Gosabara RDX case: 1993માં પોરબંદરના ગોસાબારમાં RDX નું લેન્ડિગ અને મુંબઈમાં થયેલો વિનાશક બોમ્બ બ્લાસ્ટ

Gosabara RDX case: 33 વર્ષ બાદ

બાબરી ધ્વંશનો બદલો લેવા માટે મુંબઈમાં સીરીયલ બોંભ બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા.

12 માર્ચ 1993માં 257 લોકો મુંબઈમાં બોંબ ધડાકામાં માર્યા ગયા હતા. તે કેસ મુંબઈમાં ચાલ્યો હતો અને ગુજરાતથી દારૂ ગોળો લવાયો તે કેસ જામનગરમાં ચાલ્યો હતો.

ગુજરાતની ગુનાખોરીમાં આ કેસ ઐતિહાસિક છે.

મુંબઈ બોંબ ધડાકાનો કેસ ભારતનો સૌથી મોટો ફોજદારી કેસ હતો. જેમાં જામનગર એક છે.

મુંબઈનો કેસ ઝડપથી ચાલ્યો હતો.

નરેન્દ્ર મોદી વડાપ્રધાન બને તે પેહલાં દાઉદનું નામ લીધા વગત તેમના તરફ ઈશારો કરતાં કહ્યું હતું કે, ભારતથી ભાગેલા કોઈ પણ ગુનેગારને પરત લાવીશું.
ભારતે સતત પાકિસ્તાન પર દબાણ કર્યું હતું કે, દાઉદને ભારતને સોંપી દેવામાં આવે.
1993માં મુંબઈમાં બોમ્બ બ્લાસ્ટ કરાયા તેના બોંબની સામગ્રી ગુજરાતના પોરબંદરના ગોસાબારાના દરિયા કાંઠેથી લાવવામાં આવી હતી.
મુંબઇમાં સીરીયલ બ્લાસ્ટ કરવા માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો. અને આ કેસ પછી જ મુખ્ય અપરાધીઓ ડોન દાઉદ ઇબ્રાહીમ સહિતના બધા પાકિસ્તાન ભાગી ગયા હતાં.

ગોસાબારા RDX લેન્ડીંગ પ્રકરણમાં 46 આરોપીઓમાંથી સલીમ કુત્તા સહિત 12ને સજા, 11ના મોત થઈ ગયા

ડોન દાઉદ ઇબ્રાહીમને સંડોવતા અતિ ચકચારી કેસમાં જામનગરની ખાસ અદાલતે ચુકાદો આપ્યો હતો.

10 આરોપીને પાંચ-પાંચ વર્ષ અને બે આરોપીને સાત-સાત વર્ષની સખત કેદ કરી હતી.

1993માં પોરબંદરના ગોસાબારા ખાતે આરડીએક્સનો જથ્થો ઉતારવામાં આવ્યો હતો.
જેનો ગુનો જામનગરના પોલીસ મથક ખાતે નોંધાયો હતો. જેમાં મુંબઈના ખતરનાક ગેંગસ્ટર સહિતના 46 અપરાધીઓ સામે ગુનો નોંધાયો હતો.

જેમાં 11 આરોપીઓના મૃત્યુ થઇ ચૂકયા છે

અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમ ઉપરાંત છોટા શકીલ, ટાઇગર મેમણ સહિતના 15 મોટા આરોપીઓને ભાગેડું જાહેર કરવામાં આવ્યા છે.

46 આરોપીઓમાંથી 11 આરોપીઓ મૃત્યુ થયા છે.

15 જૂનાઈ 1993માં ડી.જી.વાઘેલા પોલીસ ઇન્સ્પેકટર એલ.આઈ.બી. જામનગરનાઓએ આરોપી
દાઉદ ઈબ્રાહીમ
મુસ્તુફા આમદ ઉમર ડોસા ઉર્ફે મુસ્તુફા મજનુ શેઠ
મંમુમીયા પંજુમીયા
ઓસમાણ ઉર્ફે ઉસ્માન ઉમર કોરેજા
મામદ અલીમામદ ઉર્ફે મમદુ
હાઉન આમદ સંઘાર વાઘેર
મહમદ કાલીયો
યુનુસ ઉર્ફે જુનુસ ઉર્ફે લોટો સ/ઓફ હસન મર રાઠોડ
જુનુસ ચીકના
અનવર ખાંભાના સહીતના અન્ય તપાસમાં નીકળે તે તમામ ઇસમો વિરૂધ્ધ ફરીયાદ નોંધી હતી.

6 ડીસેમ્બર 1992માં બાબરી ધ્વંસ પછી ભારતમાં સરકાર વિરૂધ્ધ કાવત્રુ કર્યું હતું.

કોમી રમખાણોમાં ઉપયોગ કરવા તેમજ દેશમાં આંતક મચાવવા હથીયારો તથા સ્ફોટક પદાર્થો ઘુસાડી દેવાયા હતા.

દુબઈ સ્થિત દાઉદ ઈબ્રાહીમ, મુસ્તુફા આમદ ઉમર ડોસા ઉર્ફે મુસ્તુફા મજનુ શેઠ વિગેરેએ વિસ્ફોટક પદાર્થો તથા હેન્ડ ગ્રેનેડ બોમ્બ તથા ઘાતક હથિયારો લાવ્યા હતા.

જામનગરના બેડી ગામમાં રહેતા હારૂન આદમ સંઘાર તથા કચ્છના સલાયા માંડવી ખાતે રહેતા ઓસમાણ ઉમર કારેજા અને મામદ અલીમામદે ડિલિરી લીધી હતી.

સદા અલ બહાર નામની બોટ લઈને કરાંચી બંદરેથી માલ લાવ્યા હતા.

સેટેલાઈટ ટેલીફોનથી સંપર્કમાં હતા.

ઓસમાણ ઉમર કારેજા માલમ એટલે કે કેપ્ટન હતો.

પાકિસ્તાનના મરીન સીકયુરીટી એજ​​​​​​​ન્સીની બોટમાં 20 માણસો હતા.
જેમાં સ્ફોટક પદાર્થ, કાળો પાવડર, આર.ડી.એકસ., 150 હથીયારો તથા હેન્ડ ગ્રેનેડ તથા બોમ્બ તેમજ રાઈફલો હતી.

બીજી બે બોટમાં મુકી દેવામાં આવી હતી.

એક બોટ મહારાષ્ટ્ર તરફ ગયેલી.

સદા અલ બહાર બોટમાં ગુજરાતમાં હથિયારો લાવ્યા હતા.

ટ્રક મારફતે સુરત, વલસાડ, ઉતર પ્રદેશ વિગેરે તરફ લઈ જવામાં આવેલો.

સદા અલ બહાર’ જથ્થો ખાલી કરી દુબઈ જતી રહેલ હતી. ત

ગુનાની તપાસ 1993થી 2018 સુધી 24 વર્ષ તપાસ કરી.

હાલ દાઉદ ઈબ્રાહીમ, ટાઈગર મેમણ, અનિશ ઈબ્રાહીમ સહિતના 15 આરોપીઓ પાકિસ્તાન અને દુબઈ જેવા દેશોમાં ભાગી ગયેલા છે.
તેમને નાસતા ફરતા ભાગેડુ જાહેર કરેલા છે.

પોલીસ દ્વારા આરોપી અહેમદ ઈસ્માઈલ ઓલીયા પાસેથી હેન્ડ ગ્રેનેડ 19, તથા એ.કે. રાયફલના કાર્ટીઝ નંગ 720 પકડાયા હતા.

અબ્દુલ હમીદ અબ્દુલ મજીદ શેખ ઉર્ફે હમીદ સોની પાસેથી એ.કે.સીરીઝ રાયફલ 3, તથા તેના કાર્ટીઝ 430, મેગ્ઝીન 10 હતા.

લખમણ હરદાસ આહીર પાસેથી કાર વપરાઈ હતી.

સ્પેશિયલ પબ્લિક પ્રોસીકયુટર તુષાર ગોકાણીની નિમણૂંક કરેલી હતી.

6 આરોપીઓને સર્વોચ્ચ અદાલતે છોડી મૂક્યા હતા.

બનાવ આશરે ૩૩ વર્ષ બાદ નોંધાયેલ પુરાવા દરમ્યાન જીવીત મળી આવેલ સાહેદો પૈકી પ્રોસીકયુશન ધ્વારા 63ની જુબાની તપાસવામાં આવેલ હતા.

સોનુ

આ જગ્યા ખાતે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. સમુદ્ર કિનારા ખાતે વર્ષોથી સોનું જમીનમાં દાટેલ હોવાનું આઇબીએ અનુમાન વ્યક્ત કર્યું છે. હાલમાં એક જેસીબી દ્વારા ખોદકામ ચાલી રહ્યું છે તેમજ સ્થાનિક પોલીસ અને મીડિયાને દૂર રખાયું છે.

મુંબઈ

મુંબઈના કિનારે માલસામાન મૂકતી હોડીઓમાં ભારત આવ્યા હતા.

2006માં ભારતનો સૌથી મોટો ફોજદારી કેસ હતો અને અદાલતને ચુકાદો પહોંચવામાં તેર વર્ષ લાગ્યા હતા.

મુંબઈમાં શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ થયા હતા – એક બોમ્બ સ્ટોક એક્સચેન્જમાં, બીજો એર ઈન્ડિયાની ઓફિસોમાં, અને બીજા ઘણા, સ્કૂટર અને કારમાં, મંદિરની બહાર અને અન્ય જગ્યાએ ભીડભાડવાળા વિસ્તારોમાં મૂકવામાં આવ્યા હતા.

બોમ્બ વિસ્ફોટો રમખાણોમાં મુસ્લિમોના મૃત્યુનો બદલો લેવા માટે કરવામાં આવ્યા હતા. આ બધું અયોધ્યામાં સોળમી સદીની એક મસ્જિદના હિન્દુ ટોળાના હાથે થયેલા વિનાશ દ્વારા પ્રગટ થયું હતું.

રમખાણોમાં એકત્રીસ પોલીસ અધિકારીઓએ મુસ્લિમોને મારી નાખ્યા હતા.

આ પણ વાંચો:

Barda Sanctuary Illegal Liquor: વન પ્રધાન અર્જૂન મોઢવાડિયાના મત વિસ્તારમાં દારુનું અભયારણ્ય – thegujaratreport.com

Democratic Republic Crisis: ‘આઈડિયા ઓફ ઈન્ડિયા જોખમમાં’, પરાકલા પ્રભાકરે ચૂંટણી, અદાલતો અને વિપક્ષની ભૂમિકા પર ઉઠાવ્યા ગંભીર સવાલ – thegujaratreport.com

Punjab Bomb Blast: પંજાબ બોમ્બ બ્લાસ્ટ બાદ રાઘવ ચઢ્ઢાનો ભગવંત માન પર હુમલો, ‘ISI નો નેરેટિવ બોલી રહી છે સરકાર’ – thegujaratreport.com

Related Posts

Narendra Modi: અલંગમાં સ્વાગત ન કર્યું તો મોદીનો ઘમંડ દેખાયો
  • June 21, 2026

Narendra Modi: વર્ષ ૨૦૦૮ની આ ઘટના આજે પણ ગુજરાતના ઉદ્યોગ જગતમાં એક કાળા અધ્યાય સમાન છે. અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ, જે ગુજરાત સરકારની તિજોરીમાં દર બે વર્ષે પાંચ હજાર કરોડ…

Continue reading
Bayad Land Scam: અરવલ્લીના બાયડમાં મૃત ખેડૂતને ‘જીવતા’ કરી જમીન સગેવગે કરવાનો ખેલ બહાર આવ્યો
  • June 20, 2026

Bayad Land Scam: ગુજરાતનું મહેસૂલી તંત્ર અને ભૂમાફિયાઓની મિલીભગતનો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના વાસણીરેલ ગામમાંથી સામે આવ્યો છે. આ ઘટના માનવીય કલ્પનાની બહાર છે: એક એવો…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Airport Lounge Culture: દિલ્હી એરપોર્ટ પર ક્રેડિટ કાર્ડ અને ક્લાસ વોર, એરપોર્ટ લાઉન્જ બન્યું સ્ટેટસ સિમ્બોલ

  • June 22, 2026
  • 2 views
Airport Lounge Culture: દિલ્હી એરપોર્ટ પર ક્રેડિટ કાર્ડ અને ક્લાસ વોર, એરપોર્ટ લાઉન્જ બન્યું સ્ટેટસ સિમ્બોલ

Jairam Ramesh: ગ્રેટ નિકોબાર પોર્ટ પ્રોજેક્ટ સામે જયરામ રમેશના તીક્ષ્ણ સવાલો!

  • June 22, 2026
  • 5 views
Jairam Ramesh: ગ્રેટ નિકોબાર પોર્ટ પ્રોજેક્ટ સામે જયરામ રમેશના તીક્ષ્ણ સવાલો!

Barmer Demolition Dispute: બાડમેર બુલડોઝર કાંડ, સરહદ પર એકતા તોડવાનું સરકારનું ષડયંત્ર?

  • June 22, 2026
  • 6 views
Barmer Demolition Dispute: બાડમેર બુલડોઝર કાંડ, સરહદ પર એકતા તોડવાનું સરકારનું ષડયંત્ર?

India Pedestrian Deaths Report: ભારતમાં પગપાળા ચાલનારાઓ માટે રસ્તા બન્યા જીવલેણ, પાંચ વર્ષમાં 1.8 લાખથી વધુ લોકોએ ગુમાવ્યો જીવ

  • June 22, 2026
  • 9 views
India Pedestrian Deaths Report: ભારતમાં પગપાળા ચાલનારાઓ માટે રસ્તા બન્યા જીવલેણ, પાંચ વર્ષમાં 1.8 લાખથી વધુ લોકોએ ગુમાવ્યો જીવ

Ladakh Bandh Protest: લદ્દાખમાં ૨૩ જૂને સંપૂર્ણ બંધનું એલાન, કેન્દ્ર સરકાર પર ૨૨ મેના નિર્ણયોથી ‘પાછા હટવાનો’ નાગરિક સંગઠનોનો આક્ષેપ

  • June 22, 2026
  • 12 views
Ladakh Bandh Protest: લદ્દાખમાં ૨૩ જૂને સંપૂર્ણ બંધનું એલાન, કેન્દ્ર સરકાર પર ૨૨ મેના નિર્ણયોથી ‘પાછા હટવાનો’ નાગરિક સંગઠનોનો આક્ષેપ

Ayush Malik Shamli Conversion Case: શામલીના આયુષ મલિક ધર્મ પરિવર્તન વિવાદે ઊભા કર્યા મોટા સવાલો, શું ભારતમાં હવે પોતાનો ધર્મ પસંદ કરવો પણ ગુનો છે?

  • June 22, 2026
  • 9 views
Ayush Malik Shamli Conversion Case: શામલીના આયુષ મલિક ધર્મ પરિવર્તન વિવાદે ઊભા કર્યા મોટા સવાલો, શું ભારતમાં હવે પોતાનો ધર્મ પસંદ કરવો પણ ગુનો છે?