TopNews: મોદી સરકારની સંચાર સાથી એપ શુ જાસૂસી માટે હતી? પેગાસસ મામલો ફરી ચર્ચામાં કેમ આવ્યો?જાણો

TopNews: મોદી સરકારે દરેક નાગરિકના મોબાઈલમાં સંચાર સાથી એપ ફરજિયાત અને મોબાઈલ કંપનીઓને ડીલીટ ન થઈ શકે તે રીતે આ એપના પ્રિ-ઇન્સ્ટોલના આદેશ અપાયા બાદ આ એપ મારફતે જાસૂસી કરવાનો પ્રયાસ ગણાવતા આખરે મોદી સરકારે પીછેહટ કરી છે અને આદેશ પરત લીધો છે ત્યારે હવે ભૂતકાળમાં આવા ગાજેલા જાસૂસીકાંડ મામલે સિનિયર પત્રકાર દિલીપ ભાઈ પટેલે વિસ્તૃત છણાવટ કરી છે,દિલીપભાઈ જણાવે છે કે અગાઉ પણ દેશમાં પેગાસસથી મોદી વિવાદમાં આવ્યા હતા તે વખતે ગુજરાતમાં 2002થી ફોન ટેપ થઈ રહ્યાં હતા.

ત્યારબાદ 2021માં તે વખતના કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ આક્ષેપ કર્યો હતો કે, 2010માં ગુજરાતમાં ફોન ટેપની ફરિયાદો અને હાલના પેગાસસ જાસૂસીની તપાસ થવી જોઈએ.માત્ર ત્રાસવાદીઓની માહિતી મેળવવા સરકારને વેચાતું પેગાસસ સોફટવેર નાગરીકોની જાસુસી કરવામાં વપરાયુ હોવાનું સામે આવ્યું હતું.

પેગાસસ સોફટવેરની ખરીદી અને જાળવણી પાછળ એક મોબાઈલ ફોન દીઠ રૂ.90 લાખનો ખર્ચ થાય છે.
ગુજરાતમાં ફોન ટેપિંગ: “ગુજરાત મોડલ”ના ભાગ તરીકે દર્શાવવામાં આવે છે.

વર્ષે 90 હજાર ફોન ટેપ કરતાં હોવાનો વિક્રમ નરેન્દ્ર મોદીના ચહેરા પર લખાયેલો છે.આવી વ્યાપક જાસૂસી છતાં તેઓ ગુજરાતમાં ચૂંટણી જીતતા આવતા ત્યારે શંકાઓ વ્યક્ત કરવામાં આવતી હતી.

મોદી મુખ્ય પ્રધાન બન્યા તે દિવસથી જ રાજકીય વિરોધીઓ અને સામાજિક નેતાઓના અને પત્રકારોના ફોન ટેપ કરવા લાગ્યા હતા.ભારતીય ટેલિગ્રાફ એક્ટ, 1885 અને ટેલિગ્રાફ રૂલ્સ, 1951 હેઠળ ફોન ટેપિંગ માટે કેન્દ્ર કે રાજ્યના હોમ સેક્રેટરીની લેખિત મંજૂરી જરૂરી છે. તેમ છતાં, ગુજરાતમાં આવી કાર્યવાહીઓ અનેક વખત ગેરકાયદેસર જાહેર થઈ છે.

મુખ્ય વિવાદો અને ઘટનાઓગુજરાતમાં ફોન ટેપિંગના આરોપો 2000થી લાગે છે, જેમાં રાજકીય વિરોધીઓ,વ્યાપારીઓ અને સામાન્ય નાગરિકોના ફોનને લક્ષ્ય બનાવવાની ચર્ચા થઈ ચુકી છે ત્યારે હવે કેન્દ્રની મોદી સરકારે ગત તા.28 નવેમ્બરના રોજ સ્માર્ટફોન બનાવતી તમામ કંપનીઓને નવા મોબાઇલ ફોનમાં સંચાર સાથી એપ પ્રિ-ઇન્સ્ટોલ કરવા અને પહેલાથી વેચાયેલા તમામ સ્માર્ટફોનમાં પણ સોફ્ટવેર અપડેટ દ્વારા આ એપ ફરજિયાત ડાઉનલોડ કરવા આદેશ કરાયો અને યુઝર્સ એપને ઈચ્છેતો પણ ડિલીટ કરી શકશે કે નહીં તે મુજબના એક તરફી ફરમાન બાદ ભારે હોબાળો મચ્યો હતો

આ મુદ્દો વિપક્ષે સંસદમાં પણ ઉઠાવ્યો અને લોકોની પ્રાઇવસી મુદ્દે સવાલ ઉઠાવી અગાઉ જે રીતે પેગાસસ જાસૂસીનો વિવાદ થયો હતો તે રીતે ફરી આ સંચાર સાથી એપ પણ આવીજ જાસૂસી એપ હોવા મુદ્દે આરોપો ઉઠતા આખરે સરકારે સંચાર સાથી એપ ઇસ્ટોલ કરવાનો આદેશ પરત ખેંચી લીધો છે

The Gujarat Report પર સાંપ્રત લોક હિતના વિષયોના સમાચાર અને સચોટ વિશ્લેષણ કરવામાં આવે છે જેમાં આ એપ જાસૂસી કાંડ વિષય ઉપર વરિષ્ઠ પત્રકાર દિલીપભાઈ પટેલે સચોટ વિશ્લેષણ માટે જુઓ આ વીડિયો

આ પણ વાંચો:

Commonwealthgames2030:ગુજરાતમાં ‘ખેલકુદ’શિખવતા શિક્ષકો નથી અને ઓલેમ્પિકની વાતો થાય છે!

Prohibition in Gujarat is only on paper : ભાજપ ‘દારૂ અને ડ્રગ્સ’ના વેપારને ખુલ્લેઆમ પ્રોત્સાહન આપે છે!ઈમાનદાર પોલીસ અધિકારીઓને સાઈડ લાઈન કરાય છે!

Police action against farmers: કચ્છમાં અદાણીનો પાવર ચાલ્યો!હક્ક માંગી રહેલા 604 ખેડૂતો સામે પોલીસ કાર્યવાહી થતાં દેકારો!

Related Posts

Gujarat Protest History: પૂર્વ મુંખ્યપ્રધાન મોદીના 13 વર્ષમાં 19 આંદલનો કચડી નંખ્યા
  • July 30, 2026

Gujarat Protest History: ગુજરાતમાં વર્ષો દરમિયાન થયેલા વિવિધ આંદોલનો અને તેના પર સરકારના પ્રતિસાદને લઈને ફરી ચર્ચા શરૂ થઈ છે. દિલ્હીમાં થયેલા તાજેતરના વિદ્યાર્થી આંદોલનોના સંદર્ભમાં ગુજરાતના અનેક ઐતિહાસિક આંદોલનોનો…

Continue reading
GIDC Stamp Duty: ઉદ્યોપતિઓએ ઔદ્યોગિક વસાહતોમાં સ્ટેમ્પ ડ્યુટી માફી માંગી, ગુજરાતના દરેક સામાન્ય લોકોએ અગાઉના મકાન સોદા ઉપર નાણા આપી દીધા 
  • July 29, 2026

GIDC Stamp Duty: ઉદ્યોપતિઓએ ઔદ્યોગિક વસાહતોમાં સ્ટેમ્પ ડ્યુટી માફી માંગી, ગુજરાતના દરેક સામાન્ય લોકોએ અગાઉના મકાન સોદા ઉપર નાણા આપી દીધા  દિલીપ પટેલ ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GIDC) એસ્ટેટમાં પ્લોટના જુના…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gulf countries Indian deaths: ખાડી દેશોમાં ભારતીયોના મૃત્યુના ચોંકાવનારા આંકડા, 3 વર્ષમાં 4,124 ભારતીયોના મોત

  • August 1, 2026
  • 3 views
Gulf countries Indian deaths: ખાડી દેશોમાં ભારતીયોના મૃત્યુના ચોંકાવનારા આંકડા, 3 વર્ષમાં 4,124 ભારતીયોના મોત

PM Modi CJP Protest: પીએમ મોદીએ પ્રથમ વખત યુવા આંદોલનનો કર્યો ઉલ્લેખ, પ્રદર્શનકારીઓને ‘ભટકેલા બાળકો’ કહી માફ કરવાની વાત કરી

  • August 1, 2026
  • 4 views
PM Modi CJP Protest: પીએમ મોદીએ પ્રથમ વખત યુવા આંદોલનનો કર્યો ઉલ્લેખ, પ્રદર્શનકારીઓને ‘ભટકેલા બાળકો’ કહી માફ કરવાની વાત કરી

Bhopal Water Contamination: ભોપાલના 70% પાણીના નમૂનાઓ દૂષિત હોવાનો દાવો, ગેસ પીડિતોએ ઉઠાવ્યા સવાલ

  • August 1, 2026
  • 9 views
Bhopal Water Contamination: ભોપાલના 70% પાણીના નમૂનાઓ દૂષિત હોવાનો દાવો, ગેસ પીડિતોએ ઉઠાવ્યા સવાલ

CJP Protest Women Targeted: નીટ પેપર લીક આંદોલન બાદ મહિલા પ્રદર્શનકારીઓ નિશાન પર? સોશિયલ મીડિયા અભિયાન, FIR થી વિવાદ વધુ ઘેરાયો

  • August 1, 2026
  • 14 views
CJP Protest Women Targeted: નીટ પેપર લીક આંદોલન બાદ મહિલા પ્રદર્શનકારીઓ નિશાન પર? સોશિયલ મીડિયા અભિયાન, FIR થી વિવાદ વધુ ઘેરાયો

Chandranath Rath Murder Case: શુભેન્દુ અધિકારીના PA ચંદ્રનાથ રથ હત્યા કેસમાં CBIની મોટી કાર્યવાહી, કથિત ષડયંત્રકારોની ધરપકડ

  • August 1, 2026
  • 5 views
Chandranath Rath Murder Case: શુભેન્દુ અધિકારીના PA ચંદ્રનાથ રથ હત્યા કેસમાં CBIની મોટી કાર્યવાહી, કથિત ષડયંત્રકારોની ધરપકડ

Food Adulteration India: 5 વર્ષમાં 1.85 લાખ ભેળસેળના કેસ, માત્ર 3.3% કેસોમાં જ સજા

  • August 1, 2026
  • 5 views
Food Adulteration India: 5 વર્ષમાં 1.85 લાખ ભેળસેળના કેસ, માત્ર 3.3% કેસોમાં જ સજા