Bihar: ડેપ્યુટી CM અને BJP ઉમેદવાર વિજયકુમાર સિંહા સામે ચપ્પલો ફેંકાયા, લોકો ઉશ્કેરાતા ભાગવું પડ્યું!

  • India
  • November 6, 2025
  • 0 Comments

Bihar: બિહાર વિધાનસભા ચૂંટણી 2025ના પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન આજે લખીસરાયમાં રાષ્ટ્રીય જનતા દળના સમર્થકોએ રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ભાજપના ઉમેદવાર વિજય કુમાર સિંહાના વાહનને ઘેરી લીધું હતું. સમર્થકોએ “મોતની સજા” ના નારા લગાવ્યા અને તેમની ગાડી પર ચપ્પલ ફેંક્યા. લોકોનો ગુસ્સો ફાટી નીકળતાં તેમને ભાગવું પડ્યું હતુ

વિજય કુમાર સિંહા તેમના મત વિસ્તારમાં મતદાન મથકોનું નિરીક્ષણ કરવા ગયા ત્યારે આ ઘટના બની છે. તેમનો કાફલો મુખ્ય બજાર વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે અચાનક કેટલાક યુવાનોએ સૂત્રોચ્ચાર કરવાનું શરૂ કરી દીધું હતું, જેના કારણે હાજર ભીડમાં હોબાળો મચી ગયો હતો. પોલીસ અને સુરક્ષા કર્મચારીઓએ તાત્કાલિક ભીડને પાછળ ધકેલી દીધી અને નાયબ મુખ્યમંત્રીના કાફલાને સુરક્ષિત રીતે લઈ ગયા. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે તપાસ શરૂ કરવામાં આવી છે અને સંડોવાયેલા વ્યક્તિઓની ઓળખ કરવામાં આવી રહી છે.

આરજેડીના ગુંડાઓએ મારા કાફલા પર હુમલો કર્યો: વિજય સિંહા

વિજય કુમાર સિંહાએ તેમના કાફલા પર પથ્થરમારા અંગે ફોન પર એસપી સાથે વાત કરી અને કહ્યું, “હું ગામમાં છું. ભીડ વધી રહી છે. અહીં ખાસ દળો મોકલો. હું અહીં ધરણા પર બેસીશ. SP ખૂબ નબળા છે અને અહીં ગુંડા આવી પહોંચ્યા છે. તેઓ નાયબ મુખ્યમંત્રીને અંદર આવવા દેતા નથી. તેઓએ પથ્થર અને ગાયનું છાણ ફેંક્યું છે.” તેમણે ઉમેર્યું, “આ આરજેડીના ગુંડાઓ છે. તેમની ગુંડાગીરી જુઓ, જ્યારે તેઓ સત્તામાં આવ્યા નથી ત્યારે પણ. તેઓએ મારા પોલિંગ એજન્ટને ધમકી આપી અને સવારે 6:30 વાગ્યે તેને ભગાડી દીધો. તેઓ મતદારોને બહાર આવવા દેતા નથી.”

બિહારમાં પહેલા તબક્કાનું મતદાન

બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં આજે મતદાન થઈ રહ્યું છે, જેમાં 18 જિલ્લાઓની 121 વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે. સવારથી જ મતદાન મથકો પર મતદારોની લાંબી કતારો જોવા મળી રહી છે. આ તબક્કામાં રાઘોપુર (તેજશ્વી યાદવ), મહુઆ (તેજ પ્રતાપ યાદવ), તારાપુર (નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી) અને લખીસરાય (વિજય કુમાર સિંહા) સહિત અનેક હાઇ-પ્રોફાઇલ બેઠકોનો સમાવેશ થાય છે.

 

આ પણ વાંચો:

Bihar Election: ‘તમારો વોટ પડી ગયો છે’, બિહારમાં મતદાન કર્યા વગર મતદારોને બહાર કાઢ્યા

Bihar Viral Video: બિહારમાં એક મતદાન ભૈંસ પર સવાર થઈ મતદાન મથકે પહોંચ્યા, વીડિયો વાયરલ થતાં…

Bihar Election 2025: બિહારમાં પ્રથમ તબક્કાનું 121 બેઠકો માટે મતદાન, 3.75 કરોડ મતદારો 1314 ઉમેદવારોના ભવિષ્યનો કરશે ફેંસલો

Bihar Election 2025: બિહારમાં પ્રથમ તબક્કાનું 121 બેઠકો માટે મતદાન, 3.75 કરોડ મતદારો 1314 ઉમેદવારોના ભવિષ્યનો કરશે ફેંસલો

Related Posts

Ethanol Scam MP: મધ્યપ્રદેશમાં ઇથેનોલ સ્કેમ! સબસિડી, FCI અને ચોખાના ગોટાળાની સંપૂર્ણ કહાની
  • July 15, 2026

Ethanol Scam MP: હાલના સમયમાં દેશમાં પેટ્રોલ સાથે એથેનોલ ભેળવવાની (બ્લેન્ડિંગ) પ્રક્રિયા પર મોટી ચર્ચાઓ ચાલી રહી છે. એક બાજુ ગ્રાહકો પોતાની ગાડીઓની માઈલેજ અને એન્જિનની સ્થિતિને લઈને ચિંતિત છે,…

Continue reading
Taj Mahal Allahabad HC: તાજમહેલ વિવાદના ષડયંત્રને મોદી સરકાર પણ નકારી ચૂકી છે, તો અલ્હાબાદ હાઈકોર્ટ કેમ ગંભીર?
  • July 15, 2026

Taj Mahal Allahabad HC: તાજેતરમાં અલ્હાબાદ હાઈકોર્ટમાં તાજમહેલને લઈને દાખલ કરવામાં આવેલી એક અરજીએ દેશભરમાં નવી ચર્ચા જગાવી છે. આ અરજીમાં માંગ કરવામાં આવી છે કે તાજમહેલની તપાસ થવી જોઈએ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ethanol Scam MP: મધ્યપ્રદેશમાં ઇથેનોલ સ્કેમ! સબસિડી, FCI અને ચોખાના ગોટાળાની સંપૂર્ણ કહાની

  • July 15, 2026
  • 2 views
Ethanol Scam MP: મધ્યપ્રદેશમાં ઇથેનોલ સ્કેમ! સબસિડી, FCI અને ચોખાના ગોટાળાની સંપૂર્ણ કહાની

Taj Mahal Allahabad HC: તાજમહેલ વિવાદના ષડયંત્રને મોદી સરકાર પણ નકારી ચૂકી છે, તો અલ્હાબાદ હાઈકોર્ટ કેમ ગંભીર?

  • July 15, 2026
  • 3 views
Taj Mahal Allahabad HC: તાજમહેલ વિવાદના ષડયંત્રને મોદી સરકાર પણ નકારી ચૂકી છે, તો અલ્હાબાદ હાઈકોર્ટ કેમ ગંભીર?

Adani US Bribery Case: ગૌતમ અદાણીને જજના બે સીધા સવાલ, 15 જુલાઈ સુધી જવાબ ફરજિયાત

  • July 15, 2026
  • 6 views
Adani US Bribery Case: ગૌતમ અદાણીને જજના બે સીધા સવાલ, 15 જુલાઈ સુધી જવાબ ફરજિયાત

Badrinath Temple Donation Theft: બદ્રીનાથ મંદિર દાન ચોરી કેસમાં મોટો વળાંક, મુખ્ય આરોપીની દેહરાદૂનથી ધરપકડ

  • July 14, 2026
  • 7 views
Badrinath Temple Donation Theft: બદ્રીનાથ મંદિર દાન ચોરી કેસમાં મોટો વળાંક, મુખ્ય આરોપીની દેહરાદૂનથી ધરપકડ

Global Oil Market માં ફરી તણાવ, IEA એ આપી નવી ચેતવણી

  • July 14, 2026
  • 9 views
Global Oil Market માં ફરી તણાવ, IEA એ આપી નવી ચેતવણી

India Health Research Policy: 2047 સુધી હેલ્થ રિસર્ચ પર 6 ગણો ખર્ચ કરશે ભારત, વૈજ્ઞાનિકોના મૂલ્યાંકનમાં મોટો ફેરફાર

  • July 14, 2026
  • 8 views
India Health Research Policy: 2047 સુધી હેલ્થ રિસર્ચ પર 6 ગણો ખર્ચ કરશે ભારત, વૈજ્ઞાનિકોના મૂલ્યાંકનમાં મોટો ફેરફાર