Ahmedabad: ધો. 10ની વિદ્યાર્થિનીએ સ્કૂલના ચોથા માળેથી છલાંગ લગાવી મોત કેમ વ્હાલું કર્યું?, ઘટનાએ શહેરને હચમચાવ્યું

Ahmedabad Som Lalit School student suicide: અમદાવાદ શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલી જાણીતી સોમ લલિત સ્કૂલમાં ગઈકાલે 24 જુલાઈના રોજ એક હૃદયદ્રાવક ઘટના બની, જેણે સમગ્ર શહેરને હચમચાવી દીધું. ધોરણ 10માં અભ્યાસ કરતી 16 વર્ષની એક વિદ્યાર્થિનીએ સ્કૂલના ચોથા માળેથી છલાંગ લગાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ગંભીર ઈજાઓને કારણે તેને નવરંગપુરાની નિધિ હોસ્પિટલના ICUમાં દાખલ કરવામાં આવી હતી, પરંતુ આજે, 25 જુલાઈના રોજ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું. આ ઘટનાએ શાળા, વાલીઓ અને સમાજમાં શોકનું મોજું ફેલાવ્યું છે, સાથે જ વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય અંગે ગંભીર ચર્ચાઓ ઉભી કરી છે.

આ દુ:ખદ ઘટના 24 જુલાઈના બપોરે 12:27 વાગ્યે બની. CCTV ફૂટેજમાં જોવા મળ્યું કે વિદ્યાર્થિની ચોથા માળની લોબીમાં આવી, હાથમાં કીચેન ફેરવતી હતી અને અચાનક બાલ્કનીની રેલિંગ પરથી કૂદી પડી. તેની સાથે ભણતી એક વિદ્યાર્થિએ તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો અને તેનો હાથ પકડવાની કોશિશ કરી, પરંતુ તે સફળ રહી નહીં. નીચે પટકાતાં વિદ્યાર્થિનીને માથા, હાથ અને પગમાં ગંભીર ઈજાઓ થઈ, જેને કારણે તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી.

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે વિદ્યાર્થિની નારણપુરા વિસ્તારમાં તેના માતા-પિતા, ભાઈ અને બહેન સાથે રહેતી હતી. તેના પિતા ગાંધી રોડ પર દુકાન ધરાવે છે અને ઘટનાના દિવસે સવારે તેને સ્કૂલે મૂકીને ગયા હતા. વિદ્યાર્થિની ગયા મહિને એક મહિનાની રજા પર હતી અને 15 દિવસ પહેલાં જ શાળામાં પાછી ફરી હતી. વાલીએ શાળામાં તેનું મેડિકલ સર્ટિફિકેટ પણ જમા કરાવ્યું હતું, જે બીમારીનો સંકેત આપે છે.

સ્કૂલની પ્રતિક્રિયા

સોમ લલિત સ્કૂલના પ્રિન્સિપાલ લીના અરોરાએ જણાવ્યું કે ઘટનાના દિવસે સવારથી જ વિદ્યાર્થિની અસ્વસ્થ દેખાતી હતી. “સવારે ક્લાસરૂમમાં તે અચાનક ચીસો પાડવા લાગી હતી, જેથી શિક્ષકે તેને શાંત કરી હતી. અમને તેની માનસિક સ્થિતિ વિશે કોઈ ચોક્કસ માહિતી નહોતી,”.

સ્કૂલના ટ્રસ્ટી પ્રગ્નેશ શાસ્ત્રીએ જણાવ્યું કે વિદ્યાર્થિની છેલ્લા પાંચ વર્ષથી શાળામાં અભ્યાસ કરતી હતી અને તેની કોઈ ફરિયાદ કે મુશ્કેલીની જાણ ન હતી. શહેરના ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર (DEO)એ આ ઘટના અંગે શાળા પાસે વિગતવાર રિપોર્ટ માગ્યો છે.

માનસિક સ્વાસ્થ્ય પર નિષ્ણાતનો અભિપ્રાય

સિનિયર સાઇકોલોજિસ્ટ ડો. પ્રશાંત ભીમાણીએ CCTV ફૂટેજનું અવલોકન કર્યા બાદ જણાવ્યું, “વિદ્યાર્થિની લોબીમાંથી પસાર થતી વખતે હાથમાં કીચેન ફેરવી રહી હતી. તેની બોડી લેન્ગ્વેજમાં કૃત્રિમ આત્મવિશ્વાસ અને ગુસ્સો જોવા મળે છે. બની શકે કે તે ડિપ્રેશનના તરંગોમાં હોય, જેમાં એક પળમાં આવો નિર્ણય લેવાઈ શકે છે. આવી ઘટનાઓ વાલીઓ અને શાળાઓ માટે ચેતવણી છે કે વિદ્યાર્થીઓની માનસિક સ્થિતિ પર ધ્યાન આપવું જરૂરી છે.

પોલીસ તપાસ

નવરંગપુરા પોલીસે આ ઘટનાને મેડિકો-લીગલ કેસ તરીકે નોંધીને તપાસ શરૂ કરી છે. આપઘાતનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. પોલીસે સ્કૂલના સ્ટાફ, સાથે ભણતાં મિત્રો અને શિક્ષકોના નિવેદનો લીધા છે અને CCTV ફૂટેજનું વિશ્લેષણ કરી રહી છે. પોલીસ અધિકારીએ જણાવ્યું, “અમે તમામ પાસાંઓની તપાસ કરી રહ્યા છીએ. હાલ ફાઉલ પ્લેની શક્યતા નથી, પરંતુ તમામ શક્યતાઓ ખુલ્લી રાખવામાં આવી છે.

આ ઘટનાએ વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય અને શાળાઓમાં કાઉન્સેલિંગની સુવિધાઓની જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો છે. નિષ્ણાતોનું માનવું છે કે યુવાનોમાં વધતું ડિપ્રેશન અને તણાવ એ એક ગંભીર સમસ્યા છે, જેનો સમયસર સામનો કરવો જરૂરી છે. આ ઘટનાએ વાલીઓ અને શિક્ષણ સંસ્થાઓને એકબીજા સાથે સંવાદ વધારવા અને વિદ્યાર્થીઓની ભાવનાત્મક જરૂરિયાતો પર ધ્યાન આપવા પ્રેર્યા છે.

 

આ પણ વાંચો:

Modi UK visit: અનુવાદકે અંગ્રેજીનું હિન્દીમાં ભાષાંતર કરવામાં ખાધા ગોથા, તો મોદી કેમ હસ્યા?

Rajasthan school collapse: રાજસ્થાનમાં સરકારી શાળા ધરાશાયી, 5 બાળકોના મોત, 30થી વધુ ગંભીર, ઘટના જોઈ હચમચી જશો

UP: ડોક્ટરને ગે એપથી યુવકને હોટલમાં બોલાવવો ભારે પડ્યો, કપડાં કાઢતાં જ કર્યું આ કામ, પડાવ્યા 8 લાખ, વાંચો વધુ

નરેન્દ્ર મોદી આતંકવાદી, ઈસ્લામના મોટા દુશ્મન, અમદાવાદને કબ્રસ્તાનમાં ફેરવ્યું, મુઇઝ્ઝુના સાળાએ પોસ્ટ ડિલિટ કરી | Narendra Modi

Rajasthan: કાકીને વશમાં લેવા કાકાએ ભત્રીજાની બલિ ચઢાવી, ભૂવાએ માગ્યું હતુ કલેજુ, વાંચી ભૂવા પરથી વિશ્વાસ ઉઠી જશે!

Delhi: શારીરિક સંતોષ ના થતાં હવશભૂખી પત્નીએ પતિને પતાવી દીધો, અન્ય સાથે વાતો કરતી!, વાંચી ધ્રુજી જશો!

Related Posts

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years
  • August 2, 2026

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું, 26% increase in heart disease in 10 years, 2026માં 1 લાખ લોકોની હૃદયની ધમની ખારાબ દિલીપ પટેલ અમદાવાદ, 2 ઓગસ્ટ 2026…

Continue reading
Jamnagar Farmers Protest: જામનગરમાં વીજલાઈન વિવાદ, હજારો ખેડૂતોનો કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ
  • July 31, 2026

Jamnagar Farmers Protest: ગુજરાતમાં હાઈ ટેન્શન વીજલાઈન પ્રોજેક્ટને લઈને ખેડૂતોનો વિરોધ સતત વધી રહ્યો છે. કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી અને દેવભૂમિ દ્વારકા બાદ હવે જામનગર જિલ્લામાં પણ મોટી સંખ્યામાં ખેડૂતો રસ્તા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

  • August 2, 2026
  • 3 views
Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

  • August 2, 2026
  • 5 views
Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

  • August 2, 2026
  • 10 views
Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

  • August 1, 2026
  • 7 views
Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

  • August 1, 2026
  • 9 views
Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ

  • August 1, 2026
  • 10 views
Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ