
College Student: આજકાલના બાળકોને સમજવા ખૂબ અઘરા હોય છે અને અતિ વ્યસ્ત સમયમાં તેઓ શુ વિચારે છે? શું ઈચ્છે છે ? તેઓનું ફ્રેન્ડ સર્કલ શુ છે? ક્યાં જાય છે? મોબાઈલમાં શુ કરે છે? કે તેઓ પાસે બેસીને તેઓને વાત કરવાનો કોઈ પાસે સમય નથી આવા સમયે બાળકો ખોટું પગલું ભરી બેસે ત્યારે હાહાકાર મચી જાય છે અને ક્યારેક વહાલસોયાને કાયમ માટે ખોવાનો વારો આવે છે.
આવીજ એક ઘટના સુરતમાં બની છે જે સમાજ માટે લાલબત્તી સમાન કિસ્સો છે,સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં આવેલા સણીયા કણદે રોડ પરના આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીઓ જ્યોત્સના ચૌધરી અને રોશની શિરસાઠેના મૃતદેહ મળી આવ્યા.
આ બન્ને વિદ્યાર્થીનીઓ કોલેજમાં સ્ટડી કરતી હતી તો અહીં કેવી રીતે આવી? શુ તેઓએ સ્વેચ્છાએ અંતિમ પગલું ભર્યું કે કોઈ દબાણ હતું કે પછી હત્યાનો બનાવ છે કે પછી તેઓના મોતનું કારણ શું હતું? તે એક કોયડો બની ગયો છે કારણ કે પોલીસને એવી કોઈ સુસાઇડ નોટ પણ નથી મળી ત્યારે આ કેસ જટિલ બની ગયો છે.
પોલીસને જે પણ મળ્યું તેમાં મૃતક રોશની શિરસાઠેના મોબાઈલમાં ChatGPT પર સર્ચ કરેલું ‘How to commit Suicide!’ મળ્યું છે સાથે સાથે કથિત આત્મહત્યાના પુરાવામાં અને ઇન્જેક્શન તથા ઝેરની બોટલ મળી છે પણ ઘણા સવાલો હજુ ઉભા છે.
ઉધના સિટીઝન કોલેજમાં અભ્યાસ કરતી 18 વર્ષીય રોશની શરદ શિરસાઠ અને 20 વર્ષીય જ્યોત્સના અતુલ ચૌધરી 7 માર્ચના રોજ સવારે 7 વાગ્યે કોલેજ જવા નીકળ્યા બાદ પરત ન ફરતા પરિવારજનોએ ઉપરા ઉપરી ફોન અને મેસેજ કરવા છતાં તેઓએ ફોન નહિ ઉપાડતા
ચિંતામાં આવી ગયા હતા રોજ 12:30 કલાકે ઘરે આવી જતી દીકરીઓ 1:30 સુધી નહીં આવતા ખૂબજ લાંબા સમય સુધી શોધખોળના અંતે ડીંડોલી પોલીસને જાણ કરાય છે અને મોબાઈલ ટ્રેસ કરતા લોકેશન સણીયા કણદે રોડ પરના આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરનું આવતા પરિવારજનો ત્યાં પહોંચ્યા હતા જ્યાં મંદિરના પરિસરમાંથી તેમનું સ્કૂટી મળે છે પણ યુવતીઓનો આખા મંદિરમાં ક્યાંય પત્તો મળતો નથી પણ એક બાથરૂમની લાઈટ ચાલુ જણાતા તે બાથરૂમનો દરવાજો પોલીસની હાજરીમાં તોડી તપાસ કરતા બંને બેભાન જેવું લાગતા તેમને પહેલા ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા ત્યાંથી સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા જ્યાં ફરજ પરના ડોક્ટરે બન્નેને મૃત જાહેર કરતા પરિવારજનો પડી ભાંગે છે, પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી બન્નેના મોતના કારણો જાણવા વધુ તપાસ હાથ ધરી છે પણ આ ઘટનાને લઈ ભારે સનસનાટી મચી ગઇ છે બન્નેના પરિવાર ઉપર આભ તૂટી પડ્યું છે અને આમ અચાનક બની ગયેલા આ બનાવને લઈ આઘાતમાં સરી પડયા છે.
જ્યોત્સના ચૌધરી અને રોશની શિરસાઠે આ બન્ને યુવતીઓ નાનપણની મિત્ર હતી અને પહેલા ધોરણથી લઈ 12 ધોરણ સુધી સાથેજ ભણી છે જેથી ખુબજ ક્લોઝ ફ્રેન્ડ હતી તેઓ કોલેજમાં આવ્યા બાદ જુદા પડ્યા હતા આ માહિતી મૃતકના પરીવારજનોએ આપી હતી.
પોલીસે મંદિરના CCTV ચેક કરતા બન્ને બહેનપણી મંદિરના બાથરૂમ તરફ જતી દેખાય છે અને બાથરૂમમાંથી ઇન્જેક્શન તેમજ દવાની બોટલ મળી આવતા પોલીસે બન્ને યુવતીઓના મોબાઈલ સહિત બાથરૂમમાંથી મળેલા ઈન્જેક્શન તેમજ બોટલો કબ્જે લઈ FSLની મદદ લઇ તપાસ હાથ ધરી છે,આ ઘટનાને લઈ અનેક રહસ્યના તાણાવાણા સર્જાયા છે ત્યારે પોલીસ તપાસ બાદ સાચું કારણ જાણી શકાશે પણ આ કિસ્સો સમગ્ર સમાજ માટે લાલબત્તી સમાન છે.
આ પણ વાંચો:
OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!









