
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ સ્થાપેલી અમદાવાદસ્થિત ગૂજરાત વિદ્યાપીઠના ઇતિહાસમાં પહેલીવાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)નો કાર્યક્રમ યોજાશે. 22મી ડિસેમ્બરે સવારે 9થી બપોરે 12 વાગ્યા સુધી યોજાનારા આ કાર્યક્રમને સજ્જન શક્તિ સંગમ નામ અપાયું છે. કાર્યક્રમમાં IAS, IPS, ડૉક્ટર, પ્રોફેસર, વેપારીઓ, ઉદ્યોગપતિઓ, ફિલ્મ કલાકાર જેવા 450થી વધુ લોકો ઉપસ્થિત રહેશે. બાપુની વિદ્યાપીઠમાં સંઘનો કાર્યક્રમ યોજાવાનો હોવાનું જાણીને ગાંધીવાદીઓએ પોતાનો વિરોધ નોંધાવ્યો છે. આ અંગે ધ ગુજરાત રિપોર્ટના ફાઉન્ડર એડિટર મયુર જાની સાથે મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ વાતચીતમાં ખુબ જ મહત્વપૂર્ણ બાબતોનો ઉલ્લેખ કર્યો છે.
તે ઉપરાંત તુષાર ગાંધીએ એક્સ ઉપર લખ્યું છે કે, જ્યારે બાપુએ સ્થાપેલી ગુજરાત વીદ્યાપીઠ રાસ્વસંઘને શરણે ધરી દિધી ત્યારે હવે એમાં સંઘના કાર્યક્રમ યોજાય તો વીરોધ કરવાથી શું ઊપજવાનું? જેમણે ગદ્દારી કરી એમનો વાંક. બાપુની સંસ્થા હવે સાવરકર, ગોડસેની થઈ ગઈ. સાબરમતી આશ્રમમાં પણ આવુંજ થવાનું.