
Journalist Attacked in Bihar: બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાનના બરાબર એક દિવસ પહેલા જ બિહાર ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી તારકિશોર પ્રસાદે એક પત્રકારનો હાથ મચકોડી કાઢી તેના પર હુમલો કર્યાનો એક વીડિયો ભારે વાયરલ થતાં નેતાની આ હરકત જોઈ લોકોમાં અનેક કોમેન્ટ ઉઠી છે તેઓ નેતા તરીકેની ગરિમા ચૂકતા લોકોમાં ટ્રોલ થયા હતા.
વિગતો મુજબ કટિહાર વિધાનસભા મતવિસ્તારના ભાજપના ઉમેદવાર અને પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન તારકિશોર પ્રસાદ એક ચૂંટણી કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા હતા તે સમયે ત્યાં એક સ્થાનિક પત્રકારે તેમને ભાજપ-જેડીયુના 20 વર્ષના શાસનમાં કેટલા કામો થયા?તે અંગે સવાલ પૂછતા જ તેઓ ગુસ્સે થઈ ગયા હતા અને તેઓએ પત્રકારનો હાથ મચકોડ્યો હતો પછી તેના પર હુમલો કર્યો એટલું જ નહિ પણ નેતાના સાથીઓએ પણ પત્રકારને માર મારવા એક થઈ ગયા. પત્રકારે વધુમાં પૂછ્યું હતુ કે તમે 2005થી છો ને?. એટલામાં જ ભાજપ નેતાજી રોષે ભરાઈ ગયા હતા. પત્રકારનું માઈક પકડી હાથ મચકોડી કાઢ્યો હતો. ત્યારબાદ તારકિશોર પ્રસાદે તેના અંગરક્ષકોને પત્રકારની અટકાયત કરવાનો અને તેને જેલમાં ધકેલી દેવા કહ્યું હતુ.
ये BJP के वरिष्ठ नेता और बिहार के पूर्व डिप्टी CM तारकिशोर प्रसाद हैं।
पत्रकार ने पूछा:- 20 साल में मोदी-नीतीश की सरकार ने क्या काम किया?
सवाल सुनते ही तारकिशोर प्रसाद नाराज हो गए, पत्रकार का हाथ मरोड़ने लगे और मारपीट की।
ये है BJP का ‘जंगलराज’- जहां सवाल पूछना गुनाह है। pic.twitter.com/2R9Lrk2gJn
— Congress (@INCIndia) November 10, 2025
બીજી તરફ કોંગ્રેસ પાર્ટીએ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. કોંગ્રેસ નેતાએ કહ્યું કે આ ભાજપના વરિષ્ઠ નેતા અને બિહારના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી તારકિશોર પ્રસાદ છે. જેઓને પત્રકારે માત્ર એટલું પૂછ્યું, કે “મોદી-નીતીશ સરકારે 20 વર્ષમાં શું કર્યું છે?” પ્રશ્ન સાંભળીને, તારકિશોર પ્રસાદ ગુસ્સે થઈ ગયા, તેમણે પત્રકારનો માઇક પકડેલો હાથ મચકોડી હુમલો કર્યો.
આ ભાજપનું “જંગલ રાજ” છે – જ્યાં પ્રશ્નો પૂછવાને ગુનો માનવામાં આવે છે.
આરજેડીએ પણ તારકિશોર પ્રસાદનો આ વીડિયો પણ શેર કર્યો છે. આરજેડીએ લખ્યું છે કે, “જો તમે ભાજપના પૂર્વ નાયબ મુખ્યમંત્રી તારકિશોર પ્રસાદને ભાજપ અને નીતિશ કુમાર સરકારના કામ વિશે પૂછશો, જે 20 વર્ષથી સત્તામાં છે, તો તમને માર મારવામાં આવશે! બધો વાંક પત્રકારનો છે! શું તમને ખબર નથી કે મીડિયાનું એકમાત્ર કામ ભાજપ પાસેથી પૈસા લેવાનું અને તેની પ્રશંસા કરવાનું છે? “બધું બરાબર છે” કહેતા રહો! તમારી બધી પત્રકારત્વ 20 વર્ષ પહેલાની સરકાર પર કેન્દ્રિત કરો અને તમારા ખિસ્સા ભરતા રહો!”
આમ, આ ઘટનાએ ભારે ચકચાર જગાવી હતી અને રાજકારણ ગરમાયુ હતું, લોકશાહીમાં મીડિયાને દરેક નેતાને પૂછવાનો હક્ક છે અને નેતા જવાબ આપવા માટે બંધાયેલા છે ત્યારે હવે મોબાઈલ યુગમાં નેતાઓ જનતા સામે ખુલ્લા પડી રહયા છે.
આ પણ વાંચો:
Gujarat politics: અબજો રૂપિયાનો ધૂમાડો છતા ગરીબીમાં વધારો! 560 ગરીબ કલ્યાણ મેળા પણ પરિણામ સૂન્ય?








