
Adani: અદાણી એનર્જી સોલ્યુશન્સ દ્વારા કચ્છના ખાવડા રિન્યુએબલ એનર્જી પાર્કથી મહારાષ્ટ્ર સુધી નંખાઈ રહેલી ત્રીજી હાઈ-ટેન્શન વીજ લાઇન સામે હાલમાં ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે વિગતો મુજબ કચ્છના ખેડૂતો ₹5,800 પ્રતિ ચોરસ મીટરના વળતરની માંગ કરી રહ્યા છે, જ્યારે કંપની દ્વારા માત્ર ₹67 જેવી નજીવી રકમ ઓફર કરવામાં આવી હોવાના આક્ષેપો છે, આ હાઈ-ટેન્શન વીજ લાઇન ખેડૂતોની કિંમતી અને ફળદ્રુપ જમીનમાંથી પસાર થઈ રહી છે, જેના કારણે ભવિષ્યમાં ત્યાં ખેતી કરવી મુશ્કેલ બનશે તેમ ખેડૂતોનું કહેવું છે.
કચ્છના ખાવડાથી સુરત જિલ્લાના ઓલપાડ ખાતે સબસ્ટેશન બનાવી (મહારાષ્ટ્ર) તરફ જતી ત્રીજી વીજ લાઈનના રૂટ મેપ અંગે સ્પષ્ટતા કરવા ખેડૂતો અગાઉ અમદાવાદના મકરબા સ્થિત અદાણીની ઓફિસ ખાતે ગયા બાદ જવાબ નહિ મળતા અને કંપની દ્વારા ખેડૂતોની સંમતિ કે યોગ્ય વળતર વિના વીજ લાઈન ખેંચવાની કામગીરી ચાલુ રહેતા હવે તા.9 એપ્રિલના રોજ રાજયભરના ખેડૂતો એકજૂથ થઈ અમદાવાદ ઓફિસે રજુઆત કરનાર છે ત્યારે
આ મુદ્દે The Gujarat Reportના સિનિયર પત્રકાર દિલીપ પટેલે ખેડૂત અગ્રણી એવા જયેશ પટેલ સાથે વાતચીત કરી આગામી રણનીતિ અંગે ચર્ચા કરી હતી જેમાં જયેશ પટેલે અદાણીની આ વીજલાઈન મુદ્દે કાયદાની મર્યાદામાં રહી આગળની રણનીતિ અંગે વિસ્તુત માહિતી આપી હતી,જુઓ વિડીયો.
આ પણ વાંચો:
OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!










