
ગુજરાત સહિત દેશ-વિદેશમાં લોકોને હસાવતાં હાસ્યકલાકરે દુનિયાને અલવિદા કરી દીધી છે. જામનગર, સૌરાષ્ટ્ર અને ગુજરાતના કલાજગતમાં ગમગીનીનો સન્નાટો ફેલાવી દીધો છે. લોકોને પેટ પકડીને હસાવનાર કલાકારની વિદાયથી અનેક લોકોની આંખોમાં ઝળઝળીયા આવી ગયા છે. પરેશ વસંતની વિદાયથી હાસ્યરસ જગતમાં ખોટ પુરી શકાય તેવી ખોટ પડી છે.
જામનગર નિવાસી અને ગુજરાતના ખ્યાતનામ હાસ્ય કલાકાર વસંત પરેશ ખેતસીભાઈનું 70 વર્ષની વયે અવાસન પામ્યા. વસંત પરેશ બંધુએ હાસ્ય કલાકારોની દુનિયામાં પોતાનો એક આગવી ઓળખ ઉભી કરી હતી અને જામનગર સહિત દેશ વિદેશમાં અનેક કાર્યક્રમો આપ્યા હતા.
જામનગરના આ સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર વસંત પરેશ બંધુ દ્વારા અનેક યાદગાર કાર્યક્રમો આપવામાં આવ્યા છે અને તેના હાસ્યથી ભરપૂર રમુજી જોક્સ પણ ખૂબ જ પ્રચલિત થયા. લોકોને હંમેશા હસાવનાર પ્રખ્યાત હાસ્ય કલાકાર આજે ફાની દુનિયાને અલવિદા કહી અને તેમના ચાહકોને રડતા મૂકી ગયા છે.
અંતિમ યાત્રા જામનગરમાં તેમના નિવાસ્થાન 203, લક્ષ્મી એપાર્ટમેન્ટ મંગલબાગ શેરી નંબર-1 જામનગરના સ્થળેથી થી બપોરે સાજે સાડા ચાર વાગ્યે નીકળશે.