
Ahmedabad Plane Crash: અમદાવાદમાં થયેલા ભયાનક વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 177 મૃતકોના DNA સેમ્પલ મેચ થઈ ગયા છે. જેમાંથી 124 મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યા છે, જ્યારે 21 મૃતદેહ આજે તેમના સ્વજનોને સોંપવામાં આવશે.
આટલા દર્દીઓ સારવાર હેઠળ
મળતી માહિતી મુજબ આ દુર્ઘટનામાં 71 ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જેમાંથી બે વ્યક્તિનાં મૃત્યુ થયાં છે. હાલ 42 દર્દીઓને રજા આપવામાં આવી છે, જ્યારે એક દર્દીની હાલત ગંભીર છે અને બાકીના દર્દીઓ સારવાર હેઠળ છે. આ ઉપરાંત, 30 મેડિકલ વિદ્યાર્થીઓ દાખલ હતા, જેમાંથી હવે માત્ર એક વિદ્યાર્થી હોસ્પિટલમાં રહેલો છે.
હોસ્પિટલ સત્તાધિકારીઓએ શું કહ્યું ?
હોસ્પિટલ સત્તાધિકારીઓના જણાવ્યા અનુસાર, મૃતદેહોની ઓળખ અને અને તેને પરિવારજનોને સોંપવાની પ્રક્રિયા અત્યંત સંવેદનશીલ અને કાયદાકીય રીતે ચોક્કસ રીતે હાથ ધરવામાં આવી રહી છે. આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા વ્યક્તિઓના મૃતદેહો વિવિધ પ્રદેશોમાંથી આવેલા પરિવારજનોને સોંપવામાં આવ્યા છે, જેમાં અમદાવાદ (41), વડોદરા (16), ખેડા (10), આણંદ (9), ભરૂચ (5), દીવ (5), સુરત (4), ગાંધીનગર (4), મુંબઈ (3), મહેસાણા (2), અરવલ્લી (2), ઉદેપુર (2), બોટાદ (1), જોધપુર (1), જૂનાગઢ (1), પંચમહાલ (1), ભાવનગર (1), લંડન (1), પાટણ (1), રાજકોટ (1), અને નડિયાદ (1)નો સમાવેશ થાય છે.
હોસ્પિટલ તંત્ર દ્વારા ઝડપી મૃતદેહ સોંપવાના પ્રયાસો
DNA મેચિંગની પ્રક્રિયા ખૂબ જ ગંભીરતાથી અને કાળજીપૂર્વક કરવામાં આવી રહી છે, કારણ કે તેમાં કાયદાકીય અને ભાવનાત્મક પાસાઓ સંકળાયેલા છે. આ પ્રક્રિયા હજુ પણ ચાલુ છે, અને હોસ્પિટલ તંત્ર દ્વારા શક્ય તેટલી ઝડપથી પરિવારજનોને તેમના સ્વજનોના મૃતદેહ સોંપવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો:
Ahmedabad માં ઊંચી ઇમારતોનું કૌભાંડ, નવી સિવિલ હોસ્પિટલ ગેરકાયદે!, વિમાન સલામતી સામે જોખમ
Bhavnagar Heavy Rain: 18 તારીખે ભાવનગરની તમામ શાળાઓ બંધ રાખો: કલેક્ટર
Dirgh Patel Died: પ્લેન ક્રેશ ઘટનામાં ગુજરાતી ક્રિકેટર દીર્ઘ પટેલનો પણ જીવ ગયો
IndiGo વિમાનનું નાગપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, વિમાન કોચીથી દિલ્હી જઈ રહ્યું હતું
Ahmedabad plane crash: ‘મેડિકલ વિદ્યાર્થીના મોતના આંકડા અંગે અફવા’, ડૉક્ટર એસોસિએશનની સ્પષ્ટતા
Ahmedabad plane crash: વિમાન દુર્ઘટના RAT ને કારણે થઈ! પૂર્વ યુએસ નેવી પાઇલટે કહ્યું
Air India ની મુંબઈથી અમદાવાદ આવતી ફ્લાઇટ રદ કરવી પડી, જાણો કારણ