
Farmers protest against Dwarka airport: કચ્છમાં અદાણીના પાવર પ્રોજેકટનો ખેડૂતો યોગ્ય વળતરની માંગ સાથે આંદોલન કરી રહયા છે ત્યારે હવે દ્વારકા જિલ્લાના વસઈ ગામ ખાતે પ્રસ્તાવિત એરપોર્ટ પ્રોજેક્ટને લઈને સ્થાનિક ખેડૂતોમાં વિરોધ વંટોળ ઉઠ્યો છે.
ખેડૂતો પોતાની ફળદ્રુપ ખેતીની જમીન સંપાદિત થવાનો ડર સતાવી રહ્યો છે અને ખેડૂતો ભયભીત જોવા મળી રહ્યા છે.ખેડૂતોએ એ વાત ક્લીઅર પણ કરી છે કે ‘અમે એરપોર્ટના વિરોધી નથી, પણ અમારી ફળદ્રુપ ખેતીની જમીન છીનવાઈ જાય તે મંજુર નથી.
જોકે,ખેડૂતોના વિરોધ બાદ ખેતીવાડી વિભાગ અને એરપોર્ટ ઓથોરિટીની એક સંયુક્ત ટીમ જ્યારે વસઈ ગામે પહોંચી હતી જ્યાં વસઈ, ગઢેચી, મેવાસા અને કલ્યાણપુર સહિત ચાર ગામોના સરપંચો અને ખેડૂતો ભેગા થઈ પોતાનો પક્ષ રાખ્યો હતો.
ખેડૂતોનું કહેવું છે કે તેઓની જમીન ફળદ્રુપ છે અને આજીવિકાનું સાધન છે જો તે જમીન સંપાદનમાં જશે તો તેમની આજીવિકા છીનવાઈ જશે તેઓએ વિનંતીના સૂરમાં કહ્યું કે આ પ્રોજેક્ટને અન્ય બિન-ફળદ્રુપ અથવા પડતર જમીન પર પણ સ્થાનાંતરિત કરી શકાય છે ત્યાં થાયતો તેઓને કોઈ વિરોધ નથી
ખેતીવાડી અને એરપોર્ટ આથોરીટીની ટીમે ખેડૂતોને ખાતરી આપી છે કે તેમની માંગણીઓ સરકાર સુધી યોગ્ય રજૂઆત કરવામાં આવશે અને ત્યારબાદ જ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે
જોકે, અહીં બનનાર એરપોર્ટ અંગે ભારે ચર્ચાઓ છે અને ક્યારે શુ નિર્ણય લેવાય તે નક્કી નહિ હોવાથી ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે .
હવે આ એરપોર્ટ મામલે પણ અનેક ચર્ચાઓ ઊઠી છે ત્યારે તે અંગે વિસ્તૃત પ્રકાશ પાડશે સિનિયર પત્રકાર શ્રી દિલીપભાઈ પટેલને સાંભળવાનું ચૂકશો નહિ, એકદમ સચોટ અને સટીક વિશ્લેષણ માટે જુઓ ,વિડીયો
આ પણ વાંચો:
Commonwealthgames2030:ગુજરાતમાં ‘ખેલકુદ’શિખવતા શિક્ષકો નથી અને ઓલેમ્પિકની વાતો થાય છે!





