RSSના શતાબ્દી વર્ષ ઉજવણી વચ્ચે રાહુલ ગાંધીના આ નિવેદનથી ખળભળાટ! જાણો શુ છે મામલો!

  • India
  • October 2, 2025
  • 0 Comments

Rahul Gandhi Viral Video for RSS | આજે દશેરા પર્વ ઉપર RSSની સ્થાપનાને 100 વર્ષ પૂર્ણ થયા છે અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) દ્વારા સંસ્થાના શતાબ્દી વર્ષ નિમિત્તે દેશભરમાં ઉજવણી થઈ રહી છે. ગતરોજ સ્વ-ઘોષિત નોન-બાયોલોજીક, જુમલેબાજેશ્વર, મહામાનવ નરેન્દ્ર મોદીએ દેશનાં અંધભક્તોની આંખોમાં ધૂળ નાંખવાનો વધુ એક પ્રયાસ કર્યો અને ઐતિહાસિક તથ્યોને કોરાણે મૂકી સંઘની પ્રશંસા કરી હતી. જેમાં નરેન્દ્ર દામોદરદાસ મોદીએ સ્વતંત્રતાની લડાઈમાં સંઘના યોગદાન વિશે અને સંઘના વડાઓના બલિદાનો વિશે જાહેર મંચ પરથી ગપગોળાં ફેંક્યા હતાં.

ઐતિહાસિક પૂરાવા વગરના નરેન્દ્ર મોદીના ભાષણની દેશભરના પ્રબુદ્ધ લોકો તેમજ ઇતિહાસકારો ટીકા કરી રહ્યાં છે. મોહન ભાગવતની ગેરહાજરી ઉડીને આંખે વળગે તેવાં સંઘના કાર્યક્રમમાં મોદીએ પોતાની ફેંકવાની કુટેવનું મતિ અનુસારનું પ્રદર્શન કર્યું. તેના બાદ વિપક્ષે પણ મોદીનાં જુઠ્ઠાણાંઓ અંગે સોશિયલ મિડીયામાં ફિટકાર વરસાવવામાં આવ્યો છે. તે સાથે રાહુલ ગાંધીની એક જૂની ટિપ્પણી પણ વાઇરલ થઈ રહી છે.

1924માં વિજયાદશમીના દિવસે સ્થાપિત RSSએ આજે દશેરા પર્વ ઉપર ગુરુવારે 100 વર્ષ પૂર્ણ કર્યા છે,ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની RSSની વિચારધારા અંગેની પ્રતિક્રિયા સોશ્યલ મીડિયા ઉપર વાયરલ થઈ રહી છે, રાહુલ ગાંધીની X ઉપર એક યુઝર્સ દ્વારા મુકાયેલી પોસ્ટમાં રાહુલ ગાંધી બોલતા સંભળાય છે કે “તેમના પુસ્તકમાં, સાવરકરે લખ્યું છે કે તેમણે અને તેમના કેટલાક મિત્રોએ એક વખત એક મુસ્લિમ વ્યક્તિને માર માર્યો હતો અને તે દિવસે તેઓ ખૂબ ખુશ થયા હતા.” આ RSS વિચારધારા છે કે નબળાઓને માર મારવો” આ પ્રકારની પોસ્ટ RSS ના શતાબ્દી વર્ષની ઉજવણી વખતે વાયરલ થતાં આ મામલો ગરમાયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ મામલે વીર સાવરકરના પૌત્ર સત્યકી અશોક સાવરકરે રાહુલ ગાંધી સામે બદનામીનો આરોપ લગાવ્યો હતો.

આપને  જણાવી દઇએ કે એપ્રિલ 2023માં રાહુલ ગાંધી વિરુદ્ધ IPCની કલમો 499 અને 500 અંતર્ગત માનહાનીનો દાવો કરવામાં આવ્યો હતો જેમાં આરોપ કરવામાં આવ્યો હતો કે રાહુલ ગાંધીએ સ્વતંત્ર સેનાની વીર સાવરકર વિશે જુઠ્ઠાણું ફેલાવીને તેઓનું અપમાન કરાયુ હતું.

આ આરોપ વીર સાવરકરના પૌત્ર સત્યકી અશોક સાવરકરે  ફરિયાદમાં જણાવ્યું હતું કે, વર્ષ 2023માં રાહુલ ગાંધીએ લંડનમાં એક ભાષણ  દરમિયાન હિંદુવાદી વિચારધારા ધરાવતા વીર સાવરકરને બદનામ કર્યા હતા. આ ફરિયાદ દાખલ થયા બાદ કોર્ટે સ્થાનિક પોલીસને તપાસના આદેશ આપ્યા હતા.

આમ,આજે ફરી આ ભાષણ વાયરલ થતાં ફરી એકવાર રાહુલ ગાંધીની વિચારધારા સપાટી ઉપર આવતા મામલો ગરમાયો છે અને યૂઝર્સની જુદીજુદી પ્રતિક્રિયા સામે આવી રહી છે.

આ પણ વાંચો:

UP: મંદિરમાં રશિયન મુજરો, મહાદેવના ભક્તોને બતાવ્યો અશ્લીલ ડાન્સ, વીડિયો વાયરલ થતાં…

Gandhinagar: મહિલા કોન્સ્ટેબલ સાથે ક્રૂરતા આચરનાર શંકાસ્પદ આરોપીની ધરપકડ, નિર્વસ્ત્ર હાલતમાં મળ્યો હતો મૃતદેહ

Bhavnagar: સર્વિસમાં મુકેલી કાર લેવા ગયેલા પોલીસકર્મીના પુત્રને રહેંસી નાંખ્યો, હત્યારા ફરાર

‘સસ્પેન્ડ કરો સસ્પેન્ડ કરો’, નવસારી DySPએ બજરંગ દળના કાર્યકરોના જબરજસ્તી તિલક ભૂંસી નાખતાં ભારે વિરોધ | Navsari

UP: સ્કૂલમાં ભણતી પુત્રીને બોયફ્રેન્ડ સાથે રેસ્ટોરન્ટમાં પિતા જોઈ ગયા, બંનેને ગોળી મારી દેતા….

Related Posts

Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?
  • June 18, 2026

Ram Mandir Gujarat Contribution: ૧૯૮૪માં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા શરૂ થયેલું રામજન્મભૂમિ મુક્તિ અભિયાન માત્ર એક રાજકીય આંદોલન નહોતું, પરંતુ તે લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર બની ગયું હતું. ગુજરાતના અમદાવાદ,…

Continue reading
Freedom of Religion: શું આધુનિક ભારતમાં પોતાની પસંદગીનો ધર્મ અને આરાધ્ય પસંદ કરવાની આઝાદી બચી છે?
  • June 18, 2026

Freedom of Religion: કવિ તુલસીદાસે વિનય પત્રિકામાં લખ્યું હતું કે જે રામ અને સીતાના પ્રિય નથી, તેમને ત્યજી દેવા જોઈએ. પરંતુ આજના આધુનિક ‘હિંદુત્વ’એ આ પંક્તિનો અર્થ સંપૂર્ણપણે બદલી નાખ્યો…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?

  • June 18, 2026
  • 3 views
Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?

Nepal-China relations impact: નેપાળ-ચીન સંબંધોમાં નવી દિશા, ભારત માટે પડકાર કે પ્રાદેશિક સહકારની નવી તક?

  • June 18, 2026
  • 4 views
Nepal-China relations impact: નેપાળ-ચીન સંબંધોમાં નવી દિશા, ભારત માટે પડકાર કે પ્રાદેશિક સહકારની નવી તક?

Freedom of Religion: શું આધુનિક ભારતમાં પોતાની પસંદગીનો ધર્મ અને આરાધ્ય પસંદ કરવાની આઝાદી બચી છે?

  • June 18, 2026
  • 7 views
Freedom of Religion: શું આધુનિક ભારતમાં પોતાની પસંદગીનો ધર્મ અને આરાધ્ય પસંદ કરવાની આઝાદી બચી છે?

Odisha Textbook Errors: ઓડિશાના નવા પાઠ્યપુસ્તકોમાં 1,678 ભૂલો, શિક્ષકો-વાલીઓમાં રોષ

  • June 18, 2026
  • 9 views
Odisha Textbook Errors: ઓડિશાના નવા પાઠ્યપુસ્તકોમાં 1,678 ભૂલો, શિક્ષકો-વાલીઓમાં રોષ

Priyank Kharge RSS: RSSની પારદર્શિતા મુદ્દે પ્રિયંક ખડગેનો સવાલ, પ્રતિબંધ નહીં પરંતુ કાનૂની જવાબદારીની માંગ

  • June 18, 2026
  • 8 views
Priyank Kharge RSS: RSSની પારદર્શિતા મુદ્દે પ્રિયંક ખડગેનો સવાલ, પ્રતિબંધ નહીં પરંતુ કાનૂની જવાબદારીની માંગ

Gujarat Teachers Protest: શું અનુભવની કિંમત નથી? TET પરીક્ષા ફરજિયાત સામે ગુજરાતભરમાં શિક્ષકોનો જબરદસ્ત વિરોધ!

  • June 18, 2026
  • 10 views
Gujarat Teachers Protest: શું અનુભવની કિંમત નથી? TET પરીક્ષા ફરજિયાત સામે ગુજરાતભરમાં શિક્ષકોનો જબરદસ્ત વિરોધ!