PM મોદી દેશમાં “બચત ઉત્સવ”ના નામે ઢોંગ કરી રહ્યા છે! સરકારે કહ્યું ‘અહીં ફરિયાદ કરો!’

  • India
  • October 2, 2025
  • 0 Comments
  • PM મોદીએ પ્રજાને મુરખ બનાવવા માટે નવો જુમલો ફેંક્યો!
  • જીવનજરૂરીયાતની ચીજ-વસ્તુઓના ભાવમાં કોઈ જ ઘટાડો થયો નથી.
  • અંધભક્તો અને મોદીયા ગેંગને સહારે મોંઘવારીથી પિડાતી પ્રજાને ડામ આપવાનો ખેલ.

GST Bachat Utsav | દેશમાં મોંઘવારીએ માઝા મૂકી છે અને દરેક ચીજ વસ્તુઓ મોંઘી થતાં જનતા પરેશાન છે તેવો આક્ષેપ કરી આ મામલે કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા છે કોંગ્રેસે એક ન્યૂઝ ચેનલમાં GST મુક્તિ બાદ પણ ભાવ ઘટાડો નહિ થયો હોવાના જનતાના રીવ્યુ સાથેના અહેવાલો X ઉપર પોસ્ટ કરી જણાવ્યું છે કે નરેન્દ્ર મોદી દેશમાં “બચત ઉત્સવ” યોજવાનો ઢોંગ કરી રહ્યા છે કારણ કે લોકોને GST મુક્તિથી કોઈ રાહત મળી નથી.

હકીકતમાં રોજિંદા વસ્તુઓ વધુ મોંઘી થઈ ગઈ છે અને વધતી જતી મોંઘવારીથી લોકો વધુને વધુ પરેશાન થઈ રહ્યા છે વાસ્તવિકતા એ છે કે આ એક “ચંપત ઉત્સવ” છે. અથવા તો નરેન્દ્ર દામોદરદાસ મોદીના નવા એક જુમલાનો ઉત્સવ છે એવું કહેવામાં કંઈ જ ખોટું ગણાશે નહીં.

જોકે,દુકાનો અને ઓનલાઈન સ્ટોર્સ સામે ગ્રાહકોમાં ફરિયાદો ઉઠી છે કે GST દરમાં થયેલા ઘટાડા બાદ પણ જુના ભાવો યથાવત છે જેથી લોકોમાં માંગ ઉઠવા પામી છે કે જે પ્રકારે  સરકાર દ્વારા રાહતની જાહેરાત કરવામાં આવી છે મુજબ તેનો અમલ કરવા માટે સરકારે તાત્કાલિક પગલાં ભરવાનીજરૂર છે.

જોકે, ફરિયાદો ઉઠતા આખરે સરકારે ચેતવણી આપી છે કે જો કોઈપણ વેપારી દ્વારા ગ્રાહકો પાસેથી વધુ પડતો ચાર્જ વસૂલવામાં આવશે તો તેઓ સામે પગલાં ભરવામાં આવશે.

ગ્રાહકોને આવા વેપારીઓ સમર ફરિયાદ નોંધાવવા જણાવાયું છે. આ માટે વોટ્સએપ નંબર અને ટોલ ફ્રી નંબર જાહેર કરાયો છે.

■ જાણો ફરિયાદ કેવી રીતે કરવી ?

ટોલ-ફ્રી નંબર: 1915

વોટ્સએપ નંબર: 8800001915

આપને જણાવી દઈએ કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ (CBIC) એ સ્પષ્ટતા કરી છે કે ગ્રાહકો નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન (NCH) પર કૉલ કરીને અથવા WhatsApp સંદેશ મોકલીને ફરિયાદ નોંધાવી શકે છે.

સરકારે ચાર સ્લેબને બે (5% અને 18%) સાથે બદલીને GST દરોને સરળ બનાવવાનો નિર્ણય લીધો છે. આ સુધારાઓએ 99% દૈનિક ઉપયોગની વસ્તુઓના ભાવ ઘટાડ્યા છે. સરકારે જણાવ્યું છે કે તે ભાવ પર સતત દેખરેખ રાખી રહી છે, અને ઘણી કંપનીઓએ ગ્રાહકોને લાભ મળે તે સુનિશ્ચિત કરવા માટે ભાવ ઘટાડાની જાહેરાત કરી છે.

સરકારે એ પણ પુનરોચ્ચાર કર્યો છે કે GST સુધારાનો ખરો હેતુ ગ્રાહકોને રાહત આપવાનો છે, વેપારીઓનો નફો વધારવાનો નથી. તેથી, જો GST ઘટાડા છતાં કોઈપણ વેપારી કે પ્લેટફોર્મ જૂના ભાવ વસૂલવાનું ચાલુ રાખશે, તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. જો તમને GST ઘટાડાનો લાભ મળી રહ્યો નથી તો ગ્રાહક તરીકે ફરિયાદ કરવાનો તમારો અધિકાર   છે.

આ પણ વાંચો:

UP: મંદિરમાં રશિયન મુજરો, મહાદેવના ભક્તોને બતાવ્યો અશ્લીલ ડાન્સ, વીડિયો વાયરલ થતાં…

Gandhinagar: મહિલા કોન્સ્ટેબલ સાથે ક્રૂરતા આચરનાર શંકાસ્પદ આરોપીની ધરપકડ, નિર્વસ્ત્ર હાલતમાં મળ્યો હતો મૃતદેહ

Bhavnagar: સર્વિસમાં મુકેલી કાર લેવા ગયેલા પોલીસકર્મીના પુત્રને રહેંસી નાંખ્યો, હત્યારા ફરાર

‘સસ્પેન્ડ કરો સસ્પેન્ડ કરો’, નવસારી DySPએ બજરંગ દળના કાર્યકરોના જબરજસ્તી તિલક ભૂંસી નાખતાં ભારે વિરોધ | Navsari

UP: સ્કૂલમાં ભણતી પુત્રીને બોયફ્રેન્ડ સાથે રેસ્ટોરન્ટમાં પિતા જોઈ ગયા, બંનેને ગોળી મારી દેતા….

Related Posts

Sofia Firdous: કોંગ્રેસના ધારાસભ્ય સોફિયા ફિરદોસ કોણ છે? જેઓએ ભાજપના સમર્થનમાં મતદાન કર્યું !
  • March 17, 2026

Sofia Firdous: સોમવારે ઓડિશામાં રાજ્યસભાની ચાર બેઠકો માટે મતદાન થયું. આ ચૂંટણીમાં કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોએ ક્રોસ-વોટિંગ કર્યું. આ ત્રણ ધારાસભ્યોમાં રમેશ જેના, દશરથી ગોમાંગો અને સોફિયા ફિરદોસનો સમાવેશ થાય છે.…

Continue reading
Rajya Sabha Elections 2026: રાજ્યસભા ચૂંટણીમાં વિપક્ષના 11 ધારાસભ્યોનું ક્રોસ વોટિંગ ભાજપને ફળ્યું! NDAએ બાજી મારી
  • March 17, 2026

Rajya Sabha Elections 2026: દેશમાં બંગાળ, આસામ અને તમિલનાડુમાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે જેની રાજકીય પક્ષોમાં પૂર્વ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે તે અગાઉ રાજ્યસભા ચૂંટણીમાં NDAએ બાજી મારી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

  • March 18, 2026
  • 2 views
Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

  • March 18, 2026
  • 4 views
BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?

  • March 18, 2026
  • 4 views
NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?

PM Modi: બંગાળમાં ચૂંટણી જીતવા ગર્જના કરી રહેલા મોદી ‘સત્તા’ મળતા જ ગુજરાતને ભૂલી ગયા છે!

  • March 18, 2026
  • 6 views
PM Modi: બંગાળમાં ચૂંટણી જીતવા ગર્જના કરી રહેલા મોદી ‘સત્તા’ મળતા જ ગુજરાતને ભૂલી ગયા છે!

Loss To Farmers: ગુજરાતના ખેડૂતોને લાગ્યું યુદ્ધનું ગ્રહણ,બટાકાની નિકાસ નહિ થતાં રૂ.6500 કરોડનું નુકસાન

  • March 18, 2026
  • 5 views
Loss To Farmers: ગુજરાતના ખેડૂતોને લાગ્યું યુદ્ધનું ગ્રહણ,બટાકાની નિકાસ નહિ થતાં રૂ.6500 કરોડનું નુકસાન

Iran War Update: અલી લારીજાની બાદ હવે કોનો વારો ? ઇઝરાયલે કહ્યું, “અમે મોજતબાને પણ મારી નાખીશું!” નેતન્યાહુનો નવો વિડીયો જાહેર, ઈરાનીઓને કહ્યું “નવરોઝ મુબારક”

  • March 18, 2026
  • 5 views
Iran War Update: અલી લારીજાની બાદ હવે કોનો વારો ? ઇઝરાયલે કહ્યું, “અમે મોજતબાને પણ  મારી નાખીશું!” નેતન્યાહુનો નવો વિડીયો જાહેર, ઈરાનીઓને કહ્યું “નવરોઝ મુબારક”