બીજી એક ઘટનામાં ભાજપના નેતા અનુરાગ ઠાકુરે કોલકાતાની મુલાકાત દરમિયાન બંગાળી માછલીની વાનગી ખાધી હોવાનો મામલો હાલ ચર્ચામાં છે.
આ તમામ મુદ્દા ઉપર સિનિયર પત્રકારો મયુર જાની અને મેહુલ વ્યાસે વિસ્તૃત ચર્ચા કરી હતી જે અત્રે પ્રસ્તુત છે,જુઓ વિડીયો.
આ પણ વાંચો:
Japan: જાપાને હવામાંથી ‘એર પેટ્રોલ’ની શોધ કરી લીધી! છતાં આ ડ્રિમ પ્રોજેક્ટ કેમ પડતો મુકયો ? જાણો








