Gujarat Cabinet Reshuffle: ગુજરાત મંત્રીમંડળ વિસ્તરણ, સમય અને સ્થળ થયું નક્કી, આ નવા ચહેરાઓની એન્ટ્રી લગભગ ફાઈનલ

  • Gujarat
  • October 16, 2025
  • 0 Comments

Gujarat Cabinet Reshuffle: ગુજરાતની ભૂપેન્દ્રભાઈ પટેલની નેતૃત્વવાળી ભાજપ સરકારમાં મંત્રીમંડળના વિસ્તરણનું કાઉન ડાઉન ચાલી રહ્યું છે. રાજ્ય સરકારના અધિકારી વર્ગ દ્વારા સત્તાવાર પુષ્ટિ મળ્યા પછી, આવતીકાલે 17 ઓક્ટોબરે સવારે 11:30 વાગ્યે ગાંધીનગરના મહાત્મા મંદિર કોન્વન્શન સેન્ટર ખાતે નવા મંત્રીઓની શપથવિધિનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આ પ્રસંગે પદનામિત મંત્રીઓને હોદ્દો અને ગોપનીયતાના શપથ ગ્રહણ કરાવશે.

આ વિસ્તરણ દ્વારા સરકારને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જેમાં પ્રાદેશિક, જાતિગત અને સામાજિક સમીકરણોને ધ્યાનમાં રાખીને નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવશે.

તૈયારીઓનું કાઉન્ટડાઉન શરું

મંત્રીમંડળ વિસ્તરણની પ્રક્રિયા હવે આખરી તબક્કામાં પહોંચી ગઈ છે. આજે, ગુરુવારે, વર્તમાન મંત્રીઓ પોતાના પદ પરથી રાજીનામું આપશે, જેનાથી મંત્રીમંડળમાં જગ્યાઓ ખાલી થશે અને નવી નિમણૂકો માટે માર્ગ મુકાશે. તેમાંથી કેટલાક મંત્રીઓની પુનઃનિમણૂક ન થાય તેવી અંદરીય સુત્રોમાંથી માહિતી છે. આનાથી આંતરિક તણાવ પણ વધ્યો છે, કારણ કે જૂના મંત્રીઓમાંથી કોણને સ્થાન મળશે અને કોણને બહાર થવું પડશે તેની અટકળો ચર્ચામાં છે.

ભાજપના કાર્યાલય અને વિધાનસભા ધારાસભ્યોને પાર્ટી તરફથી સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે, ગુરુવાર અને શુક્રવાર દરમિયાન ગાંધીનગરમાં હાજર રહેવું. આ સૂચના ખાસ કરીને તે ધારાસભ્યો માટે મહત્વપૂર્ણ છે જેમની મંત્રીપદની શક્યતાઓ છે. ગુરુવારે દિવસભર રાજકીય બેઠકો અને વ્યૂહરચના માટે વધુ ગરમાવો જોવા મળશે, જ્યારે શુક્રવારે શપથવિધિ પછી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નવા મંત્રીઓ સાથે શુભેચ્છા મુલાકાત કરશે. આ મુલાકાત દ્વારા નવા વર્ષની શરૂઆતમાં સરકાર અને સંગઠન વચ્ચે સંકલિત પ્રયાસોનો સંદેશ આપવામાં આવશે.

સ્વર્ણિમ સંકુલમાં તૈયારીઓ

ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ-૨માં ખાલી પડેલી મંત્રીઓની ઓફિસોમાં સફાઈ અને જાળવણીના કામો ઝડપથી ચાલી રહ્યા છે. આ તૈયારીઓ દર્શાવે છે કે નવી કેબિનેટ રચના પછી તાત્કાલિક કામકાજ શરૂ થઈ શકે. શપથવિધિ બાદ જ વિભાગોની વહેંચણી જાહેર કરવામાં આવશે, જેમાં મુખ્યમંત્રી પટેલની વ્યૂહરચના અનુસાર નવા મંત્રીઓને મહત્વપૂર્ણ વિભાગો સોંપાશે. આ વિસ્તરણથી મંત્રીમંડળનું કદ વધીને 27 સુધી પહોંચી શકે છે, જે રાજ્યની વિવિધ પ્રદેશો અને સમુદાયોને વધુ સારી રીતે પ્રતિનિધિત્વ આપશે.

સંભવિત નવા ચહેરાઓ

પ્રદેશ અને જાતિનું સમીકરણઆ વિસ્તરણમાં નવા ચહેરાઓને સ્થાન આપવા પર વિશેષ ભાર મૂકાશે, જેમાં પ્રાદેશિક અને જાતિગત સમતોલ જાળવવાનો પ્રયાસ થશે. અંદરીય સૂત્રો અનુસાર, નીચેના ધારાસભ્યોની નિમણૂકની મજબૂત શક્યતાઓ છે

સૌરાષ્ટ્ર: જિતુ વાઘાણી (લેઉવા પટેલ સમુદાયને ધ્યાનમાં રાખીને), અર્જુન મોઢવાડિયા અને રિવાબા જાડેજા (જામનગરથી, કોળી સમુદાયનું પ્રતિનિધિત્વ).

મધ્ય ગુજરાત: મહેશ કસવાલા (સામાન્ય જ્ઞાતિ), કેયુર રોકડિયા અથવા બાલુ શુકલા (વડોદરાથી, ક્ષત્રિય ફેક્ટર)

દક્ષિણ ગુજરાત: જયરામ ગામીત (આદિવાસી સમુદાય) અને મનિષા વકીલ (મહિલા ધારાસભ્ય તરીકે).

ઉત્તર ગુજરાત: અલ્પેશ ઠાકોર (OBC સમુદાય)

આ નિમણૂકો દ્વારા ભાજપ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત જેવા મહત્વપૂર્ણ પ્રદેશોમાં પોતાનો પાયો મજબૂત કરશે. ખાસ કરીને, સૌરાષ્ટ્રમાં લેઉવા પટેલ અને કોળી સમુદાયોને વધુ મહત્વ મળશે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં આદિવાસીઓ અને મહિલાઓને પ્રાથમિકતા આપવામાં આવશે.

જૂના મંત્રીઓની ‘એક્ઝિટ’ અને નવી ‘એન્ટ્રી’ની અટકળો

વિસ્તરણમાં કેટલાક જૂના મંત્રીઓને બહાર કરીને નવા ચહેરાઓને જગ્યા આપવામાં આવશે. સંભવિત પરિવર્તનોમા જો કનુ દેસાઈની બહાર થાય, તો નરેશ પટેલની નિમણૂક થઈ શકે. મુળુ બેરાની જગ્યાએ ઉદય કાનગડને તક મળી શકે. બળવંતસિંહ રાજપૂતની બહાર થાય તો સી.જે. ચાવડાની એન્ટ્રીની શક્યતા છે.

આ પરિવર્તનો જાતિ અને પ્રદેશીય સમીકરણને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે, જેથી સરકારમાં વિવિધતા જળવાઈ રહે. ઉત્તર ગુજરાતમાં OBC અને ક્ષત્રિય સમુદાયોને પણ વધુ પ્રતિનિધિત્વ મળશે.

સંગઠન અને સરકાર વચ્ચે સંતુલન

આ વિસ્તરણ માત્ર મંત્રીમંડળને મોટું કરવાનું નથી, પરંતુ ભાજપના સંગઠન અને સરકાર વચ્ચે સંતુલન જાળવવાનો પણ પ્રયાસ છે. મુખ્યમંત્રી પટેલની આ વ્યૂહરચના દ્વારા રાજ્યના વિવિધ વિસ્તારો સૌરાષ્ટ્ર, મધ્ય, દક્ષિણ અને ઉત્તર ગુજરાતને સમાન તકો આપવામાં આવશે. આનાથી આગામી ચૂંટણીઓમાં પાર્ટીને ફાયદો થશે. શુક્રવારે શપથવિધિ પછી સ્પષ્ટ તસવીર સામે આવશે. કારણ કે, ભાજપને કોથળામાંથી બિલાડું કાઢવાની ટેવ છે અને ગુજરાતએ ભાજપની પ્રયોગશાળા છે એટલે મંત્રીમંડળ વિસ્તરણમાં મોટી સરપ્રાઈઝ પણ મળી શકે છે.

આ પણ વાંચો:

 Rajkot: ભાજપના બેનરમાં PM મોદીના મોઢા ઉપર કાળો કૂચડો ફેરવી દેવાતા ચકચાર,તાત્કાલિક બેનર હઠાવાયુ!

Narmada: ગુજરાત પેટર્ન યોજનામાં કરોડોનું કૌભાંડ, ધારાસભ્ય ચૈતર વસાવાએ કોના પર કર્યા આરોપ?

 Ahmedabad: સેશન્સ કોર્ટના જજ પર બેવાર જુતું ફેંકાયું, શું છે કારણ?

Passport: વિશ્વના ટોપ 10 દેશોના શક્તિશાળી પાસપોર્ટ યાદીમાંથી US બહાર ફેંકાયું, સિંગાપુરે મારી બાજી

Madhya Pradesh Seoni Case: SDOP પૂજા પાંડે અને તેમની આખી ટીમ ફસાઈ, અત્યાર સુધીમાં 10 ની ધરપકડ, એક ફરાર

Related Posts

Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન
  • March 19, 2026

Mini storm: રાજ્યમાં સાયકલોનિક સર્ક્યુલેશન,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદી માહોલ સર્જાયો છે સમગ્ર રાજ્યમાં ધૂળની ડમરી સાથે ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ થયો છે.વડોદરામાં પણ સાંજના સમયે ધૂળની…

Continue reading
Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!
  • March 19, 2026

■ શ્રી સત્ય યોગ ફાઉન્ડેશન આશ્રમમાં જ નકલી નોટો છાપવાનું ચાલુ કરી ફોર્ચ્યુનર ગાડી ઉપર ‘ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા આયુષ મંત્રાલય’નું બોર્ડ ઠપકારી હેરાફેરી ચાલુ કરી પણ વટાણા વેરાઈ ગયા અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Iran war: હોર્મુઝ પર ખરેખર કોનો અધિકાર? ઈરાન હવેથી ટેક્સ લેશે? આંતરરાષ્ટ્રીય Law શું કહે છે? જાણો

  • March 21, 2026
  • 3 views
Iran war: હોર્મુઝ પર ખરેખર કોનો અધિકાર? ઈરાન હવેથી ટેક્સ લેશે? આંતરરાષ્ટ્રીય Law શું કહે છે? જાણો

Narendramodi: મોદી સરકાર કેમ નિષ્ફળતા છુપાવે છે? જે છે તે દેખાય છે!! હોટલોમાં સ્મશાનના કોલસા ઉપર હવે તો ‘રોટી’ શેકાય છે!!

  • March 21, 2026
  • 5 views
Narendramodi: મોદી સરકાર કેમ નિષ્ફળતા છુપાવે છે? જે છે તે દેખાય છે!! હોટલોમાં સ્મશાનના કોલસા ઉપર હવે તો ‘રોટી’ શેકાય છે!!

Donald Trump: જાણીતા અર્થશાસ્ત્રીએ કહ્યું કે “ભારતમાં ગંભીર આર્થિક સંકટ ઉભું થવાનું છે!”

  • March 21, 2026
  • 8 views
Donald Trump: જાણીતા અર્થશાસ્ત્રીએ કહ્યું કે “ભારતમાં ગંભીર આર્થિક સંકટ ઉભું થવાનું છે!”

Missile attack: ઈરાનનો અમેરિકા પર મોટો હુમલો,ડિએગો-ગાર્સિયા બેઝ પર મિસાઈલ છોડી! મિસાઈલની રેન્જ જોઈ દુનિયા આશ્ચર્ય ચકિત!

  • March 21, 2026
  • 10 views
Missile attack: ઈરાનનો અમેરિકા પર મોટો હુમલો,ડિએગો-ગાર્સિયા બેઝ પર મિસાઈલ છોડી! મિસાઈલની રેન્જ જોઈ દુનિયા આશ્ચર્ય ચકિત!

PM Modi: “ડરપોક” મોદી સરકાર હવે સોશ્યલ મીડિયાને નિશાન બનાવી રહી છે!સુપ્રિયા શ્રીનાતે કર્યા ગંભીર આરોપ

  • March 21, 2026
  • 7 views
PM Modi: “ડરપોક” મોદી સરકાર હવે સોશ્યલ મીડિયાને નિશાન બનાવી રહી છે!સુપ્રિયા શ્રીનાતે કર્યા ગંભીર આરોપ

Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું “હોર્મુઝ માર્ગ”નો ઉપયોગ અમે કરતા નથી! જેઓ કરે છે તે પોતેજ ઈરાન સાથે ફોડી લે!!

  • March 21, 2026
  • 10 views
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું “હોર્મુઝ માર્ગ”નો ઉપયોગ અમે કરતા નથી! જેઓ કરે છે તે પોતેજ ઈરાન સાથે ફોડી લે!!