
દિલીપ પટેલ
અમદાવાદ, 14 મે 2026
KG Basin petrol price controversy: ભૂતકાળમાં મોદીએ યુપીએ સરકારના અનેક જનવિરોધી અને સંઘવિરોધી પગલાં માટે આકરા પ્રહારો કર્યા હતા. પણ હવે એમના પર આવી પડી છે.
પેટ્રોલના ભાવ
23 મે 2012માં ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ મનમોહન સીંગની સરકારની આકરી આલોચના કરીને પેટ્રોલનો ભાવ વધારો પરત ખેંચવા કહ્યું હતું.
ત્યારે પેટ્રોલના ભાવમાં લિટરે 7.50 રૂપિયા વધારો કર્યો હતો.
ટ્વિટર પર પોતાના વિચારો શેર કરતા મોદીએ ટ્વિટ કર્યું, “પેટ્રોલના ભાવમાં ભારે વધારો એ કોંગ્રેસની આગેવાની હેઠળના યુપીએની નિષ્ફળતાનું મુખ્ય ઉદાહરણ છે. આનાથી ગુજરાત પર સેંકડો કરોડનો બોજ પડશે. સંસદ સત્ર સમાપ્ત થયાના એક દિવસ પછી લેવાયેલો પેટ્રોલના ભાવમાં વધારો સંસદની ગરિમા માટે એક કઠોર ઠપકો છે. લોકો તેના માટે સરકારને માફ નહીં કરે
ગેસ-પેટ્રોલિયમ એ રાષ્ટ્રીય સંપદા છે
જીએસપીસીએ દક્ષિણમાં કેજી બેસીન-બ્લોકમાંથી એપ્રિલ 2003માં શરૂ કરીને 20 TCF પેટ્રોલીયમ ભંડાર શોધી કાઢયો.
ભારતમાં ગેસના કૂવામાંથી અત્યાર સુધીમાં સૌથી વધુ ગેસ કૂવામાંથી મળ્યો
ભારતને પેટ્રોલિયમ ઊર્જામાં સ્વ-નિર્ભર બનાવવા ગુજરાતની વાત તેમણે કરી હતી.
કેજી બેસીનમાં પેટ્રોલિયમનો ગેસ ભંડાર વર્તમાન બજાર કિંમતે રૂા. 4 લાખ કરોડ થવા જાય છે.
જો તેલ ખરેખર મળ્યું હોત તો આજે તે તેલ અને ગેસની કિંમત 10 લાખ કરોડ થઈ હોત.
2008માં તેલ મળવાનું શરૂ થવાનું હતું. આજ સુધી તે મળી આવ્યો નથી.
ગુજરાતના રૂ, 21 હજાર કરોડ વપરાય ગયા.
મોદીએ કહ્યું કે, આંધ્રપ્રદેશ, આસામ, કેરળ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, જે કોંગ્રેસ શાસિત રાજ્યો છે અને પશ્ચિમ બંગાળ અને ઉત્તર પ્રદેશ (યુપીએ સાથી) માં પેટ્રોલ પર વેટના દર ગુજરાતના દરો કરતા વધુ છે. આંધ્રપ્રદેશ, આસામ, કેરળ અને રાજસ્થાનમાં LPG અને કેરોસીન પર 4% VAT વસૂલવામાં આવે છે જ્યારે ગુજરાતમાં તે ‘NIL’ છે.
કપાસ નિકાસ પ્રતિબંધ
સરદાર સરોવર પ્રોજેક્ટ
કેન્દ્રની માંસ નિકાસ નીતિ
ખેડૂત વિરોધી ‘ગુલાબી ક્રાંતિ’
સ્થાવર મિલકતના ટ્રાન્સફર પર TDS લાદવાના પગલાની પણ સખત નિંદા કરી છે.
આતંકવાદ વિરોધી કેન્દ્ર કાયદામાં ફેરફારોનો વિરોધ કર્યો હતો.
આ પણ વાંચો:









