Ahmedabad News | બ્યૂટીપાર્લરમાં બબાલ થતાં પતિએ પત્ની અને સાસુને સળગાવ્યાં, પત્નીનું સારવાર દરમિયાન મોત

  • Gujarat
  • September 24, 2025
  • 0 Comments
  • અમદાવાદના સરદારનગર ખાતે કુબેરનગર પાસેના આઝાદ ચોકમાં મંગળવારે રાત્રે બનેલી ઘટના
  • બ્યૂટિપાર્લરમાં બનેલી ઘટનાને પગલે એકઠાં થયેલાં લોકોએ આગ ઓલવી માતા – પુત્રીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યાં હતાં.

Ahmedabad News । પતિ – પત્ની વચ્ચેના ઝગડામાં દીકરીનું ઉપરાણું લઇ સાસુ વચ્ચે પડતાં અકળાયેલા જમાઈએ પત્ની અને સાસુને સળગાવી દેવાનો પ્રયાસ કર્યો હોવાની ચોંકાવનારી ઘટના મંગળવારે રાત્રે બની હતી. સરદારનગરના કુબેરનગર પાસે આવેલા આઝાદ ચોક ખાતેનાં એપાર્ટમેન્ટ આવેલાં બ્યૂટિપાર્લરમાં બનેલી ઘટનાને પગલે એકઠાં થઈ ગયેલાં લોકોએ આગ ઓલવી તાત્કાલિક માતા – પુત્રીને હોસ્પિટલ ખસેડ્યા હતાં. જ્યાં સારવાર દરમિયાન પરીણીતાનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળે છે. બનાવ અંગે સરદારનગર પોલીસે આરોપી પતિ અશોક રાજપૂતની ધરપકડ કરી ઝગડાના કારણો સહિતની બાબતે તપાસ હાથ ધરી છે.

અમદાવાદના સરદારનગરના કુબેરનગરમાં રહેતી અશોક રાજપૂતની પત્ની આઝાદ ચોક પાસે બ્યૂટિપાર્લર ધરાવતી હતી. અશોક અને તેની પત્ની વચ્ચે છેલ્લાં ઘણાં મહિનાઓથી ગૃહક્લેશ ચાલી રહ્યો હતો. જોકે, હાલના તબક્કે ઝગડો કયા કારણોસર ચાલતો હતો તે અંગે કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થતી નથી.

મંગળવારે રાત્રે અશોક રાજપૂત પત્નીના બ્યૂટિપાર્લર પર ગયો હતો. તે વખતે પણ પતિ – પત્ની વચ્ચે ઝગડો શરૂ થઈ ગયો હતો. દીકરી સાથે જમાઈનો ઝઘડો ઉગ્ર બનતાં ત્યાં હાજર માતાએ પણ દીકરીનો પક્ષ લઈ દલીલો કરી હતી. જેને પગલે ત્રણેય વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ઝગડા દરમિયાન જ ઉશ્કેરાઈ ગયેલા અશોક રાજપૂતે પત્ની અને સાસુ પર જ્વલનશીલ પ્રવાહી ફેંક્યું હતું અને ત્યારબાદ આગ ચાંપીને તે ત્યાંથી નાસી છૂટ્યો હતો.

બ્યૂટિપાર્લરમાંથી આગની જ્વાળાઓ અને માતા – પુત્રીની ચીસોને પગલે કોમ્પ્લેક્સના અન્ય દુકાનદારો સહિત આસપાસના લોકો દોડી આવ્યા હતાં. દોડી આવેલાં લોકોએ તાબડતોબ આગ ઓલવીને માતા – પુત્રીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતાં.

બનાવને પગલે આઝાદ ચોક વિસ્તારમાં ભારે ઉત્તેજના વ્યાપી ગઈ હતી. જોકે, આ અંગે જાણ થતાં સરદારનગર પોલીસનો કાફલો દોડી આવ્યો હતો. સરદારનગર પોલીસ મથકના પીઆઈ મહિપતસિંહ ચંપાવતે મિડીયાને બનાવ અંગે જણાવ્યું હતું કે, ઘરકંકાસને કારણે પતિએ પત્ની અને સાસુને સળગાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, તેઓનો બચાવ થયો છે. હાલ સારવાર ચાલી રહી છે. બનાવને અંજામ આપનાર અશોક રાજપૂતની ધરપકડ કરી લેવામાં આવી છે.

આ પણ વાંચો:

PM Modi: મોદીની માતાના અપમાનનો બદલો લેવા માત્ર બિહાર ભાજપે ઠેકો લીધો!, શું છે ચાલ?

Vadodara: યુનાઈટેડ વે ગરબામાં કાદવ-કીચડ, ખેલૈયાઓનો ભારે વિરોધ, આયોજકોએ શું કરી જાહેરાત?

Vadodara: વિજય શ્રીવાસ્તવને ખુલ્લા પાડનાર પ્રોફેસર સતીષ પાઠકને પોલીસની હેરાનગતિ, વડોદરા નવનિર્માણ સંઘ આવ્યું મેદાને

Surat: બળાત્કારી આસારામની હોસ્પિટલમાં પૂજા-આરતી, લોકોએ કર્યો ભારે વિરોધ

Kolkata Heavy Rain: રસ્તાઓ પર હોડીઓ દોડી, વિસ્તારો પાણીમાં ડૂબી ગયા, વાહનવ્યવહાર ઠપ્પ

 

Related Posts

Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?
  • June 18, 2026

Ram Mandir Gujarat Contribution: ૧૯૮૪માં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા શરૂ થયેલું રામજન્મભૂમિ મુક્તિ અભિયાન માત્ર એક રાજકીય આંદોલન નહોતું, પરંતુ તે લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર બની ગયું હતું. ગુજરાતના અમદાવાદ,…

Continue reading
Gujarat Teachers Protest: શું અનુભવની કિંમત નથી? TET પરીક્ષા ફરજિયાત સામે ગુજરાતભરમાં શિક્ષકોનો જબરદસ્ત વિરોધ!
  • June 18, 2026

Gujarat Teachers Protest: ગુજરાતમાં ખેડૂતોના આંદોલન બાદ હવે શિક્ષણ જગતમાંથી પણ સરકાર સામે મોટો બળવો શરૂ થયો છે. રાજ્યભરના હજારો પ્રાથમિક શિક્ષકો હાલ TET (Teacher Eligibility Test) પરીક્ષામાંથી મુક્તિની માંગ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?

  • June 18, 2026
  • 3 views
Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?

Nepal-China relations impact: નેપાળ-ચીન સંબંધોમાં નવી દિશા, ભારત માટે પડકાર કે પ્રાદેશિક સહકારની નવી તક?

  • June 18, 2026
  • 4 views
Nepal-China relations impact: નેપાળ-ચીન સંબંધોમાં નવી દિશા, ભારત માટે પડકાર કે પ્રાદેશિક સહકારની નવી તક?

Freedom of Religion: શું આધુનિક ભારતમાં પોતાની પસંદગીનો ધર્મ અને આરાધ્ય પસંદ કરવાની આઝાદી બચી છે?

  • June 18, 2026
  • 7 views
Freedom of Religion: શું આધુનિક ભારતમાં પોતાની પસંદગીનો ધર્મ અને આરાધ્ય પસંદ કરવાની આઝાદી બચી છે?

Odisha Textbook Errors: ઓડિશાના નવા પાઠ્યપુસ્તકોમાં 1,678 ભૂલો, શિક્ષકો-વાલીઓમાં રોષ

  • June 18, 2026
  • 8 views
Odisha Textbook Errors: ઓડિશાના નવા પાઠ્યપુસ્તકોમાં 1,678 ભૂલો, શિક્ષકો-વાલીઓમાં રોષ

Priyank Kharge RSS: RSSની પારદર્શિતા મુદ્દે પ્રિયંક ખડગેનો સવાલ, પ્રતિબંધ નહીં પરંતુ કાનૂની જવાબદારીની માંગ

  • June 18, 2026
  • 8 views
Priyank Kharge RSS: RSSની પારદર્શિતા મુદ્દે પ્રિયંક ખડગેનો સવાલ, પ્રતિબંધ નહીં પરંતુ કાનૂની જવાબદારીની માંગ

Gujarat Teachers Protest: શું અનુભવની કિંમત નથી? TET પરીક્ષા ફરજિયાત સામે ગુજરાતભરમાં શિક્ષકોનો જબરદસ્ત વિરોધ!

  • June 18, 2026
  • 10 views
Gujarat Teachers Protest: શું અનુભવની કિંમત નથી? TET પરીક્ષા ફરજિયાત સામે ગુજરાતભરમાં શિક્ષકોનો જબરદસ્ત વિરોધ!