Electricity Scam: બિહારમાં 62,000 કરોડનું વીજળી કૌભાંડ: ભાજપ નેતા આર.કે. સિંહનો ગંભીર આરોપ, CBI તપાસની માગ

  • India
  • November 4, 2025
  • 0 Comments

Bihar Electricity Scam Allegations: બિહાર વિધાનસભા ચૂંટણી ટાળે ભાજપને ફટકો પડે તેવા આરોપ તેમના જ નેતા દ્વારા આવતાં ખળબળાટ મચ્યો છે. ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય વીજળી મંત્રી આર.કે. સિંહે પોતાની જ પાર્ટીની નેતૃત્વવાળી એનડીએ સરકાર પર મોટા કૌભાંડનો આરોપ મૂક્યો છે. તેમણે અદાણી જૂથ સાથેના વીજળી ખરીદી કરારને ‘ગોટાળો’ ગણાવીને કહ્યું કે આમાંથી બિહારને 62,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે, જ્યારે કુલ ગોટાળાની રકમ 1.40 લાખ કરોડ સુધી પહોંચે છે. આર.કે. સિંહે CBI તપાસ અને જવાબદારો સામે ક્રિમિનલ કેસ નોંધવાની માગ કરી છે, જેનાથી મોદી સરકાર માટે મુશ્કેલી વધી ગઈ છે.

આર.કે. સિંહે એબીપી ન્યૂઝ ચેનલને આપેલા એક એક્સક્લુસિવ ઇન્ટરવ્યૂમાં આ આરોપો લગાવ્યા છે. તેમણે કહ્યું, “બિહાર સરકારે એદાની જૂથ સાથે 7.5 રૂપિયા પ્રતિ યુનિટના દરે 25 વર્ષ માટે વીજળી ખરીદીનો કરાર કર્યો છે, જે એક વિશાળ ગોટાળાનું પ્રતીક છે. આ કરારથી બિહારના વીજળી વિભાગને અનેક વર્ષો સુધી નુકસાન થશે.” આર.કે. સિંહના મતે, આ કરારમાં દર નક્કી કરવાની પ્રક્રિયામાં અસ્પષ્ટતા અને અનિયમિતતાઓ છે, જેનાથી રાજ્યને વધુ ખર્ચ થઈ રહ્યો છે.

કરારની વિગતો અને વિવાદ 

બિહાર સરકારે સપ્ટેમ્બર 2025માં અદાણી પાવર લિમિટેડ સાથે 2,400 મેગાવોટ વીજળી પુરવઠાનો 25 વર્ષીય પાવર સપ્લાય એગ્રીમેન્ટ (પીએસએ) પર હસ્તાક્ષર કર્યા હતા. આ કરાર ભાગલપુર જિલ્લામાં નવા ગ્રીનફિલ્ડ થર્મલ પાવર પ્લાન્ટથી વીજળી પૂરી પાડવા માટે છે.

કરાર અનુસાર, અદાણીને 1,020 એકર જમીન 25 વર્ષ માટે માત્ર 1 રૂપિયા પ્રતિ એકરના દરે લીઝ પર આપવામાં આવી છે, જે વિરોધ પક્ષો દ્વારા ‘અનુચિત લાભ’ તરીકે ગણાવાય છે. આર.કે. સિંહે આ કરારને ‘અર્થવ્યવસ્થામાં લૂંટ’ ગણાવ્યો છે. તેમણે કહ્યું, “આ કરારથી બિહારને 62,000 કરોડનું સીધું નુકસાન થશે, કારણ કે વીજળીના દર વધુ છે અને ખરીદીની પ્રક્રિયા પારદર્શક નથી. કુલ મળીને 1.40 લાખ કરોડનો ગોટાળો થયો છે.” તેમણે વધુમાં કહ્યું કે વીજળી વિભાગમાં અધિકારીઓ અને રાજકીય નેતાઓ વચ્ચે મિલીભગતથી આ ગોટાળો થયો છે, જેની તપાસ માટે કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈને સોંપવી જોઈએ. “જવાબદારો સામે તાત્કાલિક કાર્યવાહી કરી ક્રિમિનલ કેસ નોંધવા જોઈએ,”

ઉલ્લેખનીય છે કે આ આરોપ ત્યારે કરવામાં આવ્યા છે જ્યારે બિહાર વિધાનસભાની ચૂંટણી માટે 6 નવેમ્બરે મતદાન થવાનું છે. જેના કારણે એનડીએની મુશ્કેલીઓમાં વધારો થયો છે. હાલ બિહારને જીતવા એનડીએ (જેડીયુ-ભાજપ) અને મહાગઠબંધન (આરજેડી-કોંગ્રેસ) વચ્ચે તીવ્ર સ્પર્ધા ચાલી રહી છે. આર.કે. સિંહના આરોપોથી ભાજપ અંદર જ અસ્વસ્થતા ફેલાઈ ગઈ છે, કારણ કે તેઓ પોતાના જ નેતાનાવક્તવ્યથી ખલબલાયા છે. તાજેતરમાં કોંગ્રેસ નેતા કન્હૈયા કુમારે પણ આ કરાર પર સવાલ ઉભા કર્યા હતા અને કહ્યું હતું કે ભાગલપુર પાવર પ્લાન્ટ પ્રોજેક્ટને એડાનીને આપવાથી રાજ્યને 1 લાખ કરોડથી વધુનો નુકસાન થશે, જે ‘મોદીના મિત્રને લાભ’ આપવાનું કારણ બન્યું છે.

આર.કે. સિંહ, જેઓ પહેલાંથી જ બિહારમાં એનડીએ સરકારની ભ્રષ્ટાચાર વિરુદ્ધ વાત કરી રહ્યા છે, તાજેતરમાં પ્રશાંત કિશોરના આરોપો પર પણ ભાજપ નેતાઓની ચૂપ્પી પર તીખી ટીકા કરી હતી.

તેમના આ નવા આરોપોથી મોદી સરકાર માટે ચૂંટણીમાં વધુ મુશ્કેલીઓ વધી ગઈ છે, કારણ કે વિરોધ પક્ષો આને ‘ભ્રષ્ટાચારનું પુરાવો’ તરીકે ઉપયોગ કરી શકે છે. મહાગઠબંધન નેતા તેજસ્વી યાદવે પણ તાજેતરમાં એનડીએ પર ‘ભ્રષ્ટાચાર અને બેરોજગારી’ના આરોપો લગાવ્યા હતા.

બિહારના વીજળી વિભાગમાં ભ્રષ્ટાચારના આરોપો નવા નથી. અગાઉ પણ અનેક કેસોમાં અનિયમિતતાઓની બાબત સામે આવી છે, જેમ કે જમીન વિતરણ અને કરારોમાં ગેરરીતિઓ. આ કરારને લઈને વિપક્ષોનો દાવો છે કે અદાણી જૂથને અનુચિત લાભ આપવાથી રાજ્યના સામાન્ય લોકોને મોંઘી વીજળી મળશે, જે આર્થિક બોજ વધારશે.

આર.કે. સિંહના આરોપોથી બિહારની રાજનીતિમાં નવો વળાંક આવ્યો છે. જો સીબીઆઈ તપાસ થાય તો આ કેસ કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે તણાવ વધારી શકે છે. ચૂંટણીમાં આ મુદ્દો કેટલો અસર કરશે, તે જોવાનું રહેશે.

આ પણ વાંચો:

Bihar Election: ભત્રીજા માટે ચૂંટણી પ્રચાર કરતાં કાકાને પતાવી દેવાયો, બિહારનો ચૂંટણીનો પ્રચાર લોહીયાળ બન્યો, કોણ છે આરોપી?

Bihar: બિહારમાં મર્ડર-બળાત્કાર સહિતના ગંભીર ગૂનામાં સામેલ 354 આરોપી ઉમેદવારોએ ચૂંટણીમાં ઝંપલાવ્યુ!!”મેરા ભારત મહાન!”

વિશ્વમાં સૌથી વધુ દારૂ ભારતમાં પીવાય છે, વિશ્વના ટોચના દેશોમાં વેચાણ ઘટ્યું, ભારતમાં વધ્યું! | Alcohol | India

દારુ સપ્લાઈ કરતી બોટ ઝડપાઈઃ દમણથી દારૂ ભરી ચોરવાડ ડિલિવરી કરે તે પહેલા જ પકડી

દેશમાં થતાં અકસ્માતો માટે હવે નેતાઓ નહીં રોડ કોન્ટ્રાક્ટરો સીધા જવાબદાર ગણાશે!, લાખ્ખોનો દંડ ભરાવશે | Accident

Related Posts

Udhayanidhi Stalin Sanatan Dharma: “રાવણ અને હિરણ્યકશ્યપના વંશજ”, બ્રિજભૂષણ શરણ સિંહનો ઉદયનિધિ સ્ટાલિન પર વળતો પ્રહાર
  • May 13, 2026

Udhayanidhi Stalin Sanatan Dharma: તમિલનાડુના દ્રવિડ મુન્નેત્ર કઝગમ (DMK) ના નેતા ઉદયનિધિ સ્ટાલિન દ્વારા સનાતન ધર્મ વિશે કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણી બાદ દેશભરમાં રાજકીય પારો ગરમાયો છે. આ મુદ્દે ભાજપના…

Continue reading
Congress Attacks BJP RSS: ‘RSS નો પાકિસ્તાન પ્રેમ ફરી સામે આવ્યો’, દત્તાત્રેય હોસબોલેના નિવેદન પર કોંગ્રેસનો ભાજપ-આરએસએસ પર આકરો પ્રહાર
  • May 13, 2026

Congress Attacks BJP RSS: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના સરકાર્યવાહ દત્તાત્રેય હોસબોલેએ તાજેતરમાં પાકિસ્તાન સાથેના સંબંધોને લઈને એક અત્યંત સૂચક નિવેદન આપ્યું છે, જેણે દેશના રાજકારણમાં ચર્ચા જગાવી છે. ‘પીટીઆઈ-વીડિયો’…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Udhayanidhi Stalin Sanatan Dharma: “રાવણ અને હિરણ્યકશ્યપના વંશજ”, બ્રિજભૂષણ શરણ સિંહનો ઉદયનિધિ સ્ટાલિન પર વળતો પ્રહાર

  • May 13, 2026
  • 2 views
Udhayanidhi Stalin Sanatan Dharma: “રાવણ અને હિરણ્યકશ્યપના વંશજ”, બ્રિજભૂષણ શરણ સિંહનો ઉદયનિધિ સ્ટાલિન પર વળતો પ્રહાર

Congress Attacks BJP RSS: ‘RSS નો પાકિસ્તાન પ્રેમ ફરી સામે આવ્યો’, દત્તાત્રેય હોસબોલેના નિવેદન પર કોંગ્રેસનો ભાજપ-આરએસએસ પર આકરો પ્રહાર

  • May 13, 2026
  • 5 views
Congress Attacks BJP RSS: ‘RSS નો પાકિસ્તાન પ્રેમ ફરી સામે આવ્યો’, દત્તાત્રેય હોસબોલેના નિવેદન પર કોંગ્રેસનો ભાજપ-આરએસએસ પર આકરો પ્રહાર

Arvind Kejriwal: ‘બાંગ્લાદેશ-નેપાળના Gen-Z સરકાર બદલી શકે, તો ભારતના યુવાનો પેપર લીક માફિયાને જેલ કેમ નહીં મોકલે?’ : કેજરીવાલ

  • May 13, 2026
  • 6 views
Arvind Kejriwal: ‘બાંગ્લાદેશ-નેપાળના Gen-Z સરકાર બદલી શકે, તો ભારતના યુવાનો પેપર લીક માફિયાને જેલ કેમ નહીં મોકલે?’ : કેજરીવાલ

Russia India Oil: “બધા દેશો ઘૂંટણિયે નથી પડતા”, ભારત પરના અમેરિકી દબાણ સામે રશિયન વિદેશ મંત્રીની ગર્જના

  • May 13, 2026
  • 3 views
Russia India Oil: “બધા દેશો ઘૂંટણિયે નથી પડતા”, ભારત પરના અમેરિકી દબાણ સામે રશિયન વિદેશ મંત્રીની ગર્જના

Mahuva Fake Mawa Raid: મહુવામાં ‘મોત’નો સામાન વેચતી ૪ ડેરીઓ ઝડપાઈ, ૧૧૮૯ કિલો અખાદ્ય માવો જમીનમાં દાટી દેવાયો!

  • May 13, 2026
  • 10 views
Mahuva Fake Mawa Raid: મહુવામાં ‘મોત’નો સામાન વેચતી ૪ ડેરીઓ ઝડપાઈ, ૧૧૮૯ કિલો અખાદ્ય માવો જમીનમાં દાટી દેવાયો!

Asaduddin Owaisi: ઓવૈસીનો મોદી સરકાર પર હુમલો, પેટ્રોલ-ડીઝલના ભાવવધારા માટે દેશભક્તિનો સહારો લેવાનો આરોપ

  • May 13, 2026
  • 13 views
Asaduddin Owaisi: ઓવૈસીનો મોદી સરકાર પર હુમલો, પેટ્રોલ-ડીઝલના ભાવવધારા માટે દેશભક્તિનો સહારો લેવાનો આરોપ