Gujarat Tribal Housing Promise Reality: ગરીબોની આવક બે ગણી થવાની હતી, ગરીબી વધી

Gujarat Tribal Housing Promise Reality: રાજકીય નેતાઓ ચૂંટણી ટાણે પ્રજાને કેવા ફોગટ વચનો આપીને છતરી રહ્યા છે અને લોકોને ઉલ્લુ બનાવવાની કેવી અદ્ભુત કળા ધરાવે છે, તેનો જીવતોજાગતો પુરાવો આજે ખુલ્લો પડી રહ્યો છે. મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશના બોર્ડર વિસ્તાર પર આવેલા ૧૧ જિલ્લાઓનો આખો આદિવાસી પટ્ટો, જંગલો અને નાના ગામડાઓમાં રહેતા ગરીબ પરિવારો આજે પણ સત્તાધીશોની નીતિઓનો ભોગ બની રહ્યા છે. વર્ષ ૨૦૦૭ અને ત્યારબાદ ૨૦૧૨ની ચૂંટણીઓમાં આ તમામ બેઘર આદિવાસીઓને પાકા મકાનો આપવાના મોટા-મોટા વાયદા કરવામાં આવ્યા હતા. આજે આ વચનોને ૨૦ વર્ષ થવા આવ્યા હોવા છતાં, અડધાથી વધુ (૫૦%) આદિવાસી પરિવારોને હજી સુધી પોતાનું ઘર મળ્યું નથી અને તેઓ અત્યંત દયનીય અને ખરાબ પરિસ્થિતિમાં જીવવા મજબૂર બન્યા છે.

મનમોહન સરકાર પર આક્ષેપો કરનારા પૂર્વ સીએમ મોદી પોતે જ સૌથી મોટા ‘ગરીબ વિરોધી’ સાબિત થયા

ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના શાસનકાળના સત્તાવાર સરકારી દસ્તાવેજો તપાસીએ તો તેમાં સ્પષ્ટ અક્ષરોમાં લખાયેલું છે કે, “પ્રત્યેક આદિવાસીને પોતાનું પાકું ઘર મળશે અને તેમની હાલની આવક બમણી થશે”. એ સમયે નરેન્દ્ર મોદીએ કેન્દ્રની તત્કાલીન ડૉ. મનમોહન સિંહની સરકાર પર ગરીબ વિરોધી હોવાના આકરા રાજકીય પ્રહારો કર્યા હતા. પરંતુ આજે સમયના ચક્રએ સાબિત કરી દીધું છે કે, કરોડો રૂપિયાના પેકેજોની જાહેરાત કરવા છતાં આદિવાસીઓને મકાનો નહીં આપીને મોદી સાહેબ પોતે જ સૌથી મોટા ગરીબ વિરોધી સાબિત થયા છે. ૨૦ વર્ષના લાંબા સમયગાળા પછી પણ ગ્રાઉન્ડ ઝીરો પર ગરીબોની સ્થિતિ જસની તસ જ રહી છે.

૪૦,૦૦૦ કરોડના ‘વનબંધુ કલ્યાણ પેકેજ’ ના મોટા તાયફા અને ગોબર બેંકના ફીસકા

નરેન્દ્ર મોદીએ હિન્દુસ્તાનના સમગ્ર વનવાસી ક્ષેત્રમાં સર્વપ્રથમ જનભાગીદારી પ્રોજેક્ટ હેઠળ છોટાઉદેપુર તાલુકાના ખવાસ ગામથી ‘ગોબર બેંક’ અને ‘વર્મી કમ્પોસ્ટ’ યોજનાની મોટી જાહેરાતો કરી હતી. આ પ્રોજેક્ટ લોકોને સમર્પિત કરતી વખતે તેમણે દાવો કર્યો હતો કે, આગામી માત્ર પાંચ જ વર્ષમાં પ્રત્યેક આદિવાસીને પાકું ઘર મળી જશે અને તેમની આવક બમણી થઈ જશે. તેના માટે પહેલાં રૂ. ૧૨,૦૦૦ કરોડ અને ત્યારબાદ વધારીને રૂ. ૪૦,૦૦૦ કરોડનું માતબર ‘વનબંધુ વિકાસ પેકેજ’ અમલમાં મૂકવાની ગુલબાંગો પોકારવામાં આવી હતી. સત્તાના નશામાં ગમે તે બોલવું અને ચૂંટણીઓ જીત્યા પછી વચનો ભૂલી જવા, તે શાસકોની જૂની આદત રહી છે.

“૫૦ હજાર કમાતા હો તો લાખ કરી દઈશ”… મોદીના એ ભાષણોના દસ્તાવેજી પુરાવા અને વાસ્તવિકતા

રાજ્ય સરકારના જૂના વીડિયો અને દસ્તાવેજી પુરાવાઓ શાસકોના જૂઠાણાંની ચાડી ખાય છે. તત્કાલીન સીએમ મોદીએ ભાષણોમાં ગર્જના કરી હતી કે, “અમારી નેમ છે કે આ વિસ્તારના ખેડૂતો અને મજૂરી કરનારા માનવીને પાકું ઘર મળે, એક પણ નાગરિક ઘર વગરનો ન રહે”. એટલું જ નહીં, સ્ટેજ પરથી આદિવાસીઓને લલચાવતા તેમણે કહ્યું હતું કે, “પાંચ વર્ષમાં આવક બમણી કરવી છે, જો તમે વર્ષે ૫૦,૦૦૦ કમાતા હશો તો લાખ કરીશ અને લાખ કમાતા હશો તો બે લાખ કરી દઈશ”. આજે ૨૦૨૬ના વર્ષમાં આ આંકડાઓ સામે જોતાં હસવું આવે છે, કારણ કે વાસ્તવિકતામાં મોંઘવારી બમણી થઈ ગઈ પણ ગરીબ આદિવાસીઓની આવક ત્યાં જ અટકેલી છે.

૨૦૨૬ માં પણ મકાનોના લોકાર્પણનું નાટક: ૨૦ વર્ષેય વચનો પૂરા ન થયાનો જીવતો પુરાવો

હજી હમણાં જ ૨૯ માર્ચ ૨૦૨૬ ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવ્યા હતા અને તેમણે રાજ્યમાં ૩૮,૦૦૦ મકાનોનું લોકાર્પણ કર્યું હતું, જેમાંથી ૭૦ ટકા મકાનો માત્ર આદિવાસી વિસ્તારના હતા. પાંચ વર્ષમાં આદિવાસીઓને ઘર આપવાનું વચન આપનારી સરકારને આજે ૨૦ વર્ષે પણ મકાનોના લોકાર્પણના નાટક કરવા પડી રહ્યા છે, તે જ સાબિત કરે છે કે ૨૦ વર્ષ સુધી આદિવાસીઓ ઘર વગર ભટકતા રહ્યા અને સરકારનું વચન અધૂરું રહ્યું. પાંચ વર્ષની સમયમર્યાદાના વાયદાને બે દાયકા સુધી ખેંચી જઈને સરકારે આદિવાસી મતદારો સાથે ક્રૂર મજાક કરી છે.

કેન્દ્ર સરકારના ૯૮% પાકા મકાનોના ગુલાબી આંકડા ખોટા, ૨ ટકા જનતા આજેય ફૂટપાથ પર

ભારત સરકારના રહેણાકના સત્તાવાર આંકડા એવો દાવો કરે છે કે ગુજરાતમાં કુલ ઘરોમાંથી આશરે ૯૮% મકાનો પાકા થઈ ચૂક્યા છે. પરંતુ જમીની હકીકત આ સરકારી આંકડાઓ કરતાં બિલકુલ અલગ છે. આજે પણ રાજ્યની ૨ થી ૩ ટકા વસ્તી ખુલ્લા આકાશ નીચે ફૂટપાથ પર રાત વિતાવવા મજબૂર છે. ખાસ કરીને ગુજરાતના આદિવાસી બહુલ જિલ્લાઓ જેવા કે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી અને મહીસાગરમાં કાચા અને અર્ધપાકા ઘરોનું પ્રમાણ રાજ્યની સરેરાશ કરતાં નોંધપાત્ર રીતે ઘણું વધારે છે. સામાજિક સંસ્થાઓના સર્વે મુજબ, આજે પણ ૨૦% થી ૩૫% આદિવાસી પરિવારો કાચા ઝૂંપડામાં રહે છે અને આશરે ૨ થી ૫ લાખ પરિવારોને તાત્કાલિક પાકા ઘરની જરૂર છે, જે સરકાર ક્યારેય સ્વીકારશે નહીં.

પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) માં પણ મોટો લોચો

સરકાર દાવો કરે છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) હેઠળ ગુજરાતમાં એસટી (ST) પરિવારોના ૩.૫૫ લાખથી વધુ ઘરો પૂર્ણ થઈ ગયા છે. વર્ષ ૨૦૧૬-૧૭ થી લઈને ૨૦૨૪-૨૫ સુધીમાં રાજ્યમાં કુલ ૮ લાખ ઘરો બનાવવામાં આવ્યા હોવાની વાતો કરાય છે. હાલમાં મોદી સાહેબે જે ૩૮,૦૦૦ મકાનો ખુલ્લા મૂક્યા, તેમાંથી ૨૩,૦૦૦ મકાનો આદિવાસીઓના હતા. પરંતુ હકીકત એ છે કે આજે પણ ઓછામાં ઓછા ૨ થી ૩ લાખ આદિવાસી પરિવારો એક પાકા ઘર માટે સરકારી કચેરીઓના ધક્કા ખાઈ રહ્યા છે અને નવી અરજીઓ મંજૂર થવાની રાહ જોઈ રહ્યા છે.

આરોગ્યના નામે માત્ર ‘સિકલ સેલ’ ની વાતો, વોટ બેંક માટે પ્રજાને ગેરમાર્ગે દોરવાનું મોટું ષડયંત્ર

ચૂંટણીઓ નજીક આવે એટલે શાસકોને આદિવાસીઓના આરોગ્યની ચિંતા સતાવવા માંડે છે. પીએમ મોદી ભાષણોમાં કહે છે કે અમે જન્મેલા તમામ બાળકોનું મેડિકલ ચેકઅપ કરીને નક્કી કરીએ છીએ કે સિકલ સેલ (Sickle Cell) વાળા છોકરાઓ કેટલા છે. પરંતુ આદિવાસી વિસ્તારોની સરકારી હોસ્પિટલોની બદહાલ સ્થિતિ, ડૉક્ટરો અને દવાઓનો અભાવ કોઈનાથી છૂપો નથી. માત્ર ખોટા વચનો આપીને, મોટી સ્કીમોના નામ બદલીને લોકો પાસેથી મતો ખંખેરી લેવાનું આ એક સુનિયોજિત રાજકીય ષડયંત્ર છે. બેલેટ પેપરથી મતદાન ન થતું હોય ત્યારે પ્રજાને ગેરમાર્ગે દોરીને સત્તા કબજે રાખવાનો આ ખેલ હવે ખુલ્લો પડી ગયો છે. જનતાએ હવે જાગૃત થઈને કોઈપણ પક્ષ કે નેતાના જૂઠાણાં પર આંખો બંધ કરીને વિશ્વાસ કરવાને બદલે સરકારી દસ્તાવેજોના આધારે સવાલો પૂછવાની શરૂઆત કરવી જ પડશે.

આ પણ વાંચો: 

Gir Lion Deaths Controversy: કોઈ રોગ નથી તો સિંહને પાંજરામાં કેમ પુર્યા, કાયદા મૂજબ જંગલના સિંહને પાંજરામાં પૂરી શકાતા નથી – thegujaratreport.com

Gujarat Railway Revenue: મોદી રાજમાં ગુજરાત રેલવેની આવકમાં 100 ટકાનો વધારો, દર અને ભાડા વધ્યા, લોકોની સવલતો 100 ટકા ન વધી – thegujaratreport.com

Silica Mining Scam Bharuch: ભરૂચમાં રૂ. ૬,૦૦૦ કરોડની ખનિજ ચોરીનું મહાકૌભાંડ! સાંસદ મનસુખ વસાવા અને MLA ચૈતર વસાવા મૌન – thegujaratreport.com

Related Posts

Gujarat Liquor Prohibition: આપણે એટલા આત્મનિર્ભર તો થઈ ગયા કે હિન્દુસ્તાનને હરખાવા સિવાય અને ગુજરાતને ગૌરવ લેવા સિવાય છુટકો નથી!
  • August 29, 2026

Gujarat Liquor Prohibition: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગેરકાયદેસર દારૂના વેચાણ અને ઝેરી દારૂની ઘટનાઓ સતત સામે આવતી રહે છે. આ મુદ્દે ‘ધ ગુજરાત રિપોર્ટ’ના કાર્યક્રમમાં પત્રકાર મયુર જાની અને પૂર્વ…

Continue reading
Jamnagar Vavdi Farmers Protest: વાવડીમાં વીજ આંદોલન, રિલાયન્સ વીજ કંપની સામે ખેડૂતોનું આરપારનું યુદ્ધ!
  • August 21, 2026

Jamnagar Vavdi Farmers Protest: વાવડી વીજ આંદોલન, રિલાયન્સ વીજ કંપની સામે નવું યુદ્ધ વાવડી આંદોલન એ ગુજરાતના જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના વાવડી ગામે વીજ કંપનીની જોહુકમી અને ખેતરોમાંથી પસાર થતી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

AfD Germany: જર્મનીમાં AfDની ઐતિહાસિક જીત, શું હવે સમગ્ર યુરોપ RIGHT તરફ વળી રહ્યો છે?

  • September 8, 2026
  • 2 views
AfD Germany: જર્મનીમાં AfDની ઐતિહાસિક જીત, શું હવે સમગ્ર યુરોપ RIGHT તરફ વળી રહ્યો છે?

Eiffel Tower BAPS Controversy: BAPS પ્રતિનિધિમંડળની મુલાકાત બાદ એફિલ ટાવર બંધ, મહિલા કર્મચારીઓને લઈને ‘ભેદભાવ’ના આરોપથી વિવાદ

  • September 8, 2026
  • 4 views
Eiffel Tower BAPS Controversy: BAPS પ્રતિનિધિમંડળની મુલાકાત બાદ એફિલ ટાવર બંધ, મહિલા કર્મચારીઓને લઈને ‘ભેદભાવ’ના આરોપથી વિવાદ

Sudhir Chaudhary Defamation Case: સુધીર ચૌધરી સામે 20 વર્ષીય UPSC ઉમેદવારનો માનહાનિ કેસ, ₹5 કરોડના વળતરની માંગ

  • September 8, 2026
  • 6 views
Sudhir Chaudhary Defamation Case: સુધીર ચૌધરી સામે 20 વર્ષીય UPSC ઉમેદવારનો માનહાનિ કેસ, ₹5 કરોડના વળતરની માંગ

International Literacy Day 2026: ભારતમાં કેટલા લોકો ભણેલા છે? જાણો દેશ અને દુનિયાની સાક્ષરતાની સંપૂર્ણ સ્થિતિ

  • September 8, 2026
  • 6 views
International Literacy Day 2026: ભારતમાં કેટલા લોકો ભણેલા છે? જાણો દેશ અને દુનિયાની સાક્ષરતાની સંપૂર્ણ સ્થિતિ

Nationwide Student Protest: દેશની યુનિવર્સિટીઓમાં સતત વિરોધ પ્રદર્શન, શું આ એક મોટા વિદ્યાર્થી આંદોલનની શરૂઆત છે?

  • September 8, 2026
  • 6 views
Nationwide Student Protest: દેશની યુનિવર્સિટીઓમાં સતત વિરોધ પ્રદર્શન, શું આ એક મોટા વિદ્યાર્થી આંદોલનની શરૂઆત છે?

VHP Muslims Garba Ban Maharashtra: મહારાષ્ટ્રમાં ગરબા-ડાંડિયામાં મુસ્લિમોના પ્રવેશને લઈને વિવાદ, VHPની અપીલ સામે વિપક્ષનો વિરોધ

  • September 8, 2026
  • 12 views
VHP Muslims Garba Ban Maharashtra: મહારાષ્ટ્રમાં ગરબા-ડાંડિયામાં મુસ્લિમોના પ્રવેશને લઈને વિવાદ, VHPની અપીલ સામે વિપક્ષનો વિરોધ