
Adani: ઉત્તર ગુજરાતમાં ખેડૂતોનો લડાયક મિજાજ The Gujarat Reportના સિનિયર પત્રકાર દિલીપ પટેલે સ્થાનિક ખેડૂત અમરા ભાઈ ચૌધરી સાથે કરેલી વાતચીત અને વિશ્લેષણ પ્રસ્તુત છે જોવાનું ચૂકશો નહિ
ગુજરાતમાં કચ્છ-દક્ષિણ ગુજરાતથી લઈ ઉત્તર ગુજરાતમાં અડણીની વીજ લાઈન મુદ્દે ખેડૂતો પુરા વળતરની માંગ કરી રહયા છે અને ઠેર ઠેર આંદોલન ચાલી રહ્યું છે ત્યારે ઉત્તર ગુજરાતમાં વાવ-થરાદ અને બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ 765 KV વીજ ટ્રાન્સમિશન લાઇનના વળતર મુદ્દે વાવ-થરાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી યોગ્ય વળતરની માંગ કરી હતી.
વાવ-થરાદ જિલ્લાના રાધાનેસડા ગામથી બનાસકાંઠાના મુડેઠા સુધી પસાર થનાર આ લાઇન વાવ-થરાદના 25 ગામો અને બનાસકાંઠાના 3 ગામો સહિત કુલ 28 ગામોના ખેડૂતોની જમીન અને ખેતીને અસર કરનાર છે.
ખેડૂતોનું કહેવું છે કે તેમને 30 ઓક્ટોબર, 2025ના નવસારી જિલ્લાના વાણિજ્ય હેતુના ઓર્ડર મુજબ વળતર મળવું જોઈએ.
આ સિવાય 1 માર્ચ, 2024ની ગુજરાત સરકારની ગાઈડલાઈન મુજબ 200 ટકા અને રાજસ્થાન સરકારની ગાઈડલાઈન મુજબ ખેતરમાં ઇન્ડક્શનના જોખમને ધ્યાનમાં રાખીને વધુ 200 ટકા, એમ કુલ 400 ટકા વધારા સાથે વળતર મળવું જોઈએ.
આવેદનપત્રમાં કહેવામાં આવ્યું છે કે, કલેક્ટર દ્વારા ખેડૂતોને નોટિસ અને લાઇનનો નકશો ફરજિયાત મળવો જોઈએ.
સાથેજ વીજ લાઈનના સબંધિતો સીધા ખેતરમાં ઘૂસી જાય છે અને કામ ચાલુ કરે છે પણ આ પ્રોપર્ટી ખેડૂતોની માલિકીની છે જેમાં પ્રવેશતા પહેલા ખેડૂતોની મંજૂરી લેવી પડશે તેમજ સરપંચ, તલાટી, ગ્રામસેવક, મામલતદાર, ખેડૂત માલિક અને પાવરગ્રીડ કંપનીના અધિકારીઓની હાજરીમાં પંચનામું કરીને સહી-સિક્કા સાથે નક્કી કરવાની માંગ થઈ છે.ખેડૂતો દ્વારા સૌથી મોટી એ વાતનો પણ ઉલ્લેખ કર્યો છે કે પાવરગ્રીડ કંપની પોલીસ પ્રોટેક્શન લઈને આવે છે જેઓ ખેતરની માલિકી ધરાવતા ખેડૂતો વિરુદ્ધ દુરુપયોગ કરી બળ જબરી કરે છે તો પોલીસનો ખેડૂતો ઉપર દુરુપયોગ ન થયા તેની ખાતરી પણ આપવી પડશે.
ખેડૂતો દ્વારા ચેતવણી પણ અપાઈ છે કે જો તેમની માંગણીઓ ધ્યાનમાં નહીં લેવાય તો આંદોલનનો માર્ગ અપનાવશે અને તેનાથી ઉભી થનારી કોઈપણ પરિસ્થિતિ માટે સરકાર જવાબદાર રહેશે.આમ, ઉત્તર ગુજરાતમાં સ્થિતિ સ્ફોટક બનતા હાલ કામ અટકી પડ્યું છે.
આ પણ વાંચો:
Pentagon: ચીનની ભેદી હિલચાલ; અરૂણાચલ પ્રદેશ કબ્જે કરવા કરી રહ્યું છે, તૈયારીઓ! પેન્ટગોને આપી ચેતવણી!
Donald Trump: ટ્રમ્પનો ‘ટેરિફ દાવ’ ઊંધો પડ્યો! 700થી વધુ યુએસ કંપનીઓને લાગ્યા તાળા!
Aravali Case: અરવલ્લી કેસમાં સુપ્રીમ કોર્ટેનો પોતાનાજ આદેશ પર સ્ટે; આગામી સુનાવણી 21મી એ થશે









