IND vs SA: રાહુલ કેપ્ટન, સાઉથ આફ્રિકા સામેની વનડે સીરિઝ માટે ટીમ જાહેર!

  • India
  • November 23, 2025
  • 0 Comments

BCCI Announces Team for SA ODI Series : દક્ષિણ આફ્રિકા સામે ત્રણ મેચોની વનડે સીરિઝ માટે આખરે કોણ બનશે કેપ્ટન વાળું ચિત્ર ક્લીઅર થઈ ગયું છે અને આખરે એલ રાહુલને કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

સાઉથ આફ્રિકા સામેની ત્રણ વનડે મેચોની સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત 23 નવેમ્બર (રવિવાર)ના રોજ કરી દેવામાં આવી છે.કોલકાતા ટેસ્ટમાં ઈજાગ્રસ્ત થયેલા શુભમન ગિલને ટીમમાં સામેલ કરવામાં આવ્યા નથી. ગિલને બદલે કે એલ રાહુલને કેપ્ટન બનાવવામાં આવ્યો છે.દક્ષિણ આફ્રિકા સામેની આ મહત્વપૂર્ણ શ્રેણી માટે BCCI એ વિકેટકીપર-બેટ્સમેન કેએલ રાહુલને કેપ્ટન બનાવ્યા છે. કોલકાતા ટેસ્ટ દરમિયાન ગરદનમાં ઈજા પામેલા શુભમન ગિલ હજુ રમવા માટે અનફિટ હોવાથી તેમને આરામ આપવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાં ગેરહાજર રહેલા રવિન્દ્ર જાડેજાની વાપસીથી ટીમનું સંતુલન મજબૂત થયું છે

■BCCIએ ટીમ ઇન્ડિયાની જાહેરાત કરી જેમાં નીચે મુજબના ખેલાડીઓ સ્કોડમાં સામેલ કરાયા છે.

●રોહિત શર્મા

●યશસ્વી જયસ્વાલ

●વિરાટ કોહલી

●તિલક વર્મા

●કે એલ રાહુલ

●રિષભ પંત

●વોશિંગ્ટન સુંદર

●રવીન્દ્ર જાડેજા

●કુલદીપ યાદવ

●નીતિશ રેડ્ડી

●હર્ષિત રાણા

●ઋતુરાજ ગાયકવાડ

●પ્રસિધ કૃષ્ણા

●અર્શદીપ સિંહ

●ધ્રુવ જુરેલ

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ દક્ષિણ આફ્રિકા સામે રમાનારી ત્રણ મેચની વનડે શ્રેણી માટે ભારતીય ટીમની આ મુજબ સત્તાવાર જાહેરાત કરી દીધી છે.

ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેની વનડે સિરીઝની પ્રથમ મેચ 30 નવેમ્બરે રાંચીમાં રમાશે.આ પછી 3 ડિસેમ્બરે રાયપુરમાં બીજી અને 6 ડિસેમ્બરે વિશાખાપટ્ટનમમાં સિરીઝની ત્રીજી મેચ રમાશે.ત્યારબાદ બંને દેશો વચ્ચે 9 ડિસેમ્બરથી પાંચ મેચોની T-20 સિરીઝ પણ રમાશે, જેની ભારતીય ટીમની જાહેરાત પછીથી કરવામાં આવશે.

નોંધનીય છે કે આ શ્રેણી માટે ગરદનની ઈજામાંથી સંપૂર્ણપણે સ્વસ્થ ન થવાને કારણે સ્ટાર બેટ્સમેન શુભમન ગિલ આ શ્રેણીનો ભાગ બની શક્યા નથી. જોકે, ટીમ માટે સારા સમાચાર એ છે કે અનુભવી ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા 50 ઓવરના ફોર્મેટમાં વાપસી કરી રહ્યા છે.
આ 15 સભ્યોની ટીમમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા દિગ્ગજોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારે મેચ રસપ્રદ બની રહેશે.

આ પણ વાંચો: 

Bhavnagar umrala news: ઉમરાળામાં બે જૂથ વચ્ચે તંગદિલી,સુરતથી ગાડીઓ ભરીને પાટીદારો ઉમટ્યા!ભરવાડ સમાજ પણ એકત્ર થતા તંગદિલી!

Rupee Hits Record Low Against Dollar: ભારતના ઇતિહાસમાં પ્રથમવાર રૂપિયો આટલો નબળો પડયો:મોંઘવારી વધશે

Tejas Crash:દુબઈમાં ક્રેશ તેજસના શહીદ પાયલોટ નમન સ્યાલને ઠેરઠેરથી મળી શ્રદ્ધાંજલિ,શહીદ નમન સ્યાલના પરિવાર વિશે જાણો

Related Posts

Airport Lounge Culture: દિલ્હી એરપોર્ટ પર ક્રેડિટ કાર્ડ અને ક્લાસ વોર, એરપોર્ટ લાઉન્જ બન્યું સ્ટેટસ સિમ્બોલ
  • June 22, 2026

Airport Lounge Culture: દિલ્હી એરપોર્ટના ટર્મિનલ-૩ પર સવારના ૭ વાગ્યાના દ્રશ્યો આજના બદલાતા ભારતની એક કડવી અને વાસ્તવિક તસવીર રજૂ કરે છે. ૨૨ વર્ષની પ્રીતિ જેવી યુવતીઓ માટે, જે ઉત્તર…

Continue reading
Jairam Ramesh: ગ્રેટ નિકોબાર પોર્ટ પ્રોજેક્ટ સામે જયરામ રમેશના તીક્ષ્ણ સવાલો!
  • June 22, 2026

Jairam Ramesh: ગ્રેટ નિકોબાર ટાપુ પર ગલાથિયા બે (Galathea Bay) ખાતે પ્રસ્તાવિત આંતરરાષ્ટ્રીય કન્ટેનર ટ્રાન્સશિપમેન્ટ પોર્ટ પ્રોજેક્ટ ફરી એકવાર વિવાદના વંટોળમાં છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે કેન્દ્રીય મંત્રી સર્બાનંદ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Airport Lounge Culture: દિલ્હી એરપોર્ટ પર ક્રેડિટ કાર્ડ અને ક્લાસ વોર, એરપોર્ટ લાઉન્જ બન્યું સ્ટેટસ સિમ્બોલ

  • June 22, 2026
  • 2 views
Airport Lounge Culture: દિલ્હી એરપોર્ટ પર ક્રેડિટ કાર્ડ અને ક્લાસ વોર, એરપોર્ટ લાઉન્જ બન્યું સ્ટેટસ સિમ્બોલ

Jairam Ramesh: ગ્રેટ નિકોબાર પોર્ટ પ્રોજેક્ટ સામે જયરામ રમેશના તીક્ષ્ણ સવાલો!

  • June 22, 2026
  • 3 views
Jairam Ramesh: ગ્રેટ નિકોબાર પોર્ટ પ્રોજેક્ટ સામે જયરામ રમેશના તીક્ષ્ણ સવાલો!

Barmer Demolition Dispute: બાડમેર બુલડોઝર કાંડ, સરહદ પર એકતા તોડવાનું સરકારનું ષડયંત્ર?

  • June 22, 2026
  • 5 views
Barmer Demolition Dispute: બાડમેર બુલડોઝર કાંડ, સરહદ પર એકતા તોડવાનું સરકારનું ષડયંત્ર?

India Pedestrian Deaths Report: ભારતમાં પગપાળા ચાલનારાઓ માટે રસ્તા બન્યા જીવલેણ, પાંચ વર્ષમાં 1.8 લાખથી વધુ લોકોએ ગુમાવ્યો જીવ

  • June 22, 2026
  • 8 views
India Pedestrian Deaths Report: ભારતમાં પગપાળા ચાલનારાઓ માટે રસ્તા બન્યા જીવલેણ, પાંચ વર્ષમાં 1.8 લાખથી વધુ લોકોએ ગુમાવ્યો જીવ

Ladakh Bandh Protest: લદ્દાખમાં ૨૩ જૂને સંપૂર્ણ બંધનું એલાન, કેન્દ્ર સરકાર પર ૨૨ મેના નિર્ણયોથી ‘પાછા હટવાનો’ નાગરિક સંગઠનોનો આક્ષેપ

  • June 22, 2026
  • 11 views
Ladakh Bandh Protest: લદ્દાખમાં ૨૩ જૂને સંપૂર્ણ બંધનું એલાન, કેન્દ્ર સરકાર પર ૨૨ મેના નિર્ણયોથી ‘પાછા હટવાનો’ નાગરિક સંગઠનોનો આક્ષેપ

Ayush Malik Shamli Conversion Case: શામલીના આયુષ મલિક ધર્મ પરિવર્તન વિવાદે ઊભા કર્યા મોટા સવાલો, શું ભારતમાં હવે પોતાનો ધર્મ પસંદ કરવો પણ ગુનો છે?

  • June 22, 2026
  • 7 views
Ayush Malik Shamli Conversion Case: શામલીના આયુષ મલિક ધર્મ પરિવર્તન વિવાદે ઊભા કર્યા મોટા સવાલો, શું ભારતમાં હવે પોતાનો ધર્મ પસંદ કરવો પણ ગુનો છે?