PM મોદી AI ઉપર ભાષણ તો આપે છે પરંતુ તેઓ તેને સમજી શક્યા નથી: રાહુલ ગાંધી

  • India
  • February 15, 2025
  • 0 Comments
  • PM મોદી AI ઉપર ભાષણ તો આપે છે પરંતુ તેઓ તેને સમજી શક્યા નથી: રાહુલ ગાંધી

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પીએમ મોદી અને એઆઈ ટેકનોલોજીને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. રાહુલ ગાંધીનું કહેવું છે કે, પીએમ મોદી ટેલિપ્રોમ્પ્ટર થકી એઆઈને લઈને ભાષણ તો આપી રહ્યાં છે પરંતુ ખરા અર્થમાં તેઓ એઆઈને સમજી શક્યા નથી. આ અંગે રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું કે, ‘ભારતમાં પ્રતિભા છે, પરંતુ યુવાનોને રોજગારી પૂરી પાડવા માટે નવી ટેક્નોલૉજીમાં ઔદ્યોગિક કૌશલ્યો વિકસિત કરવાની જરૂર છે.’

રાહુલ ગાંધીએ શનિવારે X પર એક પોસ્ટમાં હાઇલાઇટ કર્યું કે ચીને કેવી રીતે ડ્રોન બનાવવાનું શરુ કર્યું છે જે સમગ્ર વિશ્વમાં યુદ્ધમાં ક્રાંતિ લાવી રહ્યું છે. તેમણે કહ્યું કે, ‘ભારતે આ ક્ષેત્રમાં સ્પર્ધાત્મક બનવા માટે વ્યૂહરચના વિકસાવવાની જરૂર છે.’
નવી ટૅક્નોલૉજીના ઉત્પાદન માટે ભારતને સ્પષ્ટ વિઝનની જરૂર છે.

કોંગ્રેસના નેતાએ કહ્યું કે, ‘ડ્રોને યુદ્ધમાં ક્રાંતિ લાવી છે, બેટરી, મોટર્સ અને ઓપ્ટિક્સને સંયોજિત કરીને યુદ્ધક્ષેત્રમાં ચાલાકી અને સંદેશાવ્યવહારને અભૂતપૂર્વ રીતે સક્ષમ કરી શકાય છે. પરંતુ ડ્રોન માત્ર એક ટૅક્નોલૉજી નથી, તે એક મજબૂત ઔદ્યોગિક પ્રણાલી દ્વારા ઉત્પાદિત બોટમ-અપ ઇનોવેશન છે.’

આ પણ વાંચો- 6 લાખ રોકડા, વિદેશી દારૂ, 5 લક્ઝરી કાર; હરિયાણામાં ભાજપ નેતાના ઘરે EDનો દરોડો 17 કલાક ચાલ્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કરતાં તેમણે કહ્યું કે, ‘આ માત્ર એક ટેક્નોલૉજી નથી. આ એક મજબૂત ઔદ્યોગિક પ્રણાલીની મદદથી થઈ રહેલી નવીનતા દર્શાવે છે. પીએમ મોદી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર ‘ટેલિપ્રોમ્પ્ટર’નો ઉપયોગ કરીને ભાષણ આપે છે પરંતુ તેમને આ વસ્તુ સમજાઈ રહી નથી.’

ચીનનું નામ લેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘આપણા પ્રતિસ્પર્ધીઓ નવી ટેક્નોલૉજીમાં નિપુણતા મેળવી રહ્યા છે અને આપણી સરકાર પાસે તમામ સંસાધનો હોવા છતાં આ મામલે કંઈ નથી કરી રહી.’

તેમણે કહ્યું, ‘ભારતને ખાલી ભાષણોની જરૂર નથી પરંતુ મજબૂત ઔદ્યોગિક વ્યવસ્થાની જરૂર છે. ભારતમાં અપાર પ્રતિભા છે. આપણા યુવાનો આ ડ્રોનના તમામ કોમ્પોનન્ટ બનાવી શકે છે. આપણા યુવાનોને રોજગારી આપવા અને ભારતને ભવિષ્ય તરફ લઈ જવા માટે આપણી પાસે સ્પષ્ટ વિઝન હોવું જોઈએ અને ભારતમાં જ આવી નવીનતાઓ બનાવવાનું શરુ કરવું જોઈએ.’

આ પણ વાંચો-દેશના વિદ્યાર્થીઓ મરી રહ્યા છે: પ્રતિદિવસ 24 કલાકમાં 28 વિદ્યાર્થીઓ કરી લે છે આત્મહત્યા

Related Posts

BJP: રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાએ 7 સાંસદ સાથે BJPમાં જોડાવાની કરી જાહેરાત! કહ્યું, જનતાની નજીક જવા માંગુ છું!
  • April 24, 2026

BJP: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ ભાજપમાં જોડાવાની જાહેરાત કરતા રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા ઉઠી છે આજે શુક્રવારે દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સમાં તેઓએ આ જાહેરાત કરી તે વખતે…

Continue reading
Bengal: બંગાળમાં ઠેર ઠેર હિંસા,હુમાયુ કબીરની કાર પર હુમલો, સુવેન્દુ સરકારને દોડાવી દોડાવીને માર્યા!
  • April 23, 2026

Bengal: પશ્ચિમ બંગાળમાં આજે મતદાન થઈ રહ્યું છે ત્યારે ઠેરઠેર હિંસા ફાટી નીકળી હોવાના અહેવાલ છે, ૧૫૨ મતવિસ્તારો માટે મતદાનના પ્રથમ તબક્કા દરમિયાન વ્યાપક હિંસા ફાટી નીકળી છે.મુર્શિદાબાદમાં હુમાયુ કબીર…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Pakistan: ઈરાનના વિદેશ મંત્રીએ અમેરિકાની કરી ઐસી તૈસી! ટ્રમ્પે ‘શાંતિ વાર્તા’ કેન્સલ કરી!

  • April 25, 2026
  • 3 views
Pakistan: ઈરાનના વિદેશ મંત્રીએ અમેરિકાની કરી ઐસી તૈસી! ટ્રમ્પે ‘શાંતિ વાર્તા’  કેન્સલ કરી!

AAP: આમ આદમી પાર્ટીના પક્ષ પલટુ સાંસદોના સભ્યપદ રદ કરાશે? ભાજપને 2027ની ચુંટણીઓમાં આ સાંસદો ફાયદો કરાવશે

  • April 25, 2026
  • 4 views
AAP: આમ આદમી પાર્ટીના પક્ષ પલટુ સાંસદોના સભ્યપદ રદ કરાશે? ભાજપને 2027ની ચુંટણીઓમાં આ સાંસદો ફાયદો કરાવશે

Pakistan: પાકિસ્તાનમાં ફરી અમેરિકાની શાંતિ-મંત્રણા,ઈરાન અમેરિકા સાથે સીધી વાટાઘાટો નહિ કરે!

  • April 25, 2026
  • 6 views
Pakistan: પાકિસ્તાનમાં ફરી અમેરિકાની શાંતિ-મંત્રણા,ઈરાન અમેરિકા સાથે સીધી વાટાઘાટો નહિ કરે!

PM Modi: નરેન્દ્ર મોદી વિરુદ્ધ બોલતા મધુ કિશ્વરને પોલીસનું તેંડુ! કિશ્વરે કહ્યું “મારી સાથે કંઈપણ થઈ શકે છે!” પણ હું ચૂપ નહિ બેસું! જુઓ વિડીયો

  • April 25, 2026
  • 10 views
PM Modi: નરેન્દ્ર મોદી વિરુદ્ધ બોલતા મધુ કિશ્વરને પોલીસનું તેંડુ! કિશ્વરે કહ્યું “મારી સાથે કંઈપણ થઈ શકે છે!” પણ હું ચૂપ નહિ બેસું! જુઓ વિડીયો

Mahesana: મહેસાણામાં ચૂંટણી લોહિયાળ બની! ભાજપ-કોંગ્રેસના સમર્થકો વચ્ચે સર્જાયેલા ખૂની ખેલમાં એકની હત્યા; બે ઇજાગ્રસ્ત

  • April 25, 2026
  • 12 views
Mahesana: મહેસાણામાં ચૂંટણી લોહિયાળ બની! ભાજપ-કોંગ્રેસના સમર્થકો વચ્ચે સર્જાયેલા ખૂની ખેલમાં એકની હત્યા; બે ઇજાગ્રસ્ત

AAP: આમ આદમી પાર્ટીનું “ભંગાણ” કેમ થઈ રહ્યું છે? કેજરીવાલના ખાસ સહયોગીએ શુ કહ્યું? જુઓ વિશેષ અહેવાલ

  • April 24, 2026
  • 9 views
AAP: આમ આદમી પાર્ટીનું “ભંગાણ” કેમ થઈ રહ્યું છે? કેજરીવાલના ખાસ સહયોગીએ શુ કહ્યું? જુઓ વિશેષ અહેવાલ