
Amul Milk Price: ગુજરાતના લાખો પશુપાલકો માટે આનંદના સમાચાર સામે આવ્યા છે. અમૂલ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં વધારો અને પશુદાણના વેચાણ ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે, જેનાથી ખેડા, આણંદ અને મહીસાગર જિલ્લાના લગભગ 7 લાખ પશુપાલકોને સીધો ફાયદો થશે. આ ભાવ વધારો 1 જૂનથી લાગુ પડશે.
અમૂલ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે 10 રૂપિયાનો વધારો
જો વાત કરવામાં આવે તો અમૂલ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટ દીઠ 10 રૂપિયાનો વધારો કર્યો છે. અગાઉ પશુપાલકોને 855 રૂપિયા પ્રતિ કિલો ફેટનો ભાવ મળતો હતો, જે હવે વધીને 865 રૂપિયા થયો છે. આ વધારાથી પશુપાલકોની આવકમાં નોંધપાત્ર વધારો થશે, જે ખાસ કરીને નાના અને મધ્યમ કક્ષાના ખેડૂતો માટે રાહતના સમાચાર છે.
દાણના ભાવમાં પણ ઘટાડો
આ ઉપરાંત, અમૂલે પશુદાણના ભાવમાં પણ 35 રૂપિયાનો ઘટાડો કર્યો છે, જેનાથી પશુપાલનનો ખર્ચ ઘટશે અને ખેડૂતોને આર્થિક બોજ ઓછો થશે. અમૂલ દાણની 70 કિલોની બેગ દીઠ રૂપિયા 35 નો અને 50 કિલોની બેગ દીઠ રૂપિયા 25 નો ઘટાડો કરેલ છે. અમૂલ દાણ 70 કિલો બેગ હાલનો ભાવ1540 ને નવો ભાવ1505 કરવામાં આવશે.
આ દાણમાં અગાઉથી કરાયો છે ઘટાડો
આ ઉપરાંત એપ્રિલ મહિનામાં પણ વરદાન દાણમાં બેગ દીઠ રૂપિયા 50, ન્યુટ્રી ગાર્ડ દાણમાં બેગ દીઠ રૂપિયા60, બફેલો દાણમાં બેગ દીઠ રૂપિયા 100, ન્યુટ્રી પાવર દાણમાં બેગ દીઠ રૂપિયા 200નો પહેલાથી ઘટાડો કરવામાં આવેલ છે.
પશુપાલકોને બમણો ફાયદો થશે
મહત્વનું છે કે, અમૂલ ડેરીના ઇતિહાસમાં પ્રથમ વખત એક સાથે દૂધના ખરીદ ભાવમાં વધારો અને અમૂલ દાણના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી પશુપાલકોને બમણો ફાયદો થશે—એક તરફ દૂધના વધુ ભાવ અને બીજી તરફ દાણની ઓછી કિંમત. કહેવામાં આવી રહ્યું છે કે, આ પગલું પશુપાલકોને પ્રોત્સાહન આપવા અને દૂધ ઉત્પાદન વધારવા માટે લેવામાં આવ્યું છે.
આ પણ વાંચો:
AK47 સાથે સુરક્ષા, 6 બંદૂકધારીઓ..Jyoti Malhotra ને પાક.માં મળતી હતી Z-પ્લસ જેવી સુરક્ષા
Hera Pheri 3: પરેશ રાવલે મૌન તોડ્યુ, અક્ષયને આપ્યો જવાબ, પરેશ રાવલ પર શું છે આરોપ?
UP: રસ્તે જતી મહિલાને ચુંબન કરનાર બાઈકચાલક ઝડપાયો
Amritsar Bomb Blast: અમૃતસરમાં જોરદાર વિસ્ફોટ, બોમ્બ મૂકવા આવેલા વ્યક્તિના હાથમાં જ થયો ધડાકો
‘તે બતાવી દીધું કે તું કેવી છે’ Sandeep Reddy Vanga એ Deepika Padukone પર ઠાલવ્યો ગુસ્સો
યુક્રેનને લાંબા અંતરની મિસાઇલોના ઉપયોગની મંજૂરી, પુતિને કહ્યું- ‘યુદ્ધમાં NATO નો સીધો પ્રવેશ’
Gujarat: જામનગરમાં સાત લોકોને થયો કોરોના, સુરત અને બનાસકાંઠામાં પણ નોંધાયા કેસ
Haryana: બાગેશ્વર ધામની કથામાંથી આવ્યા બાદ પરિવારના સાત લોકોએ કરી આત્મહત્યા, કેમ ભર્યું આવું પગલું?
NIA એ CRPF જવાનની કરી ધરપકડ, પાકિસ્તાની ગુપ્તચર અધિકારીઓ સાથે માહિતી શેર કરવાનો આરોપ
TATA અને ખેડૂતોની લડાઈમાં દ્વારકાના RFO કેમ ખીજવાયા? શું મિલીભગત છે?
Gujarat માં Corona ના નવા વેરિયન્ટ LF.7નો પ્રથમ કેસ નોંધાયો, જાણો તે કેટલો છે ખતરનાક
તૈયારીઓ કરી પણ આવવા ન મળ્યું! મોદીના કાર્યક્રમમાં Bachu Khabad ગેરહાજર
Dahod Mgnrega Scam:મંત્રી બચુ ખાબડ વિરુદ્ધ ભ્રષ્ટાચારની ફરિયાદમાં કેવી રીતે થતું હતુ સમાધાન?
‘પાકિસ્તાનથી આવી હોય તેવું લાગે છે’, ભાજપા નેતાની ટિપ્પણીથી વિવાદ | N. Ravikumar
Tapi: ‘પહેલગામ જેવી ઘટના ગુજરાતના સોનગઢમાં બની’, પોલીસે કહ્યું તમે બચી ગયા!
BJP નેતા અમર કિશોર કશ્યપનો જે મહિલા સાથે વીડિયો વાયરલ થયો તેણે શું કહ્યું?
Rajkot Game zone fire: ‘1 વર્ષ વિત્યુ છતાં ન્યાય નથી મળ્યો, ‘આરોપીઓ અમને સોંપો’








