
BJP politics: ભાજપ મતચોરી કરીને સત્તામાં આવ્યુ છે અને તેની શરૂઆત 2014માં ગુજરાતમાંથી શરૂ થઈ જે હવે રાષ્ટ્રીય સ્તરે વિસ્તરી છે અને હજુપણ 50 વર્ષ એવું જ ચાલશે તેમ કહી અમિત શાહના નિવેદનને જોડી રાહુલ ગાંધીએ ભાજપ સામે મતદાનમાં ગરબડ કરવા અંગેના સવાલો ઉઠાવ્યા હતા.
બિહારના મધુબનીમાં મતદાર અધિકાર યાત્રા દરમિયાન, કોંગ્રેસના સાંસદ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ભાજપ પર આકરા પ્રહાર કરી તેના પર ચૂંટણી દરમ્યાન વ્યાપક ગેરરીતિઓનો આરોપ લગાવ્યો હતો.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના અગાઉના નિવેદનનો ઉલ્લેખ કરતા ગાંધીએ કહ્યું, “થોડા વર્ષો પહેલા, અમિત શાહે એક નિવેદન આપ્યું હતું કે ભાજપ સરકાર આગામી 40-50 વર્ષ સુધી સત્તામાં રહેશે ત્યારે હું વિચારી રહ્યો હતો કે તેઓ આવું કોન્ફ્યુડેન્ટલી કેવી રીતે કહી શકે? તેમને કેવી રીતે ખબર પડી?કે આગામી વર્ષોમાં પણ તેઓજ રહેશે જે અત્યારસુધી થતું આવ્યું છે.
આપણે બધા રાજકારણીઓ છીએ, અને ફક્ત જનતા જ જાણે છે કે તેમના મનમાં શું છે. પરંતુ હવે સત્ય ખુલ્લું પડી ગયું છે તેઓ આવા નિવેદનો ફક્ત એટલા માટે આપી શકે છે કારણ કે તેઓ ‘મત ચોરી’માં સામેલ છે.”
કોંગ્રેસના નેતા અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે દાયકાઓ સુધી સત્તામાં રહેવાનો ભાજપનો દાવો “મત ચોરી” સાથે જોડાયેલો છે.તેમણે કહ્યું કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટિપ્પણી કરી હતી કે તેમની પાર્ટી 40-50 વર્ષ સુધી શાસન કરશે તે વાત “સત્ય”ને ઉજાગર કરે છે કે વોટ ચોરી કરી સત્તા મેળવી છે.
ગાંધીએ કહ્યું, “અમિત શાહે ઘણી વાર કહ્યું છે કે ભાજપ સરકાર 40-50 વર્ષ સુધી ચાલશે.તેથી, મને એ વિચારવાની ફરજ પડી કે તેમને કેવી રીતે ખબર પડી કે તેઓ 40-50 વર્ષ સુધી સત્તામાં રહેશે? આ એક વિચિત્ર નિવેદન હતું.”
તેમણે આરોપ લગાવ્યો, “આજે દેશ સમક્ષ સત્ય ખુલી ગયું છે કે તેઓ (ભાજપ) ‘મત ચોરી’માં વ્યસ્ત છે.પહેલા 2014માં મતચોરીની શરૂઆત ગુજરાતમાંથી શરૂ થઈ પછી તે રાષ્ટ્રીય લેવલે અન્ય રાજ્યોમાં પણ ફેલાઈ ગઈ.”
કોંગ્રેસના નેતાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે તેઓ ફક્ત પુરાવાના આધારે નિવેદનો આપે છે, “હું જૂઠું બોલતો નથી, હું ફક્ત ત્યારે જ વાત કહું છું જ્યારે મારી સામે તથ્યો હોય.”
આમ,હવે રાહુલ ગાંધીએ ભાજપના ‘મતચોરી’ પ્રકરણને અમિત શાહના નિવેદન સાથે જોડી તેને મુદ્દો બનાવી પ્રચારમાં લાગી ગયા છે.
આ પણ વાંચો:
Gujarat Rain News: ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે વરસાદની શક્યતા, જાણો ક્યા વિસ્તારોને ઘમરોળશે મેઘરાજા
Rajasthan: ગુજરાતના યાત્રાળુંઓને બંધક બનાવતી રાજસ્થાનની સરકાર, અમિત ચાવડા બરાબરના ગર્જ્યા










