
Dwarka Pilgrims Accident: બનાસકાંઠાના કાંકરેજ અને દિયોદર તાલુકાના પદયાત્રીઓને અકસ્માત નડ્યો હોવાના અહેવાલ છે,ભગવાન રણછોડના દર્શન કરવા દેવભૂમિ દ્વારકા તરફ જઈ રહેલા પદયાત્રીઓને આજે બુધવારે (17 ડિસેમ્બર) વહેલી સવારે પૂરપાટ ઝડપે આવતા ડમ્પર ચાલકે અડફેટે લેતા ચાર પદયાત્રીઓના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા હતા જ્યારે એકની હાલત ગંભીર છે.
દ્વારકાધીશના દર્શન કરવા 11 ડિસેમ્બરના રોજ કાંકરેજ અને નવા દિયોદર તાલુકામાંથી યાત્રાળુઓનો સંઘ પગપાળા દ્વારકા જઈ રહ્યા હતા તે દરમિયાન મંગળવારે રાત્રે આ સંઘે માળિયાના સરવડ ગામ પાસે આવેલા સાપેશ્વર મહાદેવ મંદિરે વિશ્રામ કર્યો હતો ત્યારબાદ આજે વહેલી સવારે 5 થી 6 વાગ્યાના અરસામાં સંઘે ફરી પદયાત્રા શરૂ કરી હતી.
દરમિયાન આ સંઘ જ્યારે મોરબી નજીક ચાચાવદરડા ગામના પાટિયા પાસેના પેટ્રોલ પંપ નજીકથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે કાળ બનીને આવેલા ડમ્પરે પાંચ પદયાત્રીઓને અડફેટે લીધા હતા.
આ અકસ્માત એટલો ભયાનક હતો કે, પાંચમાંથી ચાર પદયાત્રીઓના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા અને એકને ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં મોરબીની હોસ્પિટલ હેઠળ સારવાર અર્થે દાખલ કરાયા હતા.ઘટનાની જાણ થતા માળિયા-મિયાણા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.
■મૃતક પદયાત્રીઓના નામ
1. દિલીપભાઈ રયાભાઈ ચૌધરી (ઉં.વ. 28, રહે. અધગામ, દિયોદર)
2.હાર્દિકભાઈ માલાભાઈ ચૌધરી (ઉં.વ. 28, રહે. અધગામ, દિયોદર)
3.ભગવાનભાઈ લાલભાઈ ચૌધરી (ઉં.વ. 65, રહે. નવા દિયોદર)
4.અમરાભાઇ લાલાભાઇ ચૌધરી (ઉં.વ. 62, રહે. નાના દિયોદર)
આ કરુણ ઘટનાને પગલે ભારે અરેરાટી પ્રસરી જવા પામી છે.
આ પણ વાંચો:
H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?









