
- પહેલગામ આતંકવાદી હુમલા માટેના હેલ્પલાઈન નંબર
- 0194-2457543, 0194-2483651
- Adil Fareed, ADC Srinagar – 7006058623
Pahalgam Terror Attack । જમ્મુ – કાશ્મીરના પહેલગાંમની બૈસરન ઘાટીના ખાતે આજે બપોરે 3 વાગ્યાના અરસામાં આતંકવાદીઓએ પ્રવાસીઓ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. પહેલગાંમ આતંકવાદી હુમલામાં મૃત્યુ આંક 27 થયો હોવાની જાણકારી પ્રાપ્ત થાય છે. જેમાં કેટલાંક ગુજરાતી પ્રવાસીઓનો પણ સમાવેશ થાય છે.
આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા પૈકી મોટાભાગના મહારાષ્ટ્ર, કર્ણાટક, તામીલનાડુ, ઓડિશા અને ગુજરાતના પ્રવાસીઓ છે. આ ઉપરાંત, કેટલાંક સ્થાનિક લોકોનું પણ મૃત્યુ થયું છે. કેટલાંક લોકો ગંભીર રીતે ઘવાયા હોવાની માહિતી પણ જાણવા મળી રહી છે.
બનાવને પગલે ગૃહમંત્રી અમિત શાહે હાઈ લેવલ મીટિંગ બોલાવી હતી. તેમજ સાઉદી અરબના પ્રવાસે ગયેલા પીએમ મોદીને બનાવ અંગેની જાણકારી આપી હતી. અને મોડી સાંજે અમિત શાહ પહેલગાંમ જવા નિકળી ગયા હતાં.
અમિત શાહે કહ્યું હતું કે, હું તમામ એજન્સીઓની સાથે સુરક્ષા બેઠક કરવા માટે તાત્કાલિક શ્રીનગર રવાના થવાનો છું. જમ્મુ – કશ્મીરમાં આતંકવાદી હુમલામાં સંડોવાયેલા શખ્સોને છોડવામાં નહીં આવે અને તેઓની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.