Sectarianism: દેશમાં છેલ્લા કેટલાક સમયથી હિન્દુ-મુસ્લિમ-ખ્રિસ્તી ધર્મ આધારિત વિવાદો અને સાંપ્રદાયિક તણાવને લઈ ભારે અરાજકતાનો માહોલ જોવા મળી રહ્યો છે.આ વિવાદો પાછળ કયાંક ક્યાંક રાજકીય સ્વાર્થ છુપાયેલો છે.
સમાજમાં ભાગલા પાડવાની રાજનીતિ વિકાસના માર્ગમાં સૌથી મોટો અવરોધ માનવામાં આવે છે.દેશમાં હાલ પાયાના મુદ્દા જેવાકે બેરોજગારી,ગરીબી,ભૂખમરો વગરે સમસ્યાઓ ગંભીર તબક્કામાં છે ત્યારે મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવામાં આવી રહ્યાનું જણાય છે.
દેશમાં હિન્દુ,મુસ્લિમ, ઈસાઈ કે ખ્રિસ્તી,શીખ હોય દરેક નાગરિક દેશના વિકાસ અને રાષ્ટ્રવાદને અનુસરે છે ત્યારે ભાગલા પાડવાનો ખેલ દેશને પાછળ ધકેલે છે, સમાજમાં રહેલા કટ્ટરવાદ અને ભેદભાવને દૂર થાય તેવો માહોલ બનવાને બદલે અરાજકતા ફેલાઈ રહી છે.
ભારત એક વૈવિધ્યસભર દેશ છે અને સર્વધર્મ સમભાવ એ આપણી મૂળ સંસ્કૃતિ છે. રાજકીય પક્ષોએ વોટબેંકની રાજનીતિ છોડીને માનવતા અને વિકાસના એજન્ડા પર કામ કરવા તેમજ સાંપ્રદાયિક સૌહાર્દ અને આર્થિક પ્રગતિ પર ભાર મુકાશેતો બધાનું કલ્યાણ થશે.
આ અંગે The Gujarat Reportના MD મયુર ભાઈ જાની જણાવે છે કે સાંપ્રદાયિકતાના નફરતી ઘોડાપુર થી ચેતતા રહેજો દોસ્તો, દેશમાં અરાજકતા ફેલાવવાનું કાવતરું ઘડાઈ ચૂકયુ છે? તમને શું લાગે છે કોમેન્ટ કરી અપનો અભિપ્રાય આપજો, જુઓ વિડીયો
The Gujarat Report સાંપ્રત લોક હિતના વિષયોના સમાચાર અને સચોટ વિશ્લેષણ જુઓ માત્ર ધ ગુજરાત રિપોર્ટ પર
આ પણ વાંચો:
Bauxite mineral theft: ખેડાના અમૃતપુરા ગામે 62 હેક્ટર ગૌચરની જમીનમાંથી કોલસો ખોદાશે!









