
● બલૂચ નેતા મીર યારે ખોલી પોલ
Mir Yar: જમ્મુ અને કાશ્મીરમાં મસ્જિદોની પ્રોફાઇલિંગનો ભારત પર આરોપ લગાવવો પાકિસ્તાનને ભારે પડ્યો છે, તેના પોતાના નેતા હવે પાકિસ્તાની સૈન્ય પર ધાર્મિક સ્થળોને નિશાન બનાવવા અને કુરાન સળગાવવા સહિત બલુચીસ્તાનમાં ગંભીર માનવાધિકાર ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવી રહ્યા છે.
પાકિસ્તાન દ્વારા બલુચિસ્તાનમાં કાળો કેર વર્તાવવામાં આવી રહ્યો છે અને ત્યાંના નાગરિકો મુસ્લિમ હોવાછતાં ત્રાસ ગુજારી જ્યાં નમાજ પઢવામાં આવે છે તેવી મસ્જિદો તોડવામાં આવી રહી હોવાનો ચોંકાવનારો ખુલાસો બલુચિસ્તાનની આઝાદીના લડવૈયા સ્થાનિક નેતા મીર યાર બલોચે કર્યો છે.
મીર યારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યુ છે કે પાકિસ્તાન એક આતંકવાદી દેશ છે જ્યાં હિન્દુઓ, શીખો, ખ્રિસ્તીઓ સહિતના લઘુમતીઓ પર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે અહીં લઘુમતીઓ સુરક્ષિત નથી ત્યારે પાકિસ્તાન ભારત સહિતના બીજા દેશોમાં લઘુમતીઓના અધિકારો અંગે વાત કરે છે પણ આ વાત કરવાનો તેને કોઇ અધિકાર નથી પાકિસ્તાની સેના કટ્ટરવાદીઓ, જિહાદીઓથી ભરેલી છે જેનો ઉપયોગ તે હિન્દુઓને કચડવા માટે કરી રહ્યું છે.
બલુચિસ્તાનના મીર યારે જણાવ્યું હતું કે પાકિસ્તાને સ્વતંત્ર બલુચિસ્તાનમાં લગભગ 40 મસ્જિદોનો તોડી પાડી છે અહીં મસ્જિદો પર બોમ્બથી હુમલા કરવામાં આવી રહયા છે, મસ્જિદોના મૌલવીઓનું અપહરણ કરવું, કુરાન સળગાવવા જેવી અક્ષમ્ય ઘટનાઓને પાકિસ્તાની સેના પોલીસ અને સરકાર અંજામ આપી રહી છે પાકિસ્તાનમાં મસ્જિદો તોડી ધર્મનું અપમાન કરાઈ રહ્યું છે અને મુસલમાનો ઉપર મુસ્લિમ સેના અત્યાચાર કરાય રહ્યો હોવાનું તેઓએ જણાવ્યું હતું.
આ પણ વાંચો:
Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!









