Delhi: PM મોદી ‘કૃત્રિમ યમુના’માં ડૂબકી ના લગાવી શકતાં દોષનો ટોપલો વિપક્ષ પર ઠાલવ્યો, પોતાનું અપમાન છઠ માતાનું ગણાવ્યું!

  • India
  • October 30, 2025
  • 0 Comments

Delhi: દિલ્હીમાં મોદી માટે બનાવેલા કૃત્રિમ ઘાટની પોલ ખૂલી જતાં યમૂના નદીમાં ડબૂકી લગાવવાનું ટાળ્યું હતુ. મોદી માટે યમુના નદીને કિનારે સ્વચ્છ પાણી ભરી અલગથી ઘાટ બનાવતાં વિવાદ થયો હતો. જે બાદ મોદી ત્યા ડૂબકી પણ લગાવવા ગયા નથી. કારણે કૃત્રિમ યમુના ઘાટ બનવતાં મોટો વિવાદ ઉભો થયો હતો. જેથી હવે મોદી ડૂબકી ના લગાવી શકતાં તમામ દોષનો ટોપલો વિપક્ષ પર ઠાલવ્યો છે. તેમણે પોતાનું અપમાન છઠ માતાનું ગાણાવી દીધુ. મતલબ ખુદની સરખાણી મોદીએ છઠ માતા સાથે કરી નાખી. પહેલા ખુદને નોન બાયોલિજિકલ ગણાવતા હતા. હવે પોતાને ભગવાન સાબિત કરી રહ્યા છે.

મોદી કૃત્રિમ યમુનામાં ડૂબકી ના લગાવી શકતાં કહ્યું આ કોંગ્રેસ અને આર.જે.ડીએ છઠ માતાનું અપમાન કરી રહ્યા છે. જો કે હકીકતમાં આ છઠ માતાનું અપમાન નથી. ખુદ વડાપ્રધાન મોદીનું અપમાન છે. કારણે મોદી માટે અલગથી સ્વચ્છ પાણીની વ્યવસ્થા કરતાં વીડિયો વાયરલ થઈ ગયા હતા. જેથી ભાજપ સરકારની સ્વચ્છતાની બેદરકારી બહાર આવી હતી. મોદી યમુનાના ગંદા પાણીથી ના ન્હાવુ પડે તે માટે અલગથી પાણીની વ્યવસ્થા કરાઈ હતી. જ્યારે સામાન્ય માણસોને આ સરકાર યમુનાનું ગંદુ પાણી પીવા માટે આપી રહી છે. જેથી મોદી સરકાર બરાબર ઘેરાઈ છે.

આ મામલે કોંગ્રેસ નેતા પવન ખેડાએ મોદી પર સોશિયલ મિડિયા પર પ્રહાર કર્યા છે. તેમણે X પર લખ્યું 5 સ્ટાર બિસ્લેરી પૂલ નાટકનો પર્દાફાશ થયો ત્યારે વડા પ્રધાન ગુસ્સે ભરાયા હતા. પોતાની બદનામી છુપાવવા માટે તેઓ હવે તેને છઠી મૈયાનું અપમાન  ગણાવી રહ્યા છે.  શું તેઓ પોતાની સરખામણી છઠ માતા સાથે કરવાની શું જરુર? તેમણે પહેલેથી જ પોતાને નોન બાયોલોજિકલ જાહેર કરી દીધા છે, અને હવે તેઓ પોતાને ભગવાન જાહેર કરવાની મૂર્ખતા કરી રહ્યા છે.

શું છે મામલો?

દિલ્હીના યુમના ઘાટ પર યોજાનાર છઠ પૂૂજા કાર્યક્રમ(27 ઓક્ટોબરે) રદ કર્યો હતો. તેનું મુખ્ય કારણ દિલ્હીની યમુના નદીમાં પ્રદૂષણની ગંભીર સમસ્યા અને તેની આસપાસનો રાજકીય વિવાદ હતો. આમ આદમી પાર્ટી (AAP) એ આરોપ લગાવ્યો હતો કે દિલ્હીની રેખા ગુપ્તા સરકારે મોદી ડૂબકી લગાવે તે માટે “નકલી યમુના” અથવા કૃત્રિમ ઘાટ બનાવ્યો હતો.  જે ફોટોશૂટ માટે સ્વચ્છ પાણીનો દેખાવ બનાવવા માટે વઝીરાબાદ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના ફિલ્ટર કરેલા પાણીથી ભરેલું હતું.

AAP નેતા સૌરભ ભારદ્વાજે તેને “બિસ્લેરી તળાવ” ગણાવ્યું હતું અને કહ્યું હતું કે વાસ્તવિક યમુના એટલી પ્રદૂષિત હતી કે તેમાં સ્નાન કરવું જોખમી હતું. આ ખુલાસા બાદ, વડા પ્રધાન કાર્યાલયે સ્નાન રદ કર્યું હતું, જેને AAP એ ભાજપની નિષ્ફળતાનો પુરાવો ગણાવ્યો હતો.

ભાજપે વળતો જવાબ આપતા કહ્યું હતું કે યમુનાનું પાણી ફક્ત સ્નાન માટે જ નહીં પરંતુ પીવા માટે પણ સ્વચ્છ હતું, અને પ્રદૂષણમાં 90% ઘટાડો થયો છે. જો કે, સત્તાવાર ડેટા દર્શાવે છે કે નદી હજુ પણ સંપૂર્ણપણે સ્વચ્છ નથી. બિહારની ચૂંટણી પહેલા છઠ પૂજા દરમિયાન આ વિવાદ વધુ તીવ્ર બન્યો હતો, જ્યાં પૂર્વાંચલના સ્થળાંતર કરનારાઓની લાગણીઓ એક મુદ્દો બની હતી. રાહુલ ગાંધીએ પણ તેને ‘તળાવ નાટક’ ગણાવીને તેના પર નિશાન સાધ્યું. એકંદરે, પ્રદૂષણના ખુલાસા અને રાજકીય દબાણને કારણે આ ડૂબકી રદ કરવામાં આવી હતી.

આ પણ વાંચો:

Delhi: શું PM મોદી “કૃત્રિમ યમુના”માં સ્નાન કરશે?, જુઓ વીડિયો

Rajkot: ચકડોળના ફિટનેસ સર્ટિફિકેટ માટે 50 હજારની લાંચ લેતા RNBના અધિકારીઓ રંગેહાથ ઝડપાયા

Rajkot: કાળી ચૌદશે રાજકોટમાં ખેલાયો ખૂની ખેલ, બે સગા ભાઈ સહિત 3 લોકો ગુમાવ્યા જીવ

 Gujarat: વરસાદી માહોલ વચ્ચે ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાતા ફરી ભારે વરસાદની આગાહી

Related Posts

H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?
  • December 13, 2025

H3N2 Virus: બ્રિટનમાં દેખાયેલો H3N2 વાયરસ પાકિસ્તાન સુધી પ્રસરી ગયો છે ત્યારે વિશ્વ આરોગ્ય સંસ્થા અનુસાર, આ વાયરસ ઈન્ફલ્યુએન્ઝા A નો એક પ્રકાર છે,જેને સબક્લેડ K તરીકે ઓળખવામાં આવે છે,તેમાં…

Continue reading
Tariff-News: ભારત પરનો 50% ટેરિફ નાબૂદ કરો! US સંસદમાં પ્રસ્તાવ રજૂ!
  • December 13, 2025

Tariff-News: અમેરિકાના ત્રણ ડેમોક્રેટિક સાંસદોએ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ (યુએસ કોંગ્રેસનું નીચલું ગૃહ) માં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પર ૫૦ ટકા ટેરિફને પડકારતો ઠરાવ રજૂ કર્યો છે. તેમનો દલીલ છે કે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

MNREGA: મોદી સરકાર નામ બદલીને શુ સાબિત કરવા માંગે છે? મનરેગાનું નામ બદલવાથી શુ ફેર પડશે? જાણો વરિષ્ઠ પત્રકાર રાજેશ ઠાકરે શુ કહ્યું?

  • December 14, 2025
  • 8 views
MNREGA: મોદી સરકાર નામ બદલીને શુ સાબિત કરવા માંગે છે? મનરેગાનું નામ બદલવાથી  શુ ફેર પડશે? જાણો વરિષ્ઠ પત્રકાર રાજેશ ઠાકરે શુ કહ્યું?

Bondi Beach shooting:ઓસ્ટ્રેલિયામાં બીચ ફેસ્ટિવલની ઉજવણી કરી રહેલા યહૂદીઓ પર ફાયરિંગ: 10ના મોત

  • December 14, 2025
  • 15 views
Bondi Beach shooting:ઓસ્ટ્રેલિયામાં બીચ ફેસ્ટિવલની ઉજવણી કરી રહેલા યહૂદીઓ પર ફાયરિંગ: 10ના મોત

Defamation claim: ‘The Gujarat Report’ સત્ય ઉજાગર કરતું રહેશે! પત્રકારત્વની ફરજો નિભાવતા રહીશું! ‘ડર’ અમારી ‘Dictionary’માંજ નથી!

  • December 14, 2025
  • 18 views
Defamation claim: ‘The Gujarat Report’ સત્ય ઉજાગર કરતું રહેશે! પત્રકારત્વની ફરજો નિભાવતા રહીશું! ‘ડર’ અમારી ‘Dictionary’માંજ નથી!

Carbocell Well Illegal Mining: સુરેન્દ્રનગર પંથકમાં કરોડોના કોલસાનો ‘કાળો કારોબાર!’100 ખાણો ઉપર દરોડા પડતા માફિયાઓમાં ફફડાટ

  • December 14, 2025
  • 20 views
Carbocell Well Illegal Mining: સુરેન્દ્રનગર પંથકમાં કરોડોના કોલસાનો ‘કાળો કારોબાર!’100 ખાણો ઉપર દરોડા પડતા માફિયાઓમાં ફફડાટ

Padaliya News: બનાસકાંઠાના પાડલીયા ગામમાં થયેલા ઘર્ષણમાં PI ગોહિલને તીર વાગતા બેભાન થઈ ગયા! કુલ 47 ઘાયલ! શુ છે સમગ્ર વિવાદ?વાંચો

  • December 14, 2025
  • 33 views
Padaliya News: બનાસકાંઠાના પાડલીયા ગામમાં થયેલા ઘર્ષણમાં PI ગોહિલને તીર વાગતા બેભાન થઈ ગયા! કુલ 47 ઘાયલ! શુ છે સમગ્ર વિવાદ?વાંચો

Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી

  • December 13, 2025
  • 7 views
Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી