
Cricket Match Fixing: ભારતીય ઘરેલુ ક્રિકેટમાં મેચ ફિક્સિંગની એક ઘટના સામે આવી છે,આસામ ક્રિકેટ એસોસિએશને તેના ચાર ખેલાડીઓને સસ્પેન્ડ કરી દીધા છે,મેચ ફિક્સિંગ કૌભાંડથી ક્રિકેટ જગત ફરી એકવાર શરમજનક સ્થિતિમાં મુકાયું છે.
શુક્રવારે, આસામ ક્રિકેટ એસોસિએશનના સચિવ સનાતન દાસે મીડિયાને જણાવ્યું હતું કે ચાર ખેલાડીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.આ ચાર ખેલાડીઓ અમિત સિંહા, ઇશાન અહેમદ, અમન ત્રિપાઠી અને અભિષેક ઠાકુર છે.સનાતન દાસે જણાવ્યું હતું કે આ ચાર ખેલાડીઓ ક્રિકેટમાં મેચ ફિક્સિંગ જેવી ભ્રષ્ટ પ્રવૃત્તિઓમાં સામેલ હોવાની વાતનો ખુલાસો થયો છે,આ મામલો સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2025 સાથે સંબંધિત છે.
આસામ ક્રિકેટ એસોસિએશન (ACA) ના સચિવ સનાતન દાસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, વિવિધ સ્તરે આસામનું પ્રતિનિધિત્વ કરનારા આ ચાર ક્રિકેટરો પર સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2025 માં આસામ માટે રમનારા કેટલાક ખેલાડીઓને પ્રભાવિત કરવાનો આરોપ છે.આરોપો પર, BCCI ના ભ્રષ્ટાચાર વિરોધી એકમે આ મામલાની તપાસ કરી હતી હવે ACA એ ફોજદારી કાર્યવાહી પણ શરૂ કરી છે.ACA એ જણાવ્યું હતું કે તેઓએ મેચ ફિક્સિંગમાં સંડોવાયેલા ચાર ખેલાડીઓ સામે ગુવાહાટી ક્રાઈમ બ્રાન્ચમાં FIR દાખલ કરી છે.
આસામની ટીમને સૈયદ મુશ્તાક અલી ટ્રોફીના એલીટ ગ્રુપ Aમાં મૂકવામાં આવી હતી.
ભારતના સ્ટાર ક્રિકેટર રિયાન પરાગ પણ આ ટીમ માટે રમે છે. આસામ સાત મેચમાં ફક્ત ત્રણ જીત મેળવી શક્યું હતું અને તેના ગ્રુપમાં આઠ ટીમોમાંથી સાતમા સ્થાને રહ્યું હતું.
નોંધનીય છે કે મેચ ફિક્સિંગ કૌભાંડમાં નામ આપવામાં આવેલા ચાર ખેલાડીઓમાંથી કોઈ પણ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી માટે આસામ ટીમનો ભાગ નહોતો.
આ પણ વાંચો:
Rajkumar Jat Case: ગણેશ ગોંડલનો તા.13 ડિસેમ્બર સુધી ચાલશે નાર્કોટેસ્ટ! શુ હોય છે આ નાર્કોટેસ્ટ? જાણો







