
Kandlaport: કચ્છમાં કંડલા બંદરની જમીન પર માફિયાઓએ એક લાખ એકર જમીન દબાણ કરી લીધું છે ત્યારે આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.ભચાઉ કાઠા વિસ્તારમા વનવિભાગ, પંડિત દિનદયાલ પોર્ટ (કંડલા પોર્ટ)ની જમીનો પર ભૂમાફિયાનો કબ્જો સફેદ મીઠાનો કાળો કારોબાર ચાલી રહ્યો છે અને અહીં સરસ્વતી અને સોમનાથ નામના કારખાના ધમધમે છે
આ અંગે શિવુભા ડી જાડેજાએ જણાવ્યું હતું કે આ કારખાના અંગે કંડલા પોર્ટનું ધ્યાન દોર્યું તો તેઓ કહે છે કે તે હઠાવી દીધા છે પણ હકીકત જુદી છે અહીં કામ ચાલુ છે.આમ મિલી ભગતમાં બધું લોલમલોલ ચાલી રહ્યાનો તેઓએ આક્ષેપ કર્યો હતો
મીઠા ઉત્પાદન માટે મંજુર થયેલી જમીનની આસપાસના વિસ્તરની જમીનમાં પણ ગેરકાયદેસર દબાણ કરવામાં આવતું હોવાના આક્ષેપ લાગ્યા છે, મીઠાના અગરો માટે જમીન મંજુર થયેલી હોય તો તેની આસપાસની જમીનો પર દબાણ કરાતું હોવાના આક્ષેપ થઈ રહ્યા છે, એટલું જ નહી કચ્છમાં કંડલા પોર્ટ, વન વિભાગ તેમજ રેવેન્યુની જમીનો પર ગેરકાયદેસર દબાણ કરી મીઠું પકવવામાં આવે છે.
કેટલાક કિસ્સામાં સરકારી વિભાગોની મિલીભગતથી કાળો કારોબાર ધમધમી રહ્યાના પણ આરોપ લાગી રહ્યા છે.
આ ચકચારી પ્રકરણ મામલે વરિષ્ઠ પત્રકાર દિલીપભાઈ પટેલે સ્થાનિક અગ્રણી શીવુભા જાડેજા સાથે વાત કરી વાસ્તવિક સ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યાતો સામે આવી ચોંકાવનારી હકીકત જુઓ વિડીઓ
આ પણ વાંચો:
Commonwealthgames2030:ગુજરાતમાં ‘ખેલકુદ’શિખવતા શિક્ષકો નથી અને ઓલેમ્પિકની વાતો થાય છે!





