Iran War: ઈરાન યુદ્ધથી ભારતને નુકશાન અને પાકિસ્તાનને થશે ફાયદો?જાણો કેવી રીતે?

  • World
  • March 1, 2026
  • 0 Comments

Iran War: મધ્ય એશિયામાં ફરી એકવાર એક મોટું યુદ્ધ ફાટી નીકળ્યું છે. એશિયામાં ચાલી રહેલા આ યુદ્ધની સીધી અસર ભારત પર પડવાની છે.એમાંય વળી ઈરાન અને ઈઝરાયેલ બંને દેશો ભારતના મિત્ર છે ભારત બંને દેશો સાથે વેપાર સંબંધો છે.ભારત ઈરાન પાસેથી નોંધપાત્ર પ્રમાણમાં તેલ ખરીદે છે ઉપરાંત ભારત અને ઈરાન વચ્ચે સાંસ્કૃતિક અને વેપાર સંબંધો સારા રહ્યા છે એટલુંજ નહિ 2016 માં વડા પ્રધાન મોદીની ઈરાનની મુલાકાત દરમિયાન ચાબહાર બંદર કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ત્યારથી, ભારતે ચાબહાર માટે બજેટ ફાળવ્યું છે. જોકે,યુદ્ધની સંભવિત સ્થિતિ અને અમેરિકાના દબાણને લઈ કથિત રીતે આ વર્ષે પહેલી વાર ચાબહાર માટે કોઈ બજેટ ફાળવવામાં આવ્યું નથી.

■ ભારત પર નોંધપાત્ર અસર પડશે

ધ ડિપ્લોમેટના અહેવાલ મુજબ, ભારત પર નોંધપાત્ર અસર પડી શકે છે કારણ કે ભારત ઈરાન થકી મધ્ય એશિયા સાથે વેપારમાં જોડાય છે. ચીન અને પાકિસ્તાનનો સામનો કરવા માટે ચાબહાર બંદર ભારત માટે પણ મહત્વપૂર્ણ છે.ચીન પાકિસ્તાનના ગ્વાદર બંદર પર કબજો કરવા માંગે છે અને વિકાસ પ્રોજેક્ટ્સ હાથ ધરી રહ્યું છે. તેથી, ચાબહાર બંદર માટે ભારતનો કરાર ખૂબ જ વ્યૂહાત્મક પગલું મનાતું હતું.

ચીન અને પાકિસ્તાન મધ્ય એશિયા પર ભારતની પકડ નબળી પાડવા માંગે છે. ચીન અફઘાનિસ્તાન અને પાકિસ્તાનને એક કરીને આગળ વધવાની રણનીતિ વિકસાવવા માંગે છે. જો ચાબહાર માર્ગ અવરોધિત થાય છે, તો ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેના વેપાર સંબંધો પ્રભાવિત થશે, અને ચીન આનો લાભ લેવાનો પ્રયાસ કરશે. જો અફઘાનિસ્તાનમાં ચીનનો પ્રભાવ વધશે તો પાકિસ્તાનને પણ ફાયદો થશે અને ભારતને નુકશાન થઈ શકે છે અને અત્યાર સુધી કરેલો ખર્ચ પાણીમાં જશે.

● રેર અર્થ ખનિજોનો પુરવઠો અવરોધાશે

ઈરાન કઝાકિસ્તાન જેવા દેશો સાથે પણ વેપાર કરે છે, અને ભારત યુરેનિયમ જેવા દુર્લભ પૃથ્વી ખનિજોની આયાત કરે છે. આ યુદ્ધ દુર્લભ પૃથ્વી ખનિજોના પુરવઠાને અવરોધ ઉભો થવાની પણ અસર કરી શકે છે.

■ પાકિસ્તાનને કેવી રીતે ફાયદો થઈ શકે છે

ઈરાન અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો હાલમાં બહુ સારા નથી. જોકે, જો ઈરાન નબળો પડે છે, તો એક ઇસ્લામિક રાષ્ટ્ર તરીકે આ ક્ષેત્રમાં પાકિસ્તાનની પકડ મજબૂત થઈ શકે છે. નિષ્ણાતો કહે છે કે જો યુદ્ધ લંબાય છે, તો અમેરિકા ઈરાન પર પોતાની પકડ મજબૂત કરવા માટે પાકિસ્તાની જમીનનો ઉપયોગ કરી શકે છે. આવી સ્થિતિમાં, પાકિસ્તાન પણ અમેરિકાથી ફાયદો મેળવવાનો પ્રયાસ કરશે. ડોનાલ્ડ ટ્રમ્પ પહેલાથી જ અફઘાન-પાકિસ્તાન યુદ્ધ માટે પાકિસ્તાનની પ્રશંસા કરી ચૂક્યા છે. આ ડોનાલ્ડ ટ્રમ્પના ઇરાદાઓને સમજાવવામાં મદદ કરી શકે છે. અમેરિકા પાકિસ્તાનને નાણાકીય સહાય પણ વધારી શકે છે.આમ,ભારતના વેપાર માટે અવરોધ અને વ્યૂહાત્મક રીતે ભારતને મોટું નુકસાન અને ચીન-પાકિસ્તાન માટે ફાયદો થઈ શકે છે.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

Related Posts

Liberal World Order Crisis: લિબરલ વર્લ્ડ ઓર્ડરના પતનની પાછળની અસલી કહાની
  • June 15, 2026

Liberal World Order Crisis: લિબરલ વર્લ્ડ ઓર્ડર કે જેને આપણે આધુનિક સંસ્કારી દુનિયાનો પાયો માની રહ્યા હતા, તે આજે પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ રહ્યું છે. આ નિષ્ફળતા માત્ર નીતિગત…

Continue reading
Pakistan Economic Survey and Budget: પાકિસ્તાનનો આર્થિક સર્વે સ્થિરતાની વાત કરે છે, પરંતુ બજેટે વિકાસના નબળા પાયાને ઉજાગર કર્યો
  • June 15, 2026

Pakistan Economic Survey and Budget: પાકિસ્તાનના નાણા મંત્રાલય દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલા આર્થિક સર્વેક્ષણ અને આગામી નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ના બજેટ દસ્તાવેજો એક વિચિત્ર અને ચિંતાજનક આર્થિક ચિત્ર રજૂ કરે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ankita Bhandari Case: અંકિતા ભંડારી કેસના ‘વીઆઈપી’ વિવાદમાં નવો વળાંક, ભાજપના પૂર્વ ધારાસભ્યની ધરપકડ

  • June 16, 2026
  • 4 views
Ankita Bhandari Case: અંકિતા ભંડારી કેસના ‘વીઆઈપી’ વિવાદમાં નવો વળાંક, ભાજપના પૂર્વ ધારાસભ્યની ધરપકડ

Chhattisgarh School Prayer: શિક્ષણ કે ધાર્મિક એજન્ડા? છત્તીસગઢની શાળાઓમાં દિવસમાં ત્રણ વખત પ્રાર્થના ફરજિયાત

  • June 16, 2026
  • 4 views
Chhattisgarh School Prayer: શિક્ષણ કે ધાર્મિક એજન્ડા? છત્તીસગઢની શાળાઓમાં દિવસમાં ત્રણ વખત પ્રાર્થના ફરજિયાત

Akal Takht Bhagwant Mann: પંજાબમાં રાજકીય-ધાર્મિક ભૂકંપ, અકાલ તખ્તે મુખ્યમંત્રી ભગવંત માનને કહ્યા ‘ગુરુ દોષી’

  • June 16, 2026
  • 10 views
Akal Takht Bhagwant Mann: પંજાબમાં રાજકીય-ધાર્મિક ભૂકંપ, અકાલ તખ્તે મુખ્યમંત્રી ભગવંત માનને કહ્યા ‘ગુરુ દોષી’

NEET re exam Telegram ban: પરીક્ષા માફિયાઓ સામે કાર્યવાહી કે ડિજિટલ નિયંત્રણ? ૨૨ જૂન સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ

  • June 16, 2026
  • 12 views
NEET re exam Telegram ban: પરીક્ષા માફિયાઓ સામે કાર્યવાહી કે ડિજિટલ નિયંત્રણ? ૨૨ જૂન સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ

Tribal Identity Crisis: આદિવાસી અનામત પર કોનો હક? સંસ્કૃતિ છોડ્યા પછી પણ બેવડો લાભ લેનારાઓ સામે આક્રોશ!

  • June 16, 2026
  • 12 views
Tribal Identity Crisis: આદિવાસી અનામત પર કોનો હક? સંસ્કૃતિ છોડ્યા પછી પણ બેવડો લાભ લેનારાઓ સામે આક્રોશ!

BJP Alliance Strategy: વાજપેયી-અડવાણીના સહારે ઊભેલા પ્રાદેશિક દિગ્ગજો આજે મોદી-શાહની ભાજપ સામે કેમ બેકફૂટ પર આવ્યા?

  • June 16, 2026
  • 8 views
BJP Alliance Strategy: વાજપેયી-અડવાણીના સહારે ઊભેલા પ્રાદેશિક દિગ્ગજો આજે મોદી-શાહની ભાજપ સામે કેમ બેકફૂટ પર આવ્યા?