
Gujarat News : ગુજરાતમાં 35 વર્ષોમાં આવી ન આવેલી ભયાનક આફત આવી હોવા છતાં મુખ્યમંત્રી વિકાસ અદાણી-મોદી ગુજરાત આવવાના બદલે નેપાળની યાત્રા કરી રહ્યા છે. આફતથી કષ્ટમાં ડૂબેલા ખેડૂતોની આવક અને દેવાના આંકડા ચિંતાજનક છે. 2015-16ની ગણતરી પ્રમાણે 53.20 લાખ ખેડૂતો નોંધાયેલા છે, જ્યારે 2021માં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ખેડૂતોની કુલ આવક 1.40 લાખ કરોડ થઈ ગઈ હોવાનું જણાવ્યું હતું.
સરકારે જાહેર કર્યા પ્રમાણે, વર્ષે ખેડૂતની આવક 2,63,157 રૂપિયા, મહિને 21,929 રૂપિયા અને રોજે 730 રૂપિયા છે. પરંતુ ‘સમૃદ્ધ ગુજરાત’ના દાવા સામે ખેડૂતોની આર્થિક હાલત ચિંતાજનક બની રહી છે. આવક ઘટી રહી છે, જ્યારે ઉત્પાદન ખર્ચ વધી રહ્યો છે. ખેતી માટે ખેડૂતો દેવું લેવા મજબૂર બને છે, જેના કારણે ‘આવક બમણી’ના દાવા સામે તેઓ દેવાના ડુંગર નીચે દબાઈ રહ્યા છે.
2025 સુધીના આંકડા મુજબ, ગુજરાતના 51 લાખથી વધુ ખેડૂતોએ કોમર્શિયલ અને અન્ય બેંકોમાંથી કુલ 1 લાખ 44 હજાર 463 કરોડની લોન લીધી છે. આવક 2 લાખ 63 હજાર હોય તો દેવું કેમ 1.5 લાખ છે? આ આંકડા પ્રમાણે પ્રત્યેક ખેડૂત પર સરેરાશ 56,000 રૂપિયાનું દેવું છે. આ આસામ, બિહાર, છત્તીસગઢ અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોના ખેડૂતોના સરેરાશ દેવા કરતાં વધુ છે.ખેડૂત સંગઠનોના પ્રતિનિધિઓએ કહ્યું, “સરકારના દાવા અને વાસ્તવિકતા વચ્ચે અંતર છે. આફતમાં મદદના બદલે નેતાઓ વિદેશી યાત્રા કરે છે, તો ખેડૂતો કેમ બચે?” તંત્રે દેવા ઘટાડવા અને આવક વધારવા માટે વ્યવસ્થા કરવાની જરૂર છે.
આ પણ વાંચો:
Amreli:રાજ્ય સરકારના સહાય પેકેજથી ભાજપમાં ભડકો, વરિષ્ઠ નેતાએ આપી દીધું રાજીનામું
chhotaudepur: “મને ડરાવી-ધમકાવીને ભાજપમાં જોડવાની કોશિશ કરી” AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો મોટો ખુલાસો
Kirti Patel: કીર્તિ પટેલ સામે PASA હેઠળ કાર્યવાહી , વડોદરા જેલમાં ધકેલાઈ, ખંડણી અને ધમકીના 9 કેસો









