PM મોદી દેશમાં “બચત ઉત્સવ”ના નામે ઢોંગ કરી રહ્યા છે! સરકારે કહ્યું ‘અહીં ફરિયાદ કરો!’

  • India
  • October 2, 2025
  • 0 Comments
  • PM મોદીએ પ્રજાને મુરખ બનાવવા માટે નવો જુમલો ફેંક્યો!
  • જીવનજરૂરીયાતની ચીજ-વસ્તુઓના ભાવમાં કોઈ જ ઘટાડો થયો નથી.
  • અંધભક્તો અને મોદીયા ગેંગને સહારે મોંઘવારીથી પિડાતી પ્રજાને ડામ આપવાનો ખેલ.

GST Bachat Utsav | દેશમાં મોંઘવારીએ માઝા મૂકી છે અને દરેક ચીજ વસ્તુઓ મોંઘી થતાં જનતા પરેશાન છે તેવો આક્ષેપ કરી આ મામલે કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા છે કોંગ્રેસે એક ન્યૂઝ ચેનલમાં GST મુક્તિ બાદ પણ ભાવ ઘટાડો નહિ થયો હોવાના જનતાના રીવ્યુ સાથેના અહેવાલો X ઉપર પોસ્ટ કરી જણાવ્યું છે કે નરેન્દ્ર મોદી દેશમાં “બચત ઉત્સવ” યોજવાનો ઢોંગ કરી રહ્યા છે કારણ કે લોકોને GST મુક્તિથી કોઈ રાહત મળી નથી.

હકીકતમાં રોજિંદા વસ્તુઓ વધુ મોંઘી થઈ ગઈ છે અને વધતી જતી મોંઘવારીથી લોકો વધુને વધુ પરેશાન થઈ રહ્યા છે વાસ્તવિકતા એ છે કે આ એક “ચંપત ઉત્સવ” છે. અથવા તો નરેન્દ્ર દામોદરદાસ મોદીના નવા એક જુમલાનો ઉત્સવ છે એવું કહેવામાં કંઈ જ ખોટું ગણાશે નહીં.

જોકે,દુકાનો અને ઓનલાઈન સ્ટોર્સ સામે ગ્રાહકોમાં ફરિયાદો ઉઠી છે કે GST દરમાં થયેલા ઘટાડા બાદ પણ જુના ભાવો યથાવત છે જેથી લોકોમાં માંગ ઉઠવા પામી છે કે જે પ્રકારે  સરકાર દ્વારા રાહતની જાહેરાત કરવામાં આવી છે મુજબ તેનો અમલ કરવા માટે સરકારે તાત્કાલિક પગલાં ભરવાનીજરૂર છે.

જોકે, ફરિયાદો ઉઠતા આખરે સરકારે ચેતવણી આપી છે કે જો કોઈપણ વેપારી દ્વારા ગ્રાહકો પાસેથી વધુ પડતો ચાર્જ વસૂલવામાં આવશે તો તેઓ સામે પગલાં ભરવામાં આવશે.

ગ્રાહકોને આવા વેપારીઓ સમર ફરિયાદ નોંધાવવા જણાવાયું છે. આ માટે વોટ્સએપ નંબર અને ટોલ ફ્રી નંબર જાહેર કરાયો છે.

■ જાણો ફરિયાદ કેવી રીતે કરવી ?

ટોલ-ફ્રી નંબર: 1915

વોટ્સએપ નંબર: 8800001915

આપને જણાવી દઈએ કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ (CBIC) એ સ્પષ્ટતા કરી છે કે ગ્રાહકો નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન (NCH) પર કૉલ કરીને અથવા WhatsApp સંદેશ મોકલીને ફરિયાદ નોંધાવી શકે છે.

સરકારે ચાર સ્લેબને બે (5% અને 18%) સાથે બદલીને GST દરોને સરળ બનાવવાનો નિર્ણય લીધો છે. આ સુધારાઓએ 99% દૈનિક ઉપયોગની વસ્તુઓના ભાવ ઘટાડ્યા છે. સરકારે જણાવ્યું છે કે તે ભાવ પર સતત દેખરેખ રાખી રહી છે, અને ઘણી કંપનીઓએ ગ્રાહકોને લાભ મળે તે સુનિશ્ચિત કરવા માટે ભાવ ઘટાડાની જાહેરાત કરી છે.

સરકારે એ પણ પુનરોચ્ચાર કર્યો છે કે GST સુધારાનો ખરો હેતુ ગ્રાહકોને રાહત આપવાનો છે, વેપારીઓનો નફો વધારવાનો નથી. તેથી, જો GST ઘટાડા છતાં કોઈપણ વેપારી કે પ્લેટફોર્મ જૂના ભાવ વસૂલવાનું ચાલુ રાખશે, તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. જો તમને GST ઘટાડાનો લાભ મળી રહ્યો નથી તો ગ્રાહક તરીકે ફરિયાદ કરવાનો તમારો અધિકાર   છે.

આ પણ વાંચો:

UP: મંદિરમાં રશિયન મુજરો, મહાદેવના ભક્તોને બતાવ્યો અશ્લીલ ડાન્સ, વીડિયો વાયરલ થતાં…

Gandhinagar: મહિલા કોન્સ્ટેબલ સાથે ક્રૂરતા આચરનાર શંકાસ્પદ આરોપીની ધરપકડ, નિર્વસ્ત્ર હાલતમાં મળ્યો હતો મૃતદેહ

Bhavnagar: સર્વિસમાં મુકેલી કાર લેવા ગયેલા પોલીસકર્મીના પુત્રને રહેંસી નાંખ્યો, હત્યારા ફરાર

‘સસ્પેન્ડ કરો સસ્પેન્ડ કરો’, નવસારી DySPએ બજરંગ દળના કાર્યકરોના જબરજસ્તી તિલક ભૂંસી નાખતાં ભારે વિરોધ | Navsari

UP: સ્કૂલમાં ભણતી પુત્રીને બોયફ્રેન્ડ સાથે રેસ્ટોરન્ટમાં પિતા જોઈ ગયા, બંનેને ગોળી મારી દેતા….

Related Posts

Kamlesh Parekh Extradition: ₹2672 કરોડના બેંક કૌભાંડમાં મોટો બ્રેકથ્રૂ, UAEથી ભારત લાવવામાં આવ્યો ફરાર આરોપી કમલેશ પારેખ
  • May 2, 2026

Kamlesh Parekh Extradition: સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) ને આર્થિક ગુનાખોરી વિરુદ્ધની લડાઈમાં એક મોટી સફળતા મળી છે. વર્ષોથી ફરાર અને કરોડો રૂપિયાના બેંક કૌભાંડમાં સંડોવાયેલા આરોપી કમલેશ પારેખને સંયુક્ત…

Continue reading
Kapil Sibal: કપિલ સિબ્બલનો મોટો દાવો, સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચના સર્ક્યુલરને યોગ્ય ગણાવી TMCની દલીલ સ્વીકારી
  • May 2, 2026

Kapil Sibal: રાજ્યસભા સાંસદ અને વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે શનિવારે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીની મતગણતરી અંગે મહત્વની સ્પષ્ટતા કરી હતી. તેમણે જણાવ્યું કે સુપ્રીમ કોર્ટે મતોની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Kamlesh Parekh Extradition: ₹2672 કરોડના બેંક કૌભાંડમાં મોટો બ્રેકથ્રૂ, UAEથી ભારત લાવવામાં આવ્યો ફરાર આરોપી કમલેશ પારેખ

  • May 2, 2026
  • 4 views
Kamlesh Parekh Extradition: ₹2672 કરોડના બેંક કૌભાંડમાં મોટો બ્રેકથ્રૂ, UAEથી ભારત લાવવામાં આવ્યો ફરાર આરોપી કમલેશ પારેખ

Talaja Couple Murder Mystery: ભાવનગરના તળાજા સોની દંપતી મોત કેસમાં ચોંકાવનારો ખુલાસો, પૈસા માટે દીકરા-વહુએ જ કરી હત્યા

  • May 2, 2026
  • 5 views
Talaja Couple Murder Mystery: ભાવનગરના તળાજા સોની દંપતી મોત કેસમાં ચોંકાવનારો ખુલાસો, પૈસા માટે દીકરા-વહુએ જ કરી હત્યા

Kapil Sibal: કપિલ સિબ્બલનો મોટો દાવો, સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચના સર્ક્યુલરને યોગ્ય ગણાવી TMCની દલીલ સ્વીકારી

  • May 2, 2026
  • 9 views
Kapil Sibal: કપિલ સિબ્બલનો મોટો દાવો, સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચના સર્ક્યુલરને યોગ્ય ગણાવી TMCની દલીલ સ્વીકારી

Pawan Khera Supreme Court Bail: કોંગ્રેસ નેતા પવન ખેડાને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, કહ્યું- આ બંધારણીય લોકશાહીની જીત

  • May 2, 2026
  • 10 views
Pawan Khera Supreme Court Bail: કોંગ્રેસ નેતા પવન ખેડાને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, કહ્યું- આ બંધારણીય લોકશાહીની જીત

Banni Cheetah Project Gujarat: બન્નીના રણમાં ચિત્તાનું આગમન થશે, કરોડોનો ખર્ચ, પણ શું સુરક્ષા અને સફળતાની ગેરંટી છે?

  • May 2, 2026
  • 10 views
Banni Cheetah Project Gujarat: બન્નીના રણમાં ચિત્તાનું આગમન થશે, કરોડોનો ખર્ચ, પણ શું સુરક્ષા અને સફળતાની ગેરંટી છે?

All India Chemists Strike: ઓનલાઇન દવાઓના વેચાણ સામે 20મીએ દેશવ્યાપી કેમિસ્ટ્સ બંધ, 12 લાખથી વધુ મેડિકલ સ્ટોર્સ રહેશે બંધ

  • May 2, 2026
  • 10 views
All India Chemists Strike: ઓનલાઇન દવાઓના વેચાણ સામે 20મીએ દેશવ્યાપી કેમિસ્ટ્સ બંધ, 12 લાખથી વધુ મેડિકલ સ્ટોર્સ રહેશે બંધ