Gujarat Farmers Await Relief: સરકારનું સહાય પેકેજ ક્યારે મળશે? ખેડૂતોમાં ચિંતાનો માહોલ,આગળના ₹500 કરોડ હજુ મળ્યા નથી!

  • Gujarat
  • November 21, 2025
  • 0 Comments

Gujarat Farmers Await Relief:ગુજરાતમાં ચાલુ વર્ષે પડેલા કમોસમી વરસાદને કારણે ખેતીને વ્યાપક નુકશાન થતાં ખેડૂતો બરબાદ થઈ ગયા છે ત્યારે સરકારે રૂ. 10 હજાર કરોડ રૂપિયાનું કૃષિ સહાય પેકેજ જાહેર કર્યું છે અને અરજી કરવાની આખરી તારીખ 29 નવેમ્બર છે ખેડૂતો ફોર્મ ભરી રહયા છે પણ હજુ સહાય ક્યારે મળશે તે વિશ્વાસ આવતો નથી કારણકે વર્ષ 2024માં પણ જુલાઇ-ઓગસ્ટમાં પડેલા વરસાદે મોટાપાયે ખેતી બરબાદ કરી હતી અને તે વખતે પ્ણ સરકારે 1769 કરોડ રૂપિયાનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યુ હતુ જે પૈકીના હજુ ખેડૂતોને 500 કરોડ રૂપિયા ચૂકવાયાં નથી ત્યારે પાક નુકશાનીનો ભોગ બનનારાં ખેડૂતો તે પણ લાભ મળ્યો નથી તેવે સમયે ફરી આવું થશેતો નહીં ને? તેવી ચિંતા પ્રસરી છે.

એક તરફ બિયારણ-ખાતર-મજૂરી પાછળ લાખ્ખોમાં થતો ખર્ચ અને ઉપરથી કમોસમી વરસાદથી નિષ્ફળ જઈ રહેલી ખેતીને કારણે ખેડૂતો દેવાદાર બની રહયા છે ઉપરથી સરકાર જે પણ સહાય જાહેર કરે છે પૂરતી હોતી નથી અને તેમાંય જાહેર સહાય ન આપે ત્યારે ખેડૂતોનું મોરલ ડાઉન થઈ જાય છે.

વર્ષ 2024માં પણ માવઠાએ પણ ખેતીને વ્યાપક પ્રમાણમાં નુકશાન પહોંચાડતા રાજ્ય સરકારે જુલાઈ 2024માં પ્રથમ તબક્કામાં 319 કરોડ રૂપિયાનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું હતું. ત્યારબાદ ખેડૂતોને મદદરૂપ થવાના આશયથી ઓગષ્ટ 2024માં વધુ 1450 કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કર્યું હતું. કુલ મળીને1769 કરોડ રૂપિયાનું કૃષિ પેકેજ જાહેર તો કર્યું, પરંતુ અત્યાર સુધી ખેડૂતોને 500 કરોડ રૂપિયા રાહત પેટે ચૂકવાયાં નથી તે ફરી યાદ કરાવવા ખેડૂત આગેવાનોમાં માંગ ઉઠી છે કે, વર્ષ 2024માં જાહેર કરેલાં કૃષિ પેકેજનો કેટલાં ખેડૂતોને લાભ અપાયો તેની સરકાર વિગતો જાહેર કરવી જોઈએ.
આ વર્ષે ગુજરાતમાં કમોસમી વરસાદે ખેડૂતોની હાલત ખરાબ કરી દીધી છે ત્યારે સહાય જલ્દી મળે તેવી આશા રાખીને બેઠેલા નાના ખેડૂતો તે દિવસની રાહ જોઈ રહયા છે.

આ પણ વાંચો: 

Gujarat Politics: ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખની ચૂંટણી થશે બિનહરીફ? આ એકમાત્ર દાવેદાર તરીકે ઉતરશે મેદાને

Surat: માતાજીના પંડાલમાં હુક્કાબાર સોંગ્સ પર યુવતીઓનો અશ્લિલ ડાન્સ, વીડિયો વાયરલ થતા વિવાદ

Pakistan: PoKમાં સત્ય ઉજાગર કરનાર પત્રકારો ઉપર પોલીસનો હુમલો, ઇસ્લામાબાદ પ્રેસ ક્લબમાં ઘૂસીને પોલીસે પત્રકારોને માર્યા!

Maharashtra: ઉદ્ધવ ઠાકરેએ સોનમ વાંગચુકની ધરપકડ મામલે કેન્દ્ર સરકારની કાઢી ઝાટકણી

Rajasthan: BJP કાર્યકર્તાઓએ કેન્સરના દર્દીઓને બિસ્કિટ આપ્યા, ફોટા પડાવ્યા અને બિસ્કીટ પાછા લઈ લીધા

Related Posts

Adulterated Fennel Scam Unjha: મહેસાણામાં નકલી વરીયાળીનું મોટું કૌભાંડ ઝડપાયું, કેમિકલ રંગ ચઢાવી ઊંચા ભાવે વેચવાનો ભંડાફોડ
  • June 25, 2026

Adulterated Fennel Scam Unjha: ગુજરાતના રસોડામાં સ્વાદ વધારવા માટે વપરાતી વરિયાળી હવે કેટલી સુરક્ષિત છે? મહેસાણા જિલ્લાના ઉનાવા ગામમાંથી સામે આવેલું નકલી વરિયાળીનું કૌભાંડ સાબિત કરે છે કે, આપણે જે…

Continue reading
Nutrition Scheme Scam: અરવલ્લીમાં સગર્ભા મહિલાઓ અને બાળકોના પોષણ આહારની કથિત હેરાફેરીનો પર્દાફાશ, 305 બોરી ભરેલો પિકઅપ ઝડપાયો
  • June 25, 2026

Nutrition Scheme Scam: અરવલ્લી જિલ્લાના મોડાસા ગ્રામીણ વિસ્તારમાં એક એવી ઘટના સામે આવી છે જેણે સરકારની કલ્યાણકારી યોજનાઓની પોલ ખોલી નાખી છે. સાકરિયા ગામ પાસેથી પસાર થતા એક પિકઅપ ડાલાને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Adulterated Fennel Scam Unjha: મહેસાણામાં નકલી વરીયાળીનું મોટું કૌભાંડ ઝડપાયું, કેમિકલ રંગ ચઢાવી ઊંચા ભાવે વેચવાનો ભંડાફોડ

  • June 25, 2026
  • 2 views
Adulterated Fennel Scam Unjha: મહેસાણામાં નકલી વરીયાળીનું મોટું કૌભાંડ ઝડપાયું, કેમિકલ રંગ ચઢાવી ઊંચા ભાવે વેચવાનો ભંડાફોડ

Nutrition Scheme Scam: અરવલ્લીમાં સગર્ભા મહિલાઓ અને બાળકોના પોષણ આહારની કથિત હેરાફેરીનો પર્દાફાશ, 305 બોરી ભરેલો પિકઅપ ઝડપાયો

  • June 25, 2026
  • 4 views
Nutrition Scheme Scam: અરવલ્લીમાં સગર્ભા મહિલાઓ અને બાળકોના પોષણ આહારની કથિત હેરાફેરીનો પર્દાફાશ, 305 બોરી ભરેલો પિકઅપ ઝડપાયો

Scholarship Domicile Removal: એસસી અને ઓબીસી વિદ્યાર્થીઓ માટે મોટી રાહત, શિષ્યવૃત્તિ મેળવવા હવે ડોમિસાઇલ પ્રમાણપત્રની જરૂર નહીં

  • June 25, 2026
  • 5 views
Scholarship Domicile Removal: એસસી અને ઓબીસી વિદ્યાર્થીઓ માટે મોટી રાહત, શિષ્યવૃત્તિ મેળવવા હવે ડોમિસાઇલ પ્રમાણપત્રની જરૂર નહીં

Tushar Mehta: મોદી સરકારના સૌથી વિશ્વસનીય કાયદા અધિકારી કેવી રીતે બન્યા તુષાર મહેતા, ૧૧ વર્ષના કાર્યકાળ પાછળની સંપૂર્ણ કહાની

  • June 25, 2026
  • 8 views
Tushar Mehta: મોદી સરકારના સૌથી વિશ્વસનીય કાયદા અધિકારી કેવી રીતે બન્યા તુષાર મહેતા, ૧૧ વર્ષના કાર્યકાળ પાછળની સંપૂર્ણ કહાની

India Anti-Defection Law: સંસદ કે પક્ષનું પાંજરું? પક્ષપલટા વિરોધી કાયદો લોકશાહી માટે કેમ શાપરૂપ છે?

  • June 25, 2026
  • 11 views
India Anti-Defection Law: સંસદ કે પક્ષનું પાંજરું? પક્ષપલટા વિરોધી કાયદો લોકશાહી માટે કેમ શાપરૂપ છે?

UPSC CSAT Controversy: UPSC ની CSAT રમત, પ્રતિભાને ઓળખવાની પરીક્ષા કે ગ્રામીણ વિદ્યાર્થીઓને બહાર કાઢવાનું ષડયંત્ર?

  • June 25, 2026
  • 7 views
UPSC CSAT Controversy: UPSC ની CSAT રમત, પ્રતિભાને ઓળખવાની પરીક્ષા કે ગ્રામીણ વિદ્યાર્થીઓને બહાર કાઢવાનું ષડયંત્ર?