
Iran War: મધ્ય એશિયામાં ફરી એકવાર એક મોટું યુદ્ધ ફાટી નીકળ્યું છે. એશિયામાં ચાલી રહેલા આ યુદ્ધની સીધી અસર ભારત પર પડવાની છે.એમાંય વળી ઈરાન અને ઈઝરાયેલ બંને દેશો ભારતના મિત્ર છે ભારત બંને દેશો સાથે વેપાર સંબંધો છે.ભારત ઈરાન પાસેથી નોંધપાત્ર પ્રમાણમાં તેલ ખરીદે છે ઉપરાંત ભારત અને ઈરાન વચ્ચે સાંસ્કૃતિક અને વેપાર સંબંધો સારા રહ્યા છે એટલુંજ નહિ 2016 માં વડા પ્રધાન મોદીની ઈરાનની મુલાકાત દરમિયાન ચાબહાર બંદર કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ત્યારથી, ભારતે ચાબહાર માટે બજેટ ફાળવ્યું છે. જોકે,યુદ્ધની સંભવિત સ્થિતિ અને અમેરિકાના દબાણને લઈ કથિત રીતે આ વર્ષે પહેલી વાર ચાબહાર માટે કોઈ બજેટ ફાળવવામાં આવ્યું નથી.
■ ભારત પર નોંધપાત્ર અસર પડશે
ધ ડિપ્લોમેટના અહેવાલ મુજબ, ભારત પર નોંધપાત્ર અસર પડી શકે છે કારણ કે ભારત ઈરાન થકી મધ્ય એશિયા સાથે વેપારમાં જોડાય છે. ચીન અને પાકિસ્તાનનો સામનો કરવા માટે ચાબહાર બંદર ભારત માટે પણ મહત્વપૂર્ણ છે.ચીન પાકિસ્તાનના ગ્વાદર બંદર પર કબજો કરવા માંગે છે અને વિકાસ પ્રોજેક્ટ્સ હાથ ધરી રહ્યું છે. તેથી, ચાબહાર બંદર માટે ભારતનો કરાર ખૂબ જ વ્યૂહાત્મક પગલું મનાતું હતું.
ચીન અને પાકિસ્તાન મધ્ય એશિયા પર ભારતની પકડ નબળી પાડવા માંગે છે. ચીન અફઘાનિસ્તાન અને પાકિસ્તાનને એક કરીને આગળ વધવાની રણનીતિ વિકસાવવા માંગે છે. જો ચાબહાર માર્ગ અવરોધિત થાય છે, તો ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેના વેપાર સંબંધો પ્રભાવિત થશે, અને ચીન આનો લાભ લેવાનો પ્રયાસ કરશે. જો અફઘાનિસ્તાનમાં ચીનનો પ્રભાવ વધશે તો પાકિસ્તાનને પણ ફાયદો થશે અને ભારતને નુકશાન થઈ શકે છે અને અત્યાર સુધી કરેલો ખર્ચ પાણીમાં જશે.
● રેર અર્થ ખનિજોનો પુરવઠો અવરોધાશે
ઈરાન કઝાકિસ્તાન જેવા દેશો સાથે પણ વેપાર કરે છે, અને ભારત યુરેનિયમ જેવા દુર્લભ પૃથ્વી ખનિજોની આયાત કરે છે. આ યુદ્ધ દુર્લભ પૃથ્વી ખનિજોના પુરવઠાને અવરોધ ઉભો થવાની પણ અસર કરી શકે છે.
■ પાકિસ્તાનને કેવી રીતે ફાયદો થઈ શકે છે
ઈરાન અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો હાલમાં બહુ સારા નથી. જોકે, જો ઈરાન નબળો પડે છે, તો એક ઇસ્લામિક રાષ્ટ્ર તરીકે આ ક્ષેત્રમાં પાકિસ્તાનની પકડ મજબૂત થઈ શકે છે. નિષ્ણાતો કહે છે કે જો યુદ્ધ લંબાય છે, તો અમેરિકા ઈરાન પર પોતાની પકડ મજબૂત કરવા માટે પાકિસ્તાની જમીનનો ઉપયોગ કરી શકે છે. આવી સ્થિતિમાં, પાકિસ્તાન પણ અમેરિકાથી ફાયદો મેળવવાનો પ્રયાસ કરશે. ડોનાલ્ડ ટ્રમ્પ પહેલાથી જ અફઘાન-પાકિસ્તાન યુદ્ધ માટે પાકિસ્તાનની પ્રશંસા કરી ચૂક્યા છે. આ ડોનાલ્ડ ટ્રમ્પના ઇરાદાઓને સમજાવવામાં મદદ કરી શકે છે. અમેરિકા પાકિસ્તાનને નાણાકીય સહાય પણ વધારી શકે છે.આમ,ભારતના વેપાર માટે અવરોધ અને વ્યૂહાત્મક રીતે ભારતને મોટું નુકસાન અને ચીન-પાકિસ્તાન માટે ફાયદો થઈ શકે છે.





